android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ગાયના નિઃશબ્દ ભાવોને તસવીરોમાં બોલતાં કર્યાં
calendar_today September 9, 2026

Vadodara: ગાયના નિઃશબ્દ ભાવોને તસવીરોમાં બોલતાં કર્યાં

ગાયના જીવનને માત્ર એક પશુ તરીકે નહીં, પરંતુ કરુણા, મમતા અને સંવેદનાથી ભરેલા જીવંત અસ્તિત્વ તરીકે રજૂ કરતું શહેરના ફોટોગ્રાફર કાલુ ભરવાડનું ફોટોગ્રાફી પ્રદર્શન કલર્સ ઓફ કાઉ'સ્ લાઈફ શીર્ષક હેઠળ તા. 8થી 10 સપ્ટેમ્બરના રોજ કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આઠ ગેલેરીમાં યોજાયું છે. પ્રદર્શન સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે.જે વિશે કાલુ ભરવાડે કહ્યું હતું કે, પ્રદર્શનમાં ગાયના જીવન સાથે જોડાયેલી આશરે 32 તસવીરો રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં ગાયની નિર્દોષતા, તેની આંખોમાં ઝળહળતી લાગણી, વાછરડા પ્રત્યેની મમતા તેમજ માનવ અને ગાય વચ્ચેના નિઃશબ્દ સંબંધને સુંદર રીતે કેદ કરવામાં આવ્યો છે. મેં માત્ર ગાયના બાહ્ય સૌંદર્યને કેમેરામાં ઉતારવાને બદલે તેના જીવનમાં રહેલી સંવેદના અને જીવંતતાને અનુભવીને તસવીરોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.કલર્સ ઓફ કાઉક્રસ્ લાઈફમાં રંગોનો અર્થ માત્ર દ્રશ્યમાન રંગો નથી, પરંતુ કરુણા, મમતા, પ્રેમ, નિર્દોષતા અને સહઅસ્તિત્વના રંગો છે. ગાયની આંખોમાં દેખાતી લાગણીથી લઈને માતા અને વાછરડા વચ્ચેના સંબંધ સુધીની વિવિધક્ષણો દર્શકને વિચારવા અને અનુભવવા પ્રેરે છે.આ તસવીરો ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવાનો પ્રયાસ માત્ર નથી, પરંતુ જીવમાત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સહઅસ્તિત્વની ભાવના અનુભવવાનો એક વિનમ્ર પ્રયાસ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: નાના ભક્તો પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાને લઈને નીકળ્યાં
calendar_today September 9, 2026

Vadodara: નાના ભક્તો પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાને લઈને નીકળ્યાં

14 સપ્ટેમ્બરને સોમવારના રોજથી ગણેશોત્સવનો આરંભ થશે તે પૂર્વે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોને ખર્ચ કરીને આતશાબાજી કરાઇ રહી છે. આવા સમયે શહેરમાં શ્રીજીના નાના ભક્તોએ પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાની આગમનયાત્રા નીકાળી હતી. જેને જોઇને શહેરીજનો ભાવવિભોર થયા હતા.જે વિશે માહિતી આપતા કહાર ધનુષે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અમે સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા પાસે શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે કઇક યૂનિક કરવાનું વિચારતા અમારા બાળ યુવક મંડળના તમામે તમામ સભ્યોએ હાથે બનાવેલા રથ પર શ્રીજીની આગમન યાત્રા નિકાળવાનું નક્કી કર્યું અને જેને અનુસરતા દાંડિયાબજાર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવથી સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા સુધીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નાના સ્પિકરમાં ભજન વગાડી ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવ્યા હતા. યાત્રામાં બાળ ગણેશના કટઆઉટ અને ધર્મધજાએ આકર્ષણ જમાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halol: યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શીર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું
calendar_today September 9, 2026

Halol: યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શીર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું

ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના રાજમાર્ગો પર આકાશી આતશાબાજી સાથે શ્રીજીની આગમન યાત્રા નિકળી રહી છે ત્યારે શહેરના યુવાનોએ ગણપતિ બાપ્પા મોરિયા શિર્ષક હેઠળ વીડિયો ગીત બનાવ્યું છે.જે વિશે માહિતી આપતા સોંગના કોરિયોગ્રાફર અને નિર્દેશક કેતુલ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલોલ નજીક આવેલા લકી સ્ટુડિયો ખાતે સેટ તૈયાર કરીને ગીતનું શૂટિંગ કરાયું હતું. જેમાં મૌલિક ચૌહાણ સાથે 25 જેટલા જૂનિયર આર્ટિસ્ટ અને 70 થી વધારે ડાન્સર મળીને 200 લોકોની બે મહિનાની મહેનતના અંતે લેન્સ એન્ડ લાઈટ્સ સ્ટુડિયો નિર્મિત ગણપતિ બાપ્પા મોરિયા સોંગ બન્યું હતું. જેના સેટ ડિઝાઇનર તરીકે હાર્દિક પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રણવ મહંત, શૈલેષ સોલંકી અને જિમિલ શાહે સ્વરબદ્ધ કરાયેલા ગીતને ગાયક સૌમિલ સોલંકીએ અવાજ આપ્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન ઘરોમાં સ્થાપિત બાપ્પાની મૂર્તિઓ તેમજ વિવિધ પંડાળો અને ગણેશ મંડળો માટે આ ગીત વિશેષરૂપે સમર્પિત કરાયું છે. વડોદરાથી શરૂ થયેલી આ કલાત્મક સફર હવે દેશ-વિદેશના તમામ ગુજરાતીઓને ગણેશ ઉત્સવ પર ઝૂમવા માટે મજબૂર કરશે તેવું અમારું માનવું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward