Patan: સિદ્ધપુરમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને ત્રણ શખ્સોએ મારતાં ફરિયાદ
સિદ્ધપુર નજીક સરસ્વતી નદી પરનો બ્રિજનું કામ મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર તેમના સહ કર્મીઓ સાથે હદની માપણી કરવા ગયા હતા. તે સમયે ત્રણ શખ્સોએ આવી અમને પુછયા વગર કેમ માપણી કરો છો. કહી ઉશ્કેરાઈ જઈ સહ કર્મીનો મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી અને ઈજનેરને ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં એક નામ જોગ તથા બે અજાણ્યા શખ્સો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર પરેશભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના સહ કર્મીઓ સાથે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના બ્રિજનું કામ મંજૂર થયું હોવાથી. તેની હદની માપણી માટે ગયાં હતાં. જે દરમિયાન મનોહરસિંહ ઉદેસિંહ ઠાકોર તથા અજાણ્યા બે માણસો આવીને ?કામગીરી કરી રહેલા કર્મચારીઓને અમને પુછયા વગર કેમ માપણી કરો છો કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતાં સાથે રહેલા સહ કર્મીએ તેના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવતાં મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી. તેમજ ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં હતાં. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક નામજોગ સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward