Dahod: બારીયા વનવિસ્તારમાં અત્યારસુધી કુલ 1.92 લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરાયું
દાહોદ જિલ્લામાં 9 તાલુકા આવેલ છે. જે માં બારીયા વનવિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચો.કિ.મી.નો છે. જેમાં ધાનપુર, દાહોદ, ઝાલોદ, ફ્તેપુરા, સંજેલી, ગરબાડા, લીમખેડા અને સીંગવડ આમ કુલ 13 રેન્જ આવેલ છે.વન વિભાગ બારીયા વિસ્તાર માં વર્ષ 2023ના ચોમાસા 10.29 લાખ રોપા જે 1377 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.વર્ષ 2022ના ચોમાસા 14.96 લાખ રોપા જે 2280 હેકટર જંગલ ભાગમાં રોપા વાવેતર કરાયા હતા અને વર્ષ 2021ના ચોમાસા 10.95 લાખ રોપા જે 1791 હેકટર જંગલ ભાગમાં રોપાનું વાવેતર કરાયું હતું. બારીયા વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં વન વિભાગ બારીયા ખાતે વર્ષ 2024 -25 માં 36588 રોપા તેમજ વર્ષ વર્ષ 2025 - 26 માં 65632 જયારે વર્ષ 2026 - 27 માં 194419 રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ હોવાની માહિતી મળી છે. કુલ 192000 રોપાનું વાવેતર થયેલ હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આમ વૃક્ષા રોપણ કરી બારીયા વન વિભાગ માં ગાંઢ જંગલ ઉભું થયેલ છે. જે સેટેલાઇટ દ્વારા પણ નિહાળી શકાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward