android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: જમવાનું પીરસતી પત્નીને પેટ્રોલ છાંટીને સળગાવી, હત્યા કેસમાં ભરૂચ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
calendar_today September 9, 2026

Bharuch News: જમવાનું પીરસતી પત્નીને પેટ્રોલ છાંટીને સળગાવી, હત્યા કેસમાં ભરૂચ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. જ્યા પતિ અને પત્ની વચ્ચે ઘર ચલાવવા માટેના ખર્ચને લઈને અવારનવાર ઉગ્ર દલીલો અને ઝઘડા થતા હતા. પતિ આસિફ સીતપોણીયા પોતાની પત્નીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, તેમજ નાની-નાની બાબતોમાં અસભ્ય ભાષામાં અપશબ્દો બોલીને હેરાન-પરેશાન કરતો હતો.જમવાનું પીરસતી વખતે જ ક્રૂરતાની તમામ હદો વટાવીઆ વિવાદે એક દિવસ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની પોતાના પતિ માટે પ્રેમથી જમવાનું કાઢી રહી હતી, તે જ સમયે ઉશ્કેરાયેલા પતિ આસિફ સીતપોણીયાએ રાક્ષસી માનસિકતા દર્શાવી હતી. તેણે પત્ની પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. આ કાળજું કંપાવી દેતી ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું.2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયોઆ સનસનાટીભર્યા હત્યાકાંડ સંદર્ભે વર્ષ 2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ આસિફ સીતપોણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વાગરા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તમામ જરૂરી પુરાવા એકત્રિત કરીને આરોપી વિરુદ્ધ અદાલતમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.અદાલતમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરાયાઆ કેસ ભરૂચની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે જે. જે. પરમાર હાજર રહ્યા હતા. તેમણે કેસની સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. આ સિવાય બનાવ નજરે જોનારા સાક્ષીઓના મહત્વના નિવેદનો અને વૈજ્ઞાનિક તથા તબીબી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર કર્યો હતો.ભરૂચ કોર્ટે સંભળાવ્યો આજીવન કેદ અને દંડનો ચુકાદોકેસની આખરી સુનાવણી બાદ 5th એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ પી. એમ. સોનીએ તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપી આસિફ સીતપોણીયાને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

Read Full Story arrow_forward
Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત
calendar_today September 9, 2026

Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી પસાર થતાં રસ્તા પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલ અચાનક ચાલકના કાબૂ બહાર જતાં રેલવે બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને બાઇકનો આગળનો ભાગ તૂટીને કેટલાય ફૂટ દૂર જઈને પડ્યો હતો.નર્મદા જિલ્લામાં કાળજું કંપાવનારો અકસ્માતબ્રિજની દીવાલ સાથે જોરદાર ટક્કર વાગતાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ નર્મદા જિલ્લાના જ ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઝરવાણી ગામના વતની હતા. એકસાથે ગામના બે વ્યક્તિઓના અકસ્માતમાં મોત થતાં ઝરવાણી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં 2 ના કરુણ મોતઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે અથડાઈ.ગરુડેશ્વરના ઝરવાણી ગામના બે યુવકો/વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત.તિલકવાડા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતદેહો પીએમ અર્થે મોકલ્યા.આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

Read Full Story arrow_forward
NIAની સ્પષ્ટતા, મેથ્યુ વેન ડાઈક કેસમાં UAPA તપાસ હજુ ચાલુ
calendar_today September 9, 2026

NIAની સ્પષ્ટતા, મેથ્યુ વેન ડાઈક કેસમાં UAPA તપાસ હજુ ચાલુ

American નાગરિક મેથ્યુ એરોન વેન ડાઈક અને છ યુક્રેનિયન નાગરિકો સાથે જોડાયેલા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સ્થિતિ સ્પષ્ટ કરી છે. NIAએ કહ્યું છે કે આતંકવાદ સાથે જોડાયેલી તપાસ બંધ કરવામાં આવી નથી. સાતેય આરોપીઓ સામે UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. માર્ચ 2026માં આ તમામની UAPAની કલમ 18 સહિત અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેઓ મ્યાનમારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને જાતીય સશસ્ત્ર જૂથોને ડ્રોન યુદ્ધની તાલીમ આપવા સાથે જોડાયેલા હતા.180 દિવસની કાયદેસરની સમયમર્યાદા પૂરી થવા પહેલા ચાર્જશીટNIAના જણાવ્યા અનુસાર, હાલ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ (IFA) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ થયેલા ગુનાઓ અંગેની તપાસમાં અત્યાર સુધી પૂરતા તથ્યો સામે આવ્યા હોવાથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની ન્યાયિક કસ્ટડીની 180 દિવસની કાયદેસરની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી હતી. તેથી સમયમર્યાદા પૂરી થાય તે પહેલા NIAએ તપાસમાં અત્યાર સુધી સાબિત થયેલા ગુનાઓ અંગે ચાર્જશીટ દાખલ કરી છે.UAPA હેઠળ તપાસ હજુ પણ ચાલુNIAએ સ્પષ્ટ કર્યું છે કે આને મોટી તપાસનો અંત અથવા UAPA હેઠળ કેસ બંધ થયો હોવાનું માનવું નહીં. UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. કાયદા મુજબ ચાર્જશીટ દાખલ થયા પછી પણ આગળની તપાસ કરી શકાય છે. જો નવા પુરાવા મળે તો સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરી શકાય છે. તેથી હાલની IFA ચાર્જશીટમાં UAPAની કલમોનો સમાવેશ ન થયો હોવાનો અર્થ એ નથી કે આતંકવાદ સાથે જોડાયેલા આરોપોની તપાસ બંધ કરી દેવામાં આવી છે.અમેરિકન રાજદ્વારીઓના સંપર્ક અંગે પણ NIAની સ્પષ્ટતામેથ્યુ વેન ડાઈક અમેરિકન નાગરિક હોવાથી તેના કેસમાં અમેરિકન રાજદ્વારીઓના સંપર્કમાં આવવાને પણ NIAએ સામાન્ય રાજદ્વારી પ્રક્રિયા ગણાવી છે. કોઈ દેશનો નાગરિક વિદેશમાં ધરપકડ થાય ત્યારે તે દેશનું રાજદ્વારી મિશન સામાન્ય રીતે પોતાના નાગરિક માટે કાઉન્સ્યુલર એક્સેસ, કાયદાકીય મદદ, યોગ્ય વ્યવહાર અને જરૂરી અન્ય સહાયની માંગ કરે છે. કાઉન્સ્યુલર એક્સેસની વ્યવસ્થા વિયેના કન્વેન્શન હેઠળ પણ માન્ય છે.NIAએ કહ્યું- આતંકવાદના આરોપોની તપાસ બંધ નથીNIAનું કહેવું છે કે સમગ્ર મામલાની સ્થિતિ સ્પષ્ટ છે. IFA હેઠળ ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, પરંતુ UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. એટલે આતંકવાદ સાથે જોડાયેલા આરોપોની તપાસ પાછી ખેંચવામાં આવી નથી અને કેસનો આ ભાગ બંધ કરવામાં આવ્યો નથી.આ પણ વાંચો: American નાગરિક સહિત 7 વિદેશીઓ સામે NIAની ચાર્જશીટ, UAPAની કલમો હટાવાઈ

Read Full Story arrow_forward