android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ
calendar_today September 9, 2026

Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેપારી મથક એવા રાજપારડી ખાતે આજે સવારે સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. રાજપારડીમાં આવેલી 'પિયુષ એજન્સી' નામની હોલસેલની દુકાનના માલિકે સવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. દરમિયાન એક અજાણ્યો શખ્સ સિગારેટ લેવાના બહાને દુકાને આવ્યો હતો. દુકાનદાર કોઈ કામ અર્થે પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા તે જ ક્ષણનો લાભ ઉઠાવીને આ ચાલાક ગઠીયો દુકાનમાં રાખેલી રૂ. 15 લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈને ક્ષણવારમાં ગાયબ થઈ ગયો હતો.ભરૂચના ઝઘડિયામાં દિલધડક ચોરીદુકાનદાર બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે કાઉન્ટર પરથી 15 લાખ ભરેલી રોકડ બેગ ગાયબ જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તસ્કરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચોંકાવનારી બાબત એ છે કે રાજપારડીની આ જ ‘પિયુષ એજન્સી’માં ચોરીનો આ કોઈ પહેલો બનાવ નથી. બરાબર એક મહિના અગાઉ પણ આ દુકાનમાંથી રૂ. 98,000 ની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એક જ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એક વાર આ જ દુકાનને નિશાન બનાવી રૂ. ૧૫ લાખની મોટી મત્તાની ઉઠાંતરી કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓમાં ભારે ફાળ પડી છે.પિયુષ એજન્સીમાંથી 15 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીઘટનાની જાણ થતાં જ રાજપારડી અને ઝઘડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાન તથા આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચાલાક તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનદાર બાથરૂમમાં ગયા અને તસ્કર 15 લાખની રોકડ બેગ લઈ પલાયન થયો. 'પિયુષ એજન્સી'માં 1 મહિના પહેલાં પણ ₹98 હજારની ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું સગડ મેળવવા પોલીસની કવાયત.આ પણ વાંચો: Surat: પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદ; કૌભાંડ ખુલ્લું પડતાં મચ્યો ખળભળાટ

Read Full Story arrow_forward
Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત
calendar_today September 9, 2026

Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બની રહેલા એલિવેટેડ કોરિડોરના કામમાં વિલંબને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આશરે 4.03 કિલોમીટર લાંબો આ કોરિડોર એસ જી હાઈવે પર બની રહ્યો છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રિપોર્ટ મુજબ પ્રોજેક્ટની મૂળ પૂર્ણતાની સમયમર્યાદા જૂન 2026 રાખવામાં આવી હતી. જોકે, કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી.ત્રણ વખત મુદત વધારવામાં આવીપ્રોજેક્ટની કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત મુદત વધારવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. શરૂઆતમાં 1 જૂન, ત્યારબાદ 1 ઓગસ્ટ અને હવે કામગીરી દિવાળી બાદ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે એસજી હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોની મુશ્કેલીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.કરોડોના પ્રોજેક્ટનું કામ હજુ અધૂરુંઇસ્કોન થી સાણંદ ચોકડી સુધી બની રહેલા બ્રીજમાં કામગીરી બાકી હોવાના કારણે સતત તેની પૂર્ણતા માટે તારીખ પે તારીખ ચાલી રહ્યું છે.. કામગીરી જૂનમાં પૂર્ણ થવાની પહેલી મુદત હતી જે બાદ મુદત વધારી ઓગસ્ટ કરવામાં આવી અને હવે આ મુદત દિવાળી સુધીની થઈ ગઈ છે.. જેને લઈને પણ સવાલ ઉઠ્યા છેભારે વરસાદ બાદ સર્વિસ રોડની સ્થિતિ સામે આવીતાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદ બાદ એસજી હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાવાની સાથે કેટલાક સ્થળોએ રસ્તો ધોવાઈ જવાની સ્થિતિ જોવા મળી હોવાના આક્ષેપો થયા છેબ્રિજનું કામ અધૂરું, ટ્રાફિકનો ભાર કોના માથે?ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના મહત્વના માર્ગ પર બાંધકામની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની સીધી અસર પડી રહી છે. રોજિંદા કામકાજ, વ્યવસાય અને અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે અધૂરું કામ માત્ર પ્રોજેક્ટની સમસ્યા નથી, પરંતુ રોજની મુશ્કેલી બની ગયું છે..વાહનચાલકોને મુશ્કેલીખાસ કરીને નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા સર્વિસ રોડના કેટલાક ભાગોમાં ખાડા અને નુકસાનને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ બાદ રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેના સર્વિસ રોડના કેટલાક ભાગોમાં પાણી ભરાવા, ખાડા અને રસ્તાને નુકસાન થવાના આક્ષેપો પણ થયા છે. જેના પગલે રસ્તાની ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.કોન્ટ્રાક્ટરની કામગીરી સામે તપાસની માગઆ સમગ્ર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સર્વિસ રોડના બાંધકામમાં નબળી ગુણવત્તા હોય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટર નક્કી કરવી જોઈએ અને ટેન્ડરની જોગવાઈ મુજબ રસ્તાનું રિપેરિંગ કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવું જોઈએ.વધારાના કામની મંજૂરી કોણે આપી ડૉ. દોશીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રોડને થયેલા નુકસાનની જવાબદારી નક્કી કર્યા વિના આશરે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે સિમેન્ટ કોંક્રિટનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ વધારાના કામની મંજૂરી કોણે આપી અને કયા સંજોગોમાં નિર્ણય લેવાયો તે અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે.અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલકોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મૂળ ટેન્ડરની જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવાને બદલે વધારાનું કામ આપવાથી કોન્ટ્રાક્ટરને નાણાકીય લાભ થઈ શકે છે. આ નિર્ણયમાં નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ અગાઉના કામની ગુણવત્તા, સર્વિસ રોડને થયેલું નુકસાન, રિપેરિંગની જવાબદારી અને વધારાના સિમેન્ટ કોંક્રિટ રોડના કામની મંજૂરી—આ તમામ મુદ્દાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરવા માગહવે જોવાનું એ રહેશે કે નેશનલ હાઈવે વિભાગ અને સરકાર આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને એલિવેટેડ કોરિડોરનું બાકી કામ ક્યારે પૂર્ણ થાય છે. મહત્વનું એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ મહત્વના કોરિડોરને વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે..  આ પણ વાંચો  :      Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Bharuch News: જમવાનું પીરસતી પત્નીને પેટ્રોલ છાંટીને સળગાવી, હત્યા કેસમાં ભરૂચ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
calendar_today September 9, 2026

Bharuch News: જમવાનું પીરસતી પત્નીને પેટ્રોલ છાંટીને સળગાવી, હત્યા કેસમાં ભરૂચ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. જ્યા પતિ અને પત્ની વચ્ચે ઘર ચલાવવા માટેના ખર્ચને લઈને અવારનવાર ઉગ્ર દલીલો અને ઝઘડા થતા હતા. પતિ આસિફ સીતપોણીયા પોતાની પત્નીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, તેમજ નાની-નાની બાબતોમાં અસભ્ય ભાષામાં અપશબ્દો બોલીને હેરાન-પરેશાન કરતો હતો.જમવાનું પીરસતી વખતે જ ક્રૂરતાની તમામ હદો વટાવીઆ વિવાદે એક દિવસ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની પોતાના પતિ માટે પ્રેમથી જમવાનું કાઢી રહી હતી, તે જ સમયે ઉશ્કેરાયેલા પતિ આસિફ સીતપોણીયાએ રાક્ષસી માનસિકતા દર્શાવી હતી. તેણે પત્ની પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. આ કાળજું કંપાવી દેતી ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું.2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયોઆ સનસનાટીભર્યા હત્યાકાંડ સંદર્ભે વર્ષ 2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ આસિફ સીતપોણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વાગરા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તમામ જરૂરી પુરાવા એકત્રિત કરીને આરોપી વિરુદ્ધ અદાલતમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.અદાલતમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરાયાઆ કેસ ભરૂચની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે જે. જે. પરમાર હાજર રહ્યા હતા. તેમણે કેસની સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. આ સિવાય બનાવ નજરે જોનારા સાક્ષીઓના મહત્વના નિવેદનો અને વૈજ્ઞાનિક તથા તબીબી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર કર્યો હતો.ભરૂચ કોર્ટે સંભળાવ્યો આજીવન કેદ અને દંડનો ચુકાદોકેસની આખરી સુનાવણી બાદ 5th એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ પી. એમ. સોનીએ તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપી આસિફ સીતપોણીયાને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

Read Full Story arrow_forward