android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: બારીયા વનવિસ્તારમાં અત્યારસુધી કુલ 1.92 લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરાયું
calendar_today September 9, 2026

Dahod: બારીયા વનવિસ્તારમાં અત્યારસુધી કુલ 1.92 લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરાયું

દાહોદ જિલ્લામાં 9 તાલુકા આવેલ છે. જે માં બારીયા વનવિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચો.કિ.મી.નો છે. જેમાં ધાનપુર, દાહોદ, ઝાલોદ, ફ્તેપુરા, સંજેલી, ગરબાડા, લીમખેડા અને સીંગવડ આમ કુલ 13 રેન્જ આવેલ છે.વન વિભાગ બારીયા વિસ્તાર માં વર્ષ 2023ના ચોમાસા 10.29 લાખ રોપા જે 1377 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.વર્ષ 2022ના ચોમાસા 14.96 લાખ રોપા જે 2280 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરાયા હતા અને વર્ષ 2021ના ચોમાસા 10.95 લાખ રોપા જે 1791 હેકટર જંગલ ભાગમાં રોપાનું વાવેતર કરાયું હતું. બારીયા વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વન વિભાગ બારીયા ખાતે વર્ષ 2024 -25 માં 36588 રોપા તેમજ વર્ષ વર્ષ 2025 - 26 માં 65632 જયારે વર્ષ 2026 - 27 માં 194419 રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ હોવાની માહિતી મળી છે. કુલ 192000 રોપાનું વાવેતર થયેલ હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આમ વૃક્ષા રોપણ કરી બારીયા વન વિભાગ માં ગાંઢ જંગલ ઉભું થયેલ છે. જે સેટેલાઇટ દ્વારા પણ નિહાળી શકાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: આઝાદી બાદ પહેલીવાર કાદવિયા ગામને બસ સેવાનો લાભ મળતા આનંદ છવાયો
calendar_today September 9, 2026

Godhra: આઝાદી બાદ પહેલીવાર કાદવિયા ગામને બસ સેવાનો લાભ મળતા આનંદ છવાયો

ગોધરા : સિમલીયા - ગોધરા વાયા બારીયા ફ્ળી, મીરાંપુરી, તાજપુર - છીપા, ગદુકપુર બસને મીરાંપુર ગામેથી ચાર કિમી દૂર કાદવીયા ગામ સુધી લાંબાવવામાં આવી છે. કાદવીયાથી પરત મીરાંપુરી થઈને ગોધરા - સિમલીયા આવ - જા કરશે. આજરોજ ગોધરાથી નીકળેલી બસ સવારના કાદવીયા ગામે આવી પહોંચી હતી. જ્યાં ગામના સરપંચ ભરતભાઈ બારીયા, ગ્રામજનો, શાળાના બાળકો, શિક્ષકો વગેરે દ્વારા બસનું માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બસના ડ્રાઇવર અને કંડક્ટરનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિમલીયા - ગોધરા બસને કાદવીયા ગામ સુધી લંબાવવા માટે સિમલીયા ગામના અગ્રણી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણે અથાગ પ્રયત્નો કર્યા હતા. આ બસ સેવા શરુ થતા તેઓએ ગુજરાત એસ. ટી. તંત્ર પ્રત્યે આભાર અને આનંદ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: અંબાલી પ્રા. શાળામાં માતૃ જૂથોના ટીમ લીડરોની માર્ગદર્શક બેઠક યોજાઈ
calendar_today September 9, 2026

Godhra: અંબાલી પ્રા. શાળામાં માતૃ જૂથોના ટીમ લીડરોની માર્ગદર્શક બેઠક યોજાઈ

ગોધરા : ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માની અંબાલી છાત્રાલય પ્રાથમિક શાળામાં ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિક પટેલના આયોજન અને માર્ગદર્શન અને આચાર્યના સહયોગથી નિપુણ ગુજરાત અંતર્ગત માતૃ જૂથોના ટીમ લીડરો સાથે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. જેમાં મારું બાળક નિપુણ બાળક ના ધ્યેયને સાકાર કરવા માતૃજૂથોની ભૂમિકા અને શૈક્ષણિક યોગદાન અંગે ઉપસ્થિત ટીમ લીડરોને સી.આર.સી કોઓર્ડિનેટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શૈક્ષણિક સ્થિતિ અનુસાર ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એમ વર્ગીકૃત કરાયેલા બાળકો અને તેમની જરૂરિયાત મુજબ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા સૌને માહિતગાર કરાયા હતા. નિપુણ ગુજરાત અંતર્ગત શાળાને પ્રાપ્ત થયેલી શૈક્ષણિક સાધન-સામગ્રી તથા કિટનો બાળકોના શિક્ષણમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરાય તેની માહિતી શિક્ષક રાકેશ પટેલે આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward