android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BSP: સસરા અશોક સિદ્ધાર્થ રાજનીતિમાંથી સંન્યાસ લે પછી જ આકાશને..માયાવતીએ કરી ઓફર
calendar_today September 9, 2026

BSP: સસરા અશોક સિદ્ધાર્થ રાજનીતિમાંથી સંન્યાસ લે પછી જ આકાશને..માયાવતીએ કરી ઓફર

આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને બસપા સુપ્રીમો માયાવતી ખૂબ જ સક્રિય અને 'એક્શન મોડ'માં છે. તેઓ પાર્ટીના નેતાઓ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે અને તેમના ભત્રીજા આકાશ આનંદથી અત્યંત નારાજ છે. માયાવતી આકાશથી કેમ છે નારાજ ? માયાવતીના મતે આનું કારણ આકાશના સસરા અશોક સિદ્ધાર્થ છે. તેમણે આ બાબતે 'X' પર એક વિગતવાર નિવેદન પોસ્ટ કર્યું છે, જેમાં અશોક સિદ્ધાર્થને રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનું કહ્યું છે.  તેઓ કહે છે કે, તે પછી જ આકાશ અસરકારક રીતે કામ કરવા માટે મુક્ત થશે, અને પાર્ટી તેમની જવાબદારીઓ પુનઃસ્થાપિત કરવાનું વિચારશે.માયાવતી લખે છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે. બસપા અને બહુજન ચળવળ માટે, આ ત્રણ રાજ્યો ફક્ત મહત્વપૂર્ણ નથી પણ ખરેખર ખાસ છે.  તેઓ આત્મસન્માન અને ગૌરવના કાફલાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બહુજન સમાજને શોષિત વર્ગમાંથી શાસક વર્ગમાં પરિવર્તિત કરવાની કલ્પના કરાયેલ યાત્રા. આને ધ્યાનમાં રાખીને બધા સ્તરે બસપાના કાર્યકરો, પદાધિકારીઓ, સમર્થકો અને શુભેચ્છકો સત્તા મેળવવાના મિશન માટે પૂરા દિલથી સમર્પિત છે, શરીર, મન અને સંસાધનોનું દરેક શક્ય બલિદાન આપી રહ્યા છે.પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે- બસપા સુપ્રીમો બસપા સુપ્રીમો આગળ લખે છે કે જ્યારે બહુજન સમાજ, બસપા અને બહુજન ચળવળ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને અનામત અને હરીફ પક્ષો અને જાતિવાદી તત્વોના વિરોધ જેવા મુદ્દાઓ જે બાબાસાહેબના યુગ દરમિયાનના સંઘર્ષોની યાદ અપાવે છે. ત્યારે બસપા (રાષ્ટ્રની સાર્વત્રિક રીતે માન્યતા પ્રાપ્ત આંબેડકરવાદી પાર્ટી) સમાજના તમામ વર્ગોને સહયોગની અપીલ કરે છે. આ સંદર્ભમાં બહુજન સમાજના સભ્યો ખાસ કરીને દલિત સમુદાયએ વ્યક્તિગત અથવા પારિવારિક સ્વાર્થ દ્વારા સંચાલિત કોઈપણ ક્રિયાઓમાં સામેલ થવું જોઈએ નહીં જે અવરોધો ઉભા કરી શકે, નહીં તો ઇતિહાસ તેમને અક્ષમ્ય ગણશે.અશોક સિદ્ધાર્થને માયાવતીએ સંભળાવ્યું માયાવતીએ જણાવ્યું હતું કે બસપાનું ટોચનું નેતૃત્વ વ્યક્તિઓને પક્ષમાં પાછા લાવતી વખતે તેમના વર્તનને ધ્યાનમાં રાખીને આ પરિબળોને કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ રહ્યું છે. આ માર્ગમાં સહેજ પણ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએસપી રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થ આનું એક મુખ્ય ઉદાહરણ છે.પાર્ટીના વડાએ જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને પોતાના માર્ગો સુધારવા માટે માત્ર એક નહીં, પરંતુ અનેક તકો આપી હતી.  જોકે તેમણે પાર્ટીના મિશન કરતાં પોતાના અંગત અને પારિવારિક હિતો અને મહત્વાકાંક્ષાઓને પ્રાથમિકતા આપી હતી. તેમને અને તેમના જમાઈ આકાશ આનંદ બંનેને આના પરિણામો ભોગવવા પડ્યા છે.આખરે પોતાના અંગત હિતો પૂરા કરવા માટે, તેમણે ક્યારેય આકાશ આનંદ કે બીએસપી ચળવળના કલ્યાણની ખરેખર પરવા કરી નથી. છતાં અશોક સિદ્ધાર્થે પક્ષ અને સમાજ પ્રત્યે બલિદાન અને સમર્પણનું એક એવું ઉદાહરણ બેસાડવું જોઈતું હતું જે અન્ય કરતા ઘણું આગળ નીકળી ગયું હોય. તેના બદલે, બરાબર વિપરીત બન્યું છે.અશોક સિદ્ધાર્થ પાસે હજુ પણ તક પોસ્ટમાં આગળ નોંધવામાં આવ્યું છે કે, પક્ષ અને ચળવળના હિતોને ધ્યાનમાં રાખીને - તેમજ પોતાના પરિવાર અને જમાઈ આકાશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને - અશોક સિદ્ધાર્થ પાસે હજુ પણ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને બાજુ પર રાખવા, વ્યક્તિગત હિતોથી ઉપર ઉઠવા અને રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાની તક છે. ત્યારે જ આકાશ માટે પક્ષમાં મુક્તપણે કામ કરવાનું શક્ય બનશે. ત્યારે જ પક્ષ સહાનુભૂતિપૂર્વક તેમની જવાબદારીઓ પુનઃસ્થાપિત કરવાનું વિચારશે, જેનાથી તેઓ ફરી એકવાર સક્રિય ભૂમિકા ભજવી શકશે - આ લાગણી પક્ષ દ્વારા પણ સામાન્ય રીતે વ્યક્ત કરવામાં આવી છે.

Read Full Story arrow_forward
Brahmosને વધુ શક્તિશાળી બનાવશે ભારત-રશિયા, મોદી-પુતિન વચ્ચે દિલ્હીમાં બેઠક
calendar_today September 9, 2026

Brahmosને વધુ શક્તિશાળી બનાવશે ભારત-રશિયા, મોદી-પુતિન વચ્ચે દિલ્હીમાં બેઠક

Delhiમાં આગામી કેટલાક દિવસોમાં ભારે ગતિવિધિઓ જોવા મળશે. BRICS સમિટ માટે રશિયા અને ચીન સહિત અનેક મોટા દેશોના નેતાઓ દિલ્હી પહોંચવાના છે. જોકે, સૌની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર છે. પુતિનના દિલ્હી પ્રવાસ દરમિયાન હથિયારો અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રશિયા પોતાની સાથે નવી પેઢીનું જેટ એન્જિન પણ લાવી રહ્યું છે. આ ઉપરાંત ઘાતક બ્રહ્મોસ મિસાઇલને વધુ અપગ્રેડ કરવાની યોજના પર પણ વિચારણા થઈ રહી છે.બ્રહ્મોસ મિસાઇલને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારીવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલાં ભારત અને રશિયાએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને અપગ્રેડ કરવાની તૈયારીના સંકેત આપ્યા છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે.પુતિનના પ્રવક્તાએ શું કહ્યું?રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે કહ્યું કે, ભારત અને રશિયા મળીને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ઉત્પાદન કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આ મિસાઇલને વધુ સારી બનાવવામાં આવે. તેમાં કેટલીક નવી ક્ષમતાઓ પણ ઉમેરવામાં આવે. BRICS શિખર સંમેલન 2026નું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે અને તે 12-13 સપ્ટેમ્બરે યોજાશે.બ્રહ્મોસ મિસાઇલમાં શું ફેરફાર થશે?પેસ્કોવે જણાવ્યું કે બંને દેશ બ્રહ્મોસ મિસાઇલમાં નવી સુવિધાઓ અને વધારાની ક્ષમતાઓ ઉમેરવા માટે કામ કરી શકે છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાની સાથે વૈશ્વિક હથિયાર બજારમાં તેની સ્પર્ધા વધારવાનો છે. બ્રહ્મોસ ભારત અને રશિયાનો સંયુક્ત સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય તેવા અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.દિલ્હી ખાતે મોદી-પુતિનની મુલાકાતવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત શુક્રવારે નવી દિલ્હીમાં BRICS સંમેલન દરમિયાન થવાની છે. ખાસ વાત એ છે કે લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે.ભારત માટે બ્રહ્મોસ કેમ મહત્વની છે?બ્રહ્મોસ ભારતની સૌથી મહત્વપૂર્ણ સંયુક્ત સંરક્ષણ પરિયોજનાઓમાંથી એક છે. તેની ઝડપી સુપરસોનિક ગતિ, ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા અને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની સુવિધા તેને મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. હવે બંને દેશો તેને નવી પેઢીની ક્ષમતાઓ સાથે વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.રશિયા હજુ પણ ભારતનો મોટો હથિયાર સપ્લાયરSIPRIના આંકડા મુજબ, 2021થી 2025 દરમિયાન ભારતના મોટા હથિયારોની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 40 ટકા રહ્યો હતો. આ પહેલાંના પાંચ વર્ષમાં રશિયાનો હિસ્સો લગભગ 51 ટકા હતો. એટલે કે ભારતે હથિયારો માટે રશિયા પરની પોતાની નિર્ભરતા ઘટાડી છે. જોકે, બ્રહ્મોસ જેવા સંયુક્ત પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધોને દર્શાવે છે.મોદી-પુતિનની મુલાકાત પર સૌની નજરહવે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર રહેશે. આ મુલાકાત દરમિયાન બ્રહ્મોસના અપગ્રેડ ઉપરાંત નવી સંરક્ષણ ટેક્નોલોજી, સંયુક્ત ઉત્પાદન અને ભવિષ્યમાં ભારત-રશિયા વચ્ચેના સંરક્ષણ સહયોગ અંગે મહત્વના નિર્ણયો સામે આવી શકે છે.આ પણ વાંચો:  ફિલિપાઈન્સ બાદ હવે થાઈલેન્ડ પણ ખરીદશે 'બ્રહ્મોસ' મિસાઈલ

Read Full Story arrow_forward
Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?
calendar_today September 9, 2026

Bhavnagar News: મેળામાં મફત રાઈડ્સની મોજ માણતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું?

રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધોભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSIઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડઆ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસજેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા

Read Full Story arrow_forward