android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: માનવીય સ્વભાવ અને આંતરિક વિરોધાભાસને ઉજાગર કરતાં નાટક
calendar_today September 9, 2026

Vadodara: માનવીય સ્વભાવ અને આંતરિક વિરોધાભાસને ઉજાગર કરતાં નાટક

ભારતીય રંગમંચની વિવિધતા અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરતો વડોદરા રાષ્ટ્રીય નાટય મહોત્સવની બીજી એડિશન શહેરમાં યોજાઈ હતી. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ્ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ચાર દિવસીય મહોત્સવમાં જાણીતા અભિનેતાઓ અને રંગકર્મીઓની પ્રસ્તુતિએ નાટયરસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મહોત્સવનું ઉદ્વઘાટન જાણીતા અભિનેતા અને રંગમંચ કલાકાર મકરંદ દેશપાંડેએ કર્યું હતું. તેમના લેખન અને દિગ્દર્શન હેઠળનું મનુષ્ય નાટક પણ રજૂ થયું હતું. માનવીય સ્વભાવ, ઓળખ અને આંતરિક વિરોધાભાસોને કેન્દ્રમાં રાખતા આ નાટકમાં ફ્ડકે નામના પાત્ર દ્વારા એક વ્યક્તિમાં રહેલા વિદૂષક, ફ્લિોસોફર અને સામાન્ય માણસના વિવિધ પાસાં રજૂ કરવામાં આવ્યા હતા.મહોત્સવમાં પુરાને ચાવલ - પુરાની સોચ નહીં, પુરાના તજુર્બા નાટકમાં જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા અને તેમની ટીમે હાસ્ય સાથે જીવનના અનુભવો અને સંબંધોની સમજણ રજૂ કરી હતી. જ્યારે વીર ગોકુલા દ્વારા ઇતિહાસ, શૌર્ય, સાહસ અને બલિદાનની ગાથા રંગમંચ પર જીવંત બની હતી. આ ઉપરાંત મારે ગયે ગુલ્ફમમાં જાણીતા રંગકર્મી રઘુબીર યાદવે માનવીય લાગણીઓ, સંબંધો અને જીવનની જટિલતાઓને અસરકારક અભિનયથી રજૂ કરી હતી. ચાર દિવસીય મહોત્સવમાં આત્મચિંતન, હાસ્ય, માનવીય સંબંધો, ઇતિહાસ અને સંઘર્ષ જેવા વિવિધ વિષયોને આવરી લેતા નાટકો રજૂ થયા હતા. મહોત્સવે વિદ્યાર્થીઓ અને નવા કલાકારોને વ્યાવસાયિક રંગમંચની દુનિયા તથા જીવંત પર્ફોર્મન્સની કળાને નજીકથી સમજવાની તક પણ પૂરી પાડી હતી. પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પારુલ પટેલે જણાવ્યું હતું કે, થિયેટર દર્શકોને એકસાથે લાવવાની સાથે તેમને હસાવે છે, વિચારવા પ્રેરે છે અને પોતાની લાગણીઓ તથા આસપાસની ઘટનાઓ અંગે આત્મચિંતન કરવા દોરી જાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે
calendar_today September 9, 2026

Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસ અને પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલથી બે દિવસ ભવ્ય ભક્તિ પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે.નાથ સંપ્રદાયના નવ નાથ પૈકીના એક પ.પૂ.ગેબીનાથ દાદાના પ્રતિરૂપ તથા સ્વામીજી સાવલીવાળા તરીકે વિશ્વવિખ્યાત સંત શિરોમણિ સ્વામીજીની શ્રાવણી અમાસે 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ બે દિવસીય ભક્તિ પર્વ મહોત્સવ યોજાશે. મહોત્સવને અનુલક્ષીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી કલાત્મક રીતે શણગારાયું છે. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ તથા સ્વામીજીની પાવન બેઠકને વિવિધ રંગબેરંગી પુષ્પોથી નયનરમ્ય રીતે સુશોભિત કરાઈ રહી છે. પ્રારંભ આવતીકાલે તા.10ના ગુરુવારે સવારે 8:30 કલાકે સ્વામીજી દ્વારા નિર્માણ પામેલા યંત્ર આધારિત શ્રી સાચી અંબા માતાજીના મંદિરે વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યાગથી કરાશે. જેમાં સાંજે 5:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. વર્ષોની પરંપરા મુજબ પરમ પૂજ્ય સ્વામીજીની પાવન પાદુકાની ભવ્ય શોભાયાત્રા બપોરે 2:00 કલાકે જમનોત્રી બંગલેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરશે. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સંધ્યા આરતી સમયે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. તા.11ના શુક્રવારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સવારે 3:30 કલાકે પ્રહર પૂજા, સવારે 5:00 કલાકે પ્રાતઃ આરતી, 7:00 કલાકે શહનાઈ વાદન સાથે સંગીત પ્રચારિણી સભાના વિશાળ રંગમંચ ઉપર સવારે 7:00થી સાંજે 7:00 કલાક સુધી વડોદરાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ૐ નમઃ શિવાય મંત્રની અખંડ ધૂનનું ગાન કરાશે. સવારે 8:30 કલાકે ડાકોરથી પધારેલા અતિ વિદ્વાન ભૂદેવોના હસ્તે લઘુરુદ્ર યાગનો પ્રારંભ કરાશે, બપોરે 2:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. શ્રી કેદારેશ્વર ભવન ખાતે પધારનાર તમામ ભક્તજનો માટે બપોરે 12:00 કલાકથી મહાપ્રસાદી યોજાશે. ભક્તિ પર્વ મહોત્સવના સમાપન સ્વરૂપે સાંજે 7:00 કલાકે સંધ્યા મહા આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે પ્રસિદ્ધ ગાયક અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરાશે. મંદિર પરિસરમાં મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: જંગલ જમીન મુદ્દે સુરત જિલ્લાના માંડવી ખાતે મહત્વની બેઠક યોજાઇ
calendar_today September 9, 2026

Narmada: જંગલ જમીન મુદ્દે સુરત જિલ્લાના માંડવી ખાતે મહત્વની બેઠક યોજાઇ

સાગબારા તાલુકામાં છેલ્લા એક માસથી ખોપી, હલ ગામ, પાડી, નાલ સહિતના બાર ગામના આદિવાસી ખેડૂતો જંગલ જમીનના મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા ધરણાં-પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજી જંગલ જમીનનો હક મેળવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. આ મુદ્દે હજુ પણ ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓ વચ્ચે તણાવની સ્થિતિ યથાવત હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર મામલે સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાગબારા તાલુકાના મહિલા આગેવાન લીલાબેન વસાવા, સરપંચો સહિત બાર ગામના આગેવાનો તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન સાગબારા તાલુકાના બાર ગામના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતો, જંગલ જમીનના હક અને ખેતી સાથે જોડાયેલા પ્રશ્નો અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમક્ષ મુદ્દાઓ રજૂ કરાયા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આદિવાસી ખેડૂતોને જંગલ જમીનનો યોગ્ય હક મળે અને ખેડૂતો જમીન પર ખેતી કરીને પરિવારનું જીવન સુખમય રીતે ચલાવી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ સાંસદ સહિત રાજકીય આગેવાનો ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચીને ખેડૂતોને સમર્થન આપી ચૂક્યા છે. સાગબારાના બાર ગામના ખેડૂતોનો જંગલ જમીનનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો હોવાથી બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward