Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ
રાજ્યમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ જાહેર કરેલી યાદી મુજબ, આ નવો આદેશ તારીખ 13 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે.વર્ષ 2012થી લાગુ પ્રતિબંધ 12 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવાયોગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની રજૂઆતોને ધ્યાને રાખીને વર્ષ 2012થી આ પ્રતિબંધ સતત અમલમાં મૂક્યો છે. હવે આ પ્રતિબંધનો સમયગાળો તા. 13 સપ્ટેમ્બર 2026થી લંબાવીને તા. 12 સપ્ટેમ્બર 2027 સુધીનો કરવામાં આવ્યો છે. કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા પર આ હુકમ સંપૂર્ણપણે લાગુ પડશે.ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને સંશોધન સંસ્થાઓના ચોંકાવનારા અહેવાલફૂડ સેફ્ટી કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનોમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, ગુટખા તેમજ પાન મસાલાનું સેવન અત્યંત હાનિકારક અને કેન્સર માટે જવાબદાર છે. તેના સતત સેવનથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.દેશમાં 21 ટકા લોકો ધુમાડા વગરની તમાકુના શિકાર: GATS રિપોર્ટ'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે' (GATS) ના વૈશ્વિક અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાલ 35 ટકા પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાંથી 21 ટકા જેટલા લોકો ધુમાડા વગરની તમાકુ એટલે કે ગુટખા, પાન મસાલા અને ઝરદાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.અલગ-અલગ ઘટકો ભેગા કરીને વેચનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહીતંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે, માત્ર તૈયાર ગુટખા જ નહીં, પરંતુ અલગ-અલગ પેકિંગમાં વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સરકારી આદેશનો ભંગ કરનારા વેપારીઓ કે ઉત્પાદકો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો - Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ
Read Full Story arrow_forward