Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી પસાર થતાં રસ્તા પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલ અચાનક ચાલકના કાબૂ બહાર જતાં રેલવે બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને બાઇકનો આગળનો ભાગ તૂટીને કેટલાય ફૂટ દૂર જઈને પડ્યો હતો.નર્મદા જિલ્લામાં કાળજું કંપાવનારો અકસ્માતબ્રિજની દીવાલ સાથે જોરદાર ટક્કર વાગતાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ નર્મદા જિલ્લાના જ ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઝરવાણી ગામના વતની હતા. એકસાથે ગામના બે વ્યક્તિઓના અકસ્માતમાં મોત થતાં ઝરવાણી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં 2 ના કરુણ મોતઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે અથડાઈ.ગરુડેશ્વરના ઝરવાણી ગામના બે યુવકો/વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત.તિલકવાડા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતદેહો પીએમ અર્થે મોકલ્યા.આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ
Read Full Story arrow_forward