android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત
calendar_today September 9, 2026

Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી પસાર થતાં રસ્તા પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલ અચાનક ચાલકના કાબૂ બહાર જતાં રેલવે બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના કૂચેકૂચા નીકળી ગયા હતા અને બાઇકનો આગળનો ભાગ તૂટીને કેટલાય ફૂટ દૂર જઈને પડ્યો હતો.નર્મદા જિલ્લામાં કાળજું કંપાવનારો અકસ્માતબ્રિજની દીવાલ સાથે જોરદાર ટક્કર વાગતાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ નર્મદા જિલ્લાના જ ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઝરવાણી ગામના વતની હતા. એકસાથે ગામના બે વ્યક્તિઓના અકસ્માતમાં મોત થતાં ઝરવાણી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં 2 ના કરુણ મોતઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે અથડાઈ.ગરુડેશ્વરના ઝરવાણી ગામના બે યુવકો/વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત.તિલકવાડા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી મૃતદેહો પીએમ અર્થે મોકલ્યા.આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ

Read Full Story arrow_forward
NIAની સ્પષ્ટતા, મેથ્યુ વેન ડાઈક કેસમાં UAPA તપાસ હજુ ચાલુ
calendar_today September 9, 2026

NIAની સ્પષ્ટતા, મેથ્યુ વેન ડાઈક કેસમાં UAPA તપાસ હજુ ચાલુ

American નાગરિક મેથ્યુ એરોન વેન ડાઈક અને છ યુક્રેનિયન નાગરિકો સાથે જોડાયેલા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સ્થિતિ સ્પષ્ટ કરી છે. NIAએ કહ્યું છે કે આતંકવાદ સાથે જોડાયેલી તપાસ બંધ કરવામાં આવી નથી. સાતેય આરોપીઓ સામે UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. માર્ચ 2026માં આ તમામની UAPAની કલમ 18 સહિત અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેઓ મ્યાનમારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને જાતીય સશસ્ત્ર જૂથોને ડ્રોન યુદ્ધની તાલીમ આપવા સાથે જોડાયેલા હતા.180 દિવસની કાયદેસરની સમયમર્યાદા પૂરી થવા પહેલા ચાર્જશીટNIAના જણાવ્યા અનુસાર, હાલ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ (IFA) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ થયેલા ગુનાઓ અંગેની તપાસમાં અત્યાર સુધી પૂરતા તથ્યો સામે આવ્યા હોવાથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની ન્યાયિક કસ્ટડીની 180 દિવસની કાયદેસરની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી હતી. તેથી સમયમર્યાદા પૂરી થાય તે પહેલા NIAએ તપાસમાં અત્યાર સુધી સાબિત થયેલા ગુનાઓ અંગે ચાર્જશીટ દાખલ કરી છે.UAPA હેઠળ તપાસ હજુ પણ ચાલુNIAએ સ્પષ્ટ કર્યું છે કે આને મોટી તપાસનો અંત અથવા UAPA હેઠળ કેસ બંધ થયો હોવાનું માનવું નહીં. UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. કાયદા મુજબ ચાર્જશીટ દાખલ થયા પછી પણ આગળની તપાસ કરી શકાય છે. જો નવા પુરાવા મળે તો સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરી શકાય છે. તેથી હાલની IFA ચાર્જશીટમાં UAPAની કલમોનો સમાવેશ ન થયો હોવાનો અર્થ એ નથી કે આતંકવાદ સાથે જોડાયેલા આરોપોની તપાસ બંધ કરી દેવામાં આવી છે.અમેરિકન રાજદ્વારીઓના સંપર્ક અંગે પણ NIAની સ્પષ્ટતામેથ્યુ વેન ડાઈક અમેરિકન નાગરિક હોવાથી તેના કેસમાં અમેરિકન રાજદ્વારીઓના સંપર્કમાં આવવાને પણ NIAએ સામાન્ય રાજદ્વારી પ્રક્રિયા ગણાવી છે. કોઈ દેશનો નાગરિક વિદેશમાં ધરપકડ થાય ત્યારે તે દેશનું રાજદ્વારી મિશન સામાન્ય રીતે પોતાના નાગરિક માટે કાઉન્સ્યુલર એક્સેસ, કાયદાકીય મદદ, યોગ્ય વ્યવહાર અને જરૂરી અન્ય સહાયની માંગ કરે છે. કાઉન્સ્યુલર એક્સેસની વ્યવસ્થા વિયેના કન્વેન્શન હેઠળ પણ માન્ય છે.NIAએ કહ્યું- આતંકવાદના આરોપોની તપાસ બંધ નથીNIAનું કહેવું છે કે સમગ્ર મામલાની સ્થિતિ સ્પષ્ટ છે. IFA હેઠળ ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, પરંતુ UAPA હેઠળ તપાસ હજુ ચાલુ છે. એટલે આતંકવાદ સાથે જોડાયેલા આરોપોની તપાસ પાછી ખેંચવામાં આવી નથી અને કેસનો આ ભાગ બંધ કરવામાં આવ્યો નથી.આ પણ વાંચો: American નાગરિક સહિત 7 વિદેશીઓ સામે NIAની ચાર્જશીટ, UAPAની કલમો હટાવાઈ

Read Full Story arrow_forward
BSP: સસરા અશોક સિદ્ધાર્થ રાજનીતિમાંથી સંન્યાસ લે પછી જ આકાશને..માયાવતીએ કરી ઓફર
calendar_today September 9, 2026

BSP: સસરા અશોક સિદ્ધાર્થ રાજનીતિમાંથી સંન્યાસ લે પછી જ આકાશને..માયાવતીએ કરી ઓફર

આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને બસપા સુપ્રીમો માયાવતી ખૂબ જ સક્રિય અને 'એક્શન મોડ'માં છે. તેઓ પાર્ટીના નેતાઓ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે અને તેમના ભત્રીજા આકાશ આનંદથી અત્યંત નારાજ છે. માયાવતી આકાશથી કેમ છે નારાજ ? માયાવતીના મતે આનું કારણ આકાશના સસરા અશોક સિદ્ધાર્થ છે. તેમણે આ બાબતે 'X' પર એક વિગતવાર નિવેદન પોસ્ટ કર્યું છે, જેમાં અશોક સિદ્ધાર્થને રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનું કહ્યું છે.  તેઓ કહે છે કે, તે પછી જ આકાશ અસરકારક રીતે કામ કરવા માટે મુક્ત થશે, અને પાર્ટી તેમની જવાબદારીઓ પુનઃસ્થાપિત કરવાનું વિચારશે.માયાવતી લખે છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે. બસપા અને બહુજન ચળવળ માટે, આ ત્રણ રાજ્યો ફક્ત મહત્વપૂર્ણ નથી પણ ખરેખર ખાસ છે.  તેઓ આત્મસન્માન અને ગૌરવના કાફલાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બહુજન સમાજને શોષિત વર્ગમાંથી શાસક વર્ગમાં પરિવર્તિત કરવાની કલ્પના કરાયેલ યાત્રા. આને ધ્યાનમાં રાખીને બધા સ્તરે બસપાના કાર્યકરો, પદાધિકારીઓ, સમર્થકો અને શુભેચ્છકો સત્તા મેળવવાના મિશન માટે પૂરા દિલથી સમર્પિત છે, શરીર, મન અને સંસાધનોનું દરેક શક્ય બલિદાન આપી રહ્યા છે.પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે- બસપા સુપ્રીમો બસપા સુપ્રીમો આગળ લખે છે કે જ્યારે બહુજન સમાજ, બસપા અને બહુજન ચળવળ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને અનામત અને હરીફ પક્ષો અને જાતિવાદી તત્વોના વિરોધ જેવા મુદ્દાઓ જે બાબાસાહેબના યુગ દરમિયાનના સંઘર્ષોની યાદ અપાવે છે. ત્યારે બસપા (રાષ્ટ્રની સાર્વત્રિક રીતે માન્યતા પ્રાપ્ત આંબેડકરવાદી પાર્ટી) સમાજના તમામ વર્ગોને સહયોગની અપીલ કરે છે. આ સંદર્ભમાં બહુજન સમાજના સભ્યો ખાસ કરીને દલિત સમુદાયએ વ્યક્તિગત અથવા પારિવારિક સ્વાર્થ દ્વારા સંચાલિત કોઈપણ ક્રિયાઓમાં સામેલ થવું જોઈએ નહીં જે અવરોધો ઉભા કરી શકે, નહીં તો ઇતિહાસ તેમને અક્ષમ્ય ગણશે.અશોક સિદ્ધાર્થને માયાવતીએ સંભળાવ્યું માયાવતીએ જણાવ્યું હતું કે બસપાનું ટોચનું નેતૃત્વ વ્યક્તિઓને પક્ષમાં પાછા લાવતી વખતે તેમના વર્તનને ધ્યાનમાં રાખીને આ પરિબળોને કાળજીપૂર્વક ધ્યાનમાં લઈ રહ્યું છે. આ માર્ગમાં સહેજ પણ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએસપી રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થ આનું એક મુખ્ય ઉદાહરણ છે.પાર્ટીના વડાએ જણાવ્યું હતું કે પાર્ટીએ તેમને પોતાના માર્ગો સુધારવા માટે માત્ર એક નહીં, પરંતુ અનેક તકો આપી હતી.  જોકે તેમણે પાર્ટીના મિશન કરતાં પોતાના અંગત અને પારિવારિક હિતો અને મહત્વાકાંક્ષાઓને પ્રાથમિકતા આપી હતી. તેમને અને તેમના જમાઈ આકાશ આનંદ બંનેને આના પરિણામો ભોગવવા પડ્યા છે.આખરે પોતાના અંગત હિતો પૂરા કરવા માટે, તેમણે ક્યારેય આકાશ આનંદ કે બીએસપી ચળવળના કલ્યાણની ખરેખર પરવા કરી નથી. છતાં અશોક સિદ્ધાર્થે પક્ષ અને સમાજ પ્રત્યે બલિદાન અને સમર્પણનું એક એવું ઉદાહરણ બેસાડવું જોઈતું હતું જે અન્ય કરતા ઘણું આગળ નીકળી ગયું હોય. તેના બદલે, બરાબર વિપરીત બન્યું છે.અશોક સિદ્ધાર્થ પાસે હજુ પણ તક પોસ્ટમાં આગળ નોંધવામાં આવ્યું છે કે, પક્ષ અને ચળવળના હિતોને ધ્યાનમાં રાખીને - તેમજ પોતાના પરિવાર અને જમાઈ આકાશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને - અશોક સિદ્ધાર્થ પાસે હજુ પણ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને બાજુ પર રાખવા, વ્યક્તિગત હિતોથી ઉપર ઉઠવા અને રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાની તક છે. ત્યારે જ આકાશ માટે પક્ષમાં મુક્તપણે કામ કરવાનું શક્ય બનશે. ત્યારે જ પક્ષ સહાનુભૂતિપૂર્વક તેમની જવાબદારીઓ પુનઃસ્થાપિત કરવાનું વિચારશે, જેનાથી તેઓ ફરી એકવાર સક્રિય ભૂમિકા ભજવી શકશે - આ લાગણી પક્ષ દ્વારા પણ સામાન્ય રીતે વ્યક્ત કરવામાં આવી છે.

Read Full Story arrow_forward