android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઈકને લીધા અડફેટે, રિક્ષાનો વળ્યો કચ્ચરઘાણ
calendar_today February 5, 2026

Surat News: બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઈકને લીધા અડફેટે, રિક્ષાનો વળ્યો કચ્ચરઘાણ

સુરત શહેરના રસ્તાઓ પર ફરી એકવાર 'રફ્તારનો કહેર' જોવા મળ્યો છે. એક બેફામ બનેલા કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ઓટો રિક્ષા અને બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રિક્ષાનો પતરાની જેમ કચ્ચરઘાણ વળી ગયો હતો.કાર ચાલકે ઓટો રિક્ષા અને બાઇકને અડફેટે લીધા પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે રિક્ષામાં ત્રણ મહિલા મુસાફરો સવાર હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં બે મહિલા પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે એક મહિલાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. કારની અડફેટે આવેલા બાઈક ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી, જેને કાર ચાલક પોતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બેફામ બનેલા કાર ચાલકો સામે કાર્યવાહીની માગ સુરતમાં અવારનવાર બનતી હિટ એન્ડ રન અને બેફામ ડ્રાઈવિંગની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોની માંગ છે કે રાત્રિના સમયે કે જાહેર માર્ગો પર સ્પીડ લિમિટનો ભંગ કરનારા અને બેફામ કાર હંકારતા નબીરાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda News : મુસ્લિમ અને હિન્દુ કિન્નરો વચ્ચે તકરાર, જમાલદાદા અખાડાએ ધમકી આપતા કઠલાલ પોલીસે ગાડીઓ અટકાવી
calendar_today February 5, 2026

Kheda News : મુસ્લિમ અને હિન્દુ કિન્નરો વચ્ચે તકરાર, જમાલદાદા અખાડાએ ધમકી આપતા કઠલાલ પોલીસે ગાડીઓ અટકાવી

ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા ઐતિહાસિક 'શ્રી દાદા ગંગારામ અખાડા' પર કબજો મેળવવાના પ્રયાસને લઈ બે જૂથો વચ્ચે ગંભીર વિવાદ છેડાયો છે. આ વિવાદ મુખ્યત્વે મુસ્લિમ કિન્નરો અને હિન્દુ કિન્નરો વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના અખાડાને નિરમૂળ કરી દેવાની અને તેને પોતાના અખાડામાં ભેળવી દેવાની ધમકી આપવામાં આવતા મામલો ગરમાયો છે. સ્થાનિક કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદના જૂથ દ્વારા તેમને ડરાવી-ધમકાવીને અખાડા પર ગેરકાયદેસર રીતે વર્ચસ્વ સ્થાપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.અખાડાના અસ્તિત્વની લડાઈ આ વિવાદની જાણ થતા જ કઠલાલ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદથી કપડવંજ તરફ મોટી સંખ્યામાં આવી રહેલા કિન્નરોના વાહનોના કાફલાને કઠલાલ પોલીસે રસ્તામાં જ અટકાવી દીધો હતો. પોલીસના હસ્તક્ષેપને કારણે સંભવિત ઘર્ષણ ટળ્યું છે, પરંતુ હાલમાં વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અખાડાની પરંપરા અને ધાર્મિક ઓળખને બચાવવા માટે સ્થાનિક કિન્નરો મક્કમ છે, જ્યારે સામી બાજુથી સતત મળી રહેલી ધમકીઓને પગલે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ પણ વાંચો : Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Ahmedabad News: રાણીપ GST બ્રિજ પર અકસ્માત સર્જનાર 'ટેક્સી' શર્મા જેલભેગો
calendar_today February 5, 2026

Ahmedabad News: રાણીપ GST બ્રિજ પર અકસ્માત સર્જનાર 'ટેક્સી' શર્મા જેલભેગો

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા GST બ્રિજ પર ગત 30 જાન્યુઆરીની રાત્રે સર્જાયેલા કરુણ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે મોટી સફળતા મેળવી છે. હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયેલા કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્માની એલ-ટ્રાફિક પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની વિગતો 30 જાન્યુઆરીની મોડી રાત્રે એક દંપતી પોતાના એક્ટિવા પર સવાર થઈને GST બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી GJ 01 WC 0961 નંબરની કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા ચાલક યુવક હવામાં ફંગોળાઈને બ્રિજની નીચે રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવામાં સવાર તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ કાર્યવાહી અકસ્માત સર્જ્યા બાદ કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્મા પોતાની કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ તેજ કરી હતી. અંતે, એલ-ટ્રાફિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ. આ પણ વાંચો - Ahmedabad News : જનતાના આક્રોશ અને 'સંદેશ'ના અહેવાલ સામે તંત્ર ઝૂક્યું, કતલખાનાની દરખાસ્ત ફગાવી દેવાઈ

Read Full Story arrow_forward