android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi in Rajya Sabha : કોંગ્રેસના યુવરાજે શીખ સમુદાયનું અપમાન કર્યું, આસામના લોકોનું અપમાન કર્યું : વડાપ્રધાન મોદી
calendar_today February 5, 2026

PM Modi in Rajya Sabha : કોંગ્રેસના યુવરાજે શીખ સમુદાયનું અપમાન કર્યું, આસામના લોકોનું અપમાન કર્યું : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર હું મારી ભાવનાઓને રજૂ કરવાનું સૌભાગ્ય માનું છું. દેશમાં તેજ પ્રગતિમાં વિકાસનું વર્ષ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગને તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળ રહ્યો છે. સાચી દિશામાં તેજ ગતિથી દેશ આગળ વધી રહ્યો છે. આ દેશના ગરીબ અને ખેડૂતો, મહિલાઓ તમામ વિષયોને લઈને ખૂબજ વિસ્તારથી ભારતની પ્રગતિનો એક સ્વર સંસદમાં ગૂંજ્યો છે.કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહારો વડાપ્રધાને વધુમાં કહ્યું કે કાલે જે ઘટના બની તેમાં આ સદનના એક સાંસદ કોંગ્રેસના શાતિર મગજ વાળા યુવરાજે તેમને ગદ્દાર કહ્યા હતાં. અહંકાર તેમનો સાતમા આસમાને પહોંચ્યો છે. કોંગ્રેસને છોડીને અનેક લોકો નીકળ્યા છે. તેમણે બીજાને ગદ્દાર નહીં કહ્યું પણ તેમણે એક શીખનું અપમાન કર્યું છે. કોંગ્રેસના મનમાં શીખો પ્રત્યે નફરત છે. તેઓ આજે ઉભા થઈને કહી શકતા હતાં. તે ગરીમાના અનુરૂપ નહોતુ પણ તેઓ કશું જ ના બોલ્યા. ગદ્દાર શબ્દ સારો નથી. આ દુર્ભાગ્યની વાત છે. આ લોકો કોંગ્રેસને ડૂબાડશે જ. એક તરફ આ દ્રશ્ય છે.બીજી તરફ અમારા સદાનંદજીનું દ્રશ્ય છે. વડાપ્રધાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઈન્દિરા ગાંધીનું ભાષણ યાદ કરાવ્યું વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા ઈન્દિરા ગાંધીના ભાષણને યાદ કરાવતા કહ્યું કે આપણા દેશના એક નેતા હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતાં. ત્યાંથી આવ્યા બાદ તેમણે ખુદ એક ઘટના સંભળાવી. તેમાં તેમણે કહ્યું લાંબા સમય સુધી મારે યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો. તે પહાડી ક્ષેત્રો માટે યોજના બનાવવા તૈયાર નથી. મેં યોજના આયોગમાં કહ્યું અમારા વર્ક્સને જીપની જરૂર નથી પણ ખચ્ચરની જરૂર છે. જેથી ઓછામાં ઓછો સામાન લાવી શકાય પણ મને કહેવામાં આવ્યું કે અમે પૈસા તો જીપ માટે જ આપીશું. કારણ કે ખચ્ચરનો પૈસા આપવાની પોલીસી નથી. હિમાચલમાં રોડ નથી ત્યાં જીપ લઈને કોણ જઈ શકે. યોજના આયોગનું જોર હતું કે કાંતો જીપ કાંતો કંઈ જ નહીં. આ કોંગ્રેસની વરિષ્ઠ નેતા ઈન્દિરા ગાંધીનું ભાષણ છે. આ પણ વાંચો  : Bharat Taxi Launch : દેશની પ્રથમ કો-ઓપરેટિવ કેબ સર્વિસ 'ભારત ટેક્સી' થઈ શરૂ, જાણો શું છે તેની ખાસિયત

Read Full Story arrow_forward
PM Modi in Rajya Sabha live : આપણી પાસે આજે વિશ્વનું મહત્વનું યુવા ટેલેન્ટ પુલ છે, જેની પાસે સંકલ્પ અને સામર્થ્ય છે
calendar_today February 5, 2026

PM Modi in Rajya Sabha live : આપણી પાસે આજે વિશ્વનું મહત્વનું યુવા ટેલેન્ટ પુલ છે, જેની પાસે સંકલ્પ અને સામર્થ્ય છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Mehsana News : વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકની હત્યા, ખુશીઓ શોકમાં ફેરવાઈ
calendar_today February 5, 2026

Mehsana News : વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકની હત્યા, ખુશીઓ શોકમાં ફેરવાઈ

મહેસાણાના ભોયરાવાસ વિસ્તારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન થયેલી એક નજીવી માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક યુવકનું મોત નીપજ્યું છે. વરઘોડામાં ગીતોના તાલે નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં હિંસા ભભૂકી ઉઠી હતી. આ વિવાદમાં ઉશ્કેરાયેલા 6થી વધુ લોકોના ટોળાએ યુવકને નિશાન બનાવી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. લગ્નના મંગળ ગીતો વચ્ચે અચાનક થયેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ખુશીનો માહોલ પળવારમાં ભય અને ચિંતામાં ફેરવાઈ ગયો હતો.મહેસાણા હત્યાકાંડ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. યુવકના મોત સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો પર આભ ફાટ્યું છે અને ભોયરાવાસમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. હાલમાં સ્થાનિક પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Kheda News : મુસ્લિમ અને હિન્દુ કિન્નરો વચ્ચે તકરાર, જમાલદાદા અખાડાએ ધમકી આપતા કઠલાલ પોલીસે ગાડીઓ અટકાવી

Read Full Story arrow_forward