android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UP:  ચાઇનીઝ દોરી વેચવા પર જેલની હવા ખાવા તૈયાર રહેજો, મોત થવા પર હવે નોંધાશે હત્યાનો કેસ
calendar_today February 5, 2026

UP: ચાઇનીઝ દોરી વેચવા પર જેલની હવા ખાવા તૈયાર રહેજો, મોત થવા પર હવે નોંધાશે હત્યાનો કેસ

ઉત્તર પ્રદેશમાં પતંગની ડોરી એટલે કે ચાઇનીઝ માંઝાને કારણે થતા અકસ્માતો અને મોતના કિસ્સાઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં ચાઈનીઝ માંઝાના વેચાણ અને ઉપયોગ પર હવે માત્ર પ્રતિબંધ જ નહીં, પરંતુ જો આ માંઝાના કારણે કોઈનું મૃત્યુ થશે, તો તેને 'હત્યા' (IPC/BNS હેઠળ હત્યાની કલમ) ગણવામાં આવશે અને તે મુજબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓને લાલ આંખ તાજેતરમાં લખનૌમાં એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું ચાઈનીઝ માંઝાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મુખ્યમંત્રી અત્યંત નારાજ થયા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સીધો સવાલ કર્યો હતો કે, "જ્યારે રાજ્યમાં પ્રતિબંધ છે, તો બજારમાં આ માંઝા કેવી રીતે પહોંચી રહ્યા છે?" યોગી આદિત્યનાથે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યવ્યાપી દરોડા અને કડક કાર્યવાહી મુખ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તમામ જિલ્લાના પોલીસ વડાઓને પોતપોતાના વિસ્તારમાં સઘન દરોડા પાડવા અને ગેરકાયદેસર સ્ટોક જપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. આ માત્ર દુકાનદારો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આ માંઝાના ઉત્પાદનથી લઈને સપ્લાય કરનારા આખા નેટવર્કને તોડી પાડવા માટે યુપી પોલીસે કમર કસી છે. આઠથી વધુ ગંભીર ઘટનાઓ બની અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં આવી આઠથી વધુ ગંભીર ઘટનાઓ બની છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. લખનૌની તાજી ઘટનામાં યુવાન રસ્તા પર લાંબા સમય સુધી તડપતો રહ્યો હતો, જેણે સમગ્ર વહીવટીતંત્રને હચમચાવી દીધું છે. આ પણ વાંચોઃ Washington પોસ્ટની છટણીમાં ઇશાન થરૂરનું પણ નામ સામેલ, લોકોએ ભીની આંખે લીધી વદાય

Read Full Story arrow_forward
Parliament Budget Session 2026: PM Modiના ભાષણ વિના ધન્યવાદ પ્રસ્તાવ પસાર, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
calendar_today February 5, 2026

Parliament Budget Session 2026: PM Modiના ભાષણ વિના ધન્યવાદ પ્રસ્તાવ પસાર, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

બુધવારી પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપવાના હતા પરંતુ સતત હોબાળાને કારણે સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ચર્ચાઓ એવી થઇ રહી છે કે પીએમ મોદી આજે રાજ્યસભામાં 5 વાગે સંબોધન કરી શકે પરંતુ આ અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. પીએમ મોદીની સ્પીચ વિના જ ધન્યવાદ પ્રસ્તાવ પસાર લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદીના જવાબ વિના જ પસાર કરી દેવાયો છે. પીએમ 4 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે જવાબ આપવાના હતા પરંતુ હોબાળાને કારણે ચર્ચા થઇ શકી ન હતી. પરંતુ આજે પણ હોબાળાને કારણે સ્પીકર ઓમ બિરલાએ પ્રસ્તાવને વોટિંગ માટે મૂક્યો અને ધ્વનિમતથી તેને મંજૂરી આપી દીધી છે.રાજ્યસભામાં પણ રાહુલ ગાંધીને બોલવા ન દેવા અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ કર્યો વિરોધ વર્તમાન બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરાયેલા આઠ લોકસભા સભ્યોએ ગુરુવારે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સંસદના મકર ગેટ પાસે સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદમાં કોર્પોરેશન નહી બનાવે કતલખાનું, કતલખાનાની દરખાસ્ત AMCએ કરી રદ
calendar_today February 5, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં કોર્પોરેશન નહી બનાવે કતલખાનું, કતલખાનાની દરખાસ્ત AMCએ કરી રદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward