Mandal: જીનાલયોમાં પર્યુષણ પર્વમાં ભગવાનને મનમોહક આંગી શ્ર્રુંગાર : શ્રાવકો દર્શને પધાર્યા
પર્યુષણ પર્વની ઉજવણી અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં ભક્તિભાવપૂર્વક કરવામાં આવી છે. પ્રભુ ભક્તિના આ દિવસોમાં શ્રાવકો નિત્ય પ્રતિક્રમણ, પ્રક્ષાલન પુજાઓ અને વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોમાં તેમજ વિશેષમાં સાંય આંગી દર્શન માટે જીનાલયોમાં મોટીસંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ પધારી રહ્યાં છે. પર્યુષણ પર્વ એ આત્મશુદ્ધિ અને ક્ષમાપનાનો સંદેશ આપતું પર્વ છે. પર્યુષણ પર્વ દરમ્યાન પ્રભુની મુર્તિને અદ્દભુત રીતે સજાવવામાં આવે છે, જેને આંગી પણ કહેવાય છે. આંગી એ ભગવાનની મુર્તિ પર ધારણ કરાવવામાં આવતો એક પ્રકારનો દિવ્ય અને ભવ્ય શણગાર છે. વરખ, દોરી, ફુલોની આંગી, રેશમી પટ્ટીઓ, ડાયમંડ, કપુર, ચંદન સહિતની સામગ્રીઓથી ભગવાનની પવિત્ર આંગી રચવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના માંડલ નગરમાં આવેલ ગાડલિયા પાર્શ્વનાથ દાદાના તેમજ શાંતિનાથ દાદાના જીનાલયમાં પર્યુષણ પર્વના બે દિવસમાં અદ્દભુત આંગી રચવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શ્રાવકો દર્શનાર્થે પહોંચ્યા હતાં. સુંદર પ્રભુનો શણગાર જોવાથી શ્રાવકોના મનમાં પ્રભુ પ્રત્યેનો અવોભાવ જાગ્યો, શ્રાવકોની એકાગ્રતા પણ આ પળે જોવા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward