android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: કડાણા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત
calendar_today September 9, 2026

Mahisagar: કડાણા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

કડાણા : ગુજરાત સરકારે અગાઉના બજેટમાં કરેલી જાહેરાતને સાકાર કરવાની દિશામાં આજે એક મોટું અને ઐતિહાસિક પગલું ભરાયું છે. મંગળવારે વડોદરા ખાતેથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રાજ્યના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું સત્તાવાર ખાતમુહૂર્ત કરાયું છે.આ સાથે જ મહીસાગર નદીના પાણી પર ગ્રીન એનર્જીના ઉત્પાદનની ક્રાંતિકારી શરૂઆત થઈ ચૂકી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણા ડેમના બેકવોટરમાં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂા.489.20 કરોડનું માતબર બજેટ ફળવાયું છે. આ વિશાળ પ્લાન્ટ 300 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની કુલ ક્ષમતા 110 મેગાવોટ રહેશે. પાણીની સપાટી પર તરતી રહેતી અંદાજે 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ્સ આ પ્રોજેક્ટમાં લગાવાશે, જે પાણીના સ્તરના વધવા કે ઘટવા સાથે આપમેળે પોતાનું સંતુલન જાળવી રાખશે અને ચોમાસાના મજબૂત મોજા કે પૂરની સ્થિતિ સામે પણ સંપૂર્ણ સુરક્ષિત રહેશે.આ પ્લાન્ટ દ્વારા દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે, જે રાજ્યના અનેક વિસ્તારોની વીજ જરૂરિયાતો સંતોષશે. ખાસ વાત એ છે કે, પાણીની કુલિંગ ઇફેક્ટના કારણે જમીન પરના પ્લાન્ટ્સની સરખામણીમાં આ પાણી પરના પ્લાન્ટમાંથી 11% વધુ વીજળી ઉત્પન્ન થશે. પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વાર્ષિક 4 લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન અટકાવશે, જે આશરે 50 લાખ વૃક્ષો વાવવાના પર્યાવરણીય લાભ સમાન છે. આ સોલાર પેનલ્સ 100% રિસાઇકેબલ છે.આ મહત્ત્વપૂર્ણ ખાતમુહૂર્ત પ્રસંગે કડાણા GSECL ખાતે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે થયેલી આ ભવ્ય શરૂઆતથી હવે કડાણા ડેમ ખાતે મહીસાગર નદીના પાણી પર વીજ ઉત્પાદનની નવી યુગલહરી શરૂ થઈ છે, જે ગુજરાતને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા પૂરી પાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: વીજ પ્રવાહમાં વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન
calendar_today September 9, 2026

Godhra: વીજ પ્રવાહમાં વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન

ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં વીજ પ્રવાહ વોલ્ટેજમાં વધઘટ થતાં ઉપકરણોને ભારે નુકશાન થયું હતું. જે બાબતે વીજ કંપનીની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં અચાનક જ વીજ પ્રવાહના અર્થીગ વાયર બળી જતાં વોલ્ટેજ વધઘટ થવા થી રહેણાંક મકાનોમાં ફ્ટિ કરાયેલા એસી, વોશિંગ મશીન, કિચન ચીમની સહિતમાં થયું ભારે નુકશાન હતું.સોસાયટીના રહીશોએ વારંવાર રજુઆત બાદ એમજીવીસીએલ દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવતા બેદરકારીના કારણે પરિસ્થિતિ સર્જાઈ હોવાનો રહીશોનો આક્ષેપ પણ કર્યો છે. સોસાયટીમાં 80 ઉપરાંત રહેણાંક મકાન આવેલા છે જે પૈકી મહત્તમ મકાનોમાં વીજ ઉપકરણોમાં નુકશાન થયું છે. બીજી તરફ્ અચાનક મકાનોમાં શોર્ટ સર્કિટ થતાં જ રહીશોમાં દોડધામ મચવા સાથે રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. વીજ ઉપકરણોને મોટાપાયે નુકશાન થયું હોવાની ફરિયાદો કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halol: શ્રીજીની બે આગમન યાત્રા સામસામે આવતાં ભીડ બેકાબૂ બની
calendar_today September 9, 2026

Halol: શ્રીજીની બે આગમન યાત્રા સામસામે આવતાં ભીડ બેકાબૂ બની

હાલોલ નગરમાં ગણેશ મહોત્સવ પૂર્વે શ્રીજીની આગમન યાત્રાઓમાં ભક્તિ અને આસ્થા કરતાં ડી.જેના ઘોંઘાટ, શક્તિપ્રદર્શન અને બેકાબૂ ભીડને લઈને વધુ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે મંગળવારે રાત્રે હાલોલમાં એક આગમન યાત્રામાં મોટા અવાજે વાગતાં ડીજે અને માર્ગો કલાકો સુધી ચક્કાજામ થઈ જતાં, હજારોની ભીડ બેકાબૂ બની હતી, તેમજ સામસામે ચપ્પલો ઉછળતાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.ગઈકાલે મંગળવારે રાત્રે હાલોલ નગરમાં અંદાજે પાંચ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું આગમન થયું હતું, જેમાં ગણેશ મંડળો દ્વારા મોટા ડી.જે સાઉન્ડ સિસ્ટમો મંગાવાયા હતા. જેને લઈને હાલોલ નગર સહિત આજુબાજુના અન્ય તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા. એક સાથે બે ડી.જે સામસામે આવતા બંને વચ્ચે હોડ શરૂ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોતાના ડી.જેને શ્રોષ્ઠ અને સૌથી શક્તિશાળી સાબિત કરવાની હોડમાં હજારોની ભીડ એકઠી થતાં એસ.ટી સ્ટેન્ડથી વડોદરા રોડ તથા કંજરી રોડ સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ભીડ બેકાબૂ બની સામસામે ચપ્પલો ઉછાળતા ભાગદોડ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આસપાસની મિલકતોમાં તોડફોડ શરૂ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એક તબક્કે પોલીસ માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી પડકારરૂપ બની ગઈ હતી. આજે સવારે આ સ્થળેથી બે થી ત્રણ ટ્રેક્ટર ભરાય તેટલા ચપ્પલ જોવા મળ્યા હતા. જેને લઇ પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward