android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : કોડીનાર વિમાનસી હત્યા કેસ, મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ, પિતાને પણ સજા
calendar_today February 3, 2026

Gir Somnath News : કોડીનાર વિમાનસી હત્યા કેસ, મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ, પિતાને પણ સજા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વર્ષ 2018માં ધનતેરસના પવિત્ર દિવસે બનેલા અરેરાટીભર્યા વિમાનસી હત્યા કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં આરોપી કશ્યપે વિમાનસી નામની યુવતી પર છરી વડે હિંસક હુમલો કરી, તેને 35 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાએ સમયે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી. અદાલતે તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ આ ક્રૂર ગુના બદલ કશ્યપને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે.પિતાને પણ સજા આ કેસમાં માત્ર કશ્યપ જ નહીં, પરંતુ તેના પિતા વિજય પુરોહિતને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પુત્રના આ પાપમાં સાથ આપવા અને પુરાવાઓ સાથે ચેડાં કરવામાં મદદ કરવા બદલ પિતાને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, આ કેસમાં સંડોવાયેલી અન્ય એક યુવતીને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છે. આ ચુકાદાથી વિમાનસીના પરિવારજનોએ વર્ષો બાદ ન્યાયનો અનુભવ કર્યો છે. આ કેસ એ સાબિત કરે છે કે કાયદો ગમે તેટલો સમય લે, પણ ગુનેગારને તેના કર્મોની સજા જરૂર મળે છે. આ પણ વાંચો : Ahmedabad માં ઘરેલું હિંસા, ગાડીના હપ્તા ભરવા પત્નીને ટોર્ચર કરતા સાસરિયા સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનોના વિંગ ટકરાયા
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનોના વિંગ ટકરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amreli News: ધારાસભ્ય હિરા સોલંકીએ આહીર સમાજના વખાણ કર્યા
calendar_today February 3, 2026

Amreli News: ધારાસભ્ય હિરા સોલંકીએ આહીર સમાજના વખાણ કર્યા

અમરેલી જિલ્લાના રાજૂલા તાલુકાના વાવેરા ગામે કોળી સમાજના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ભક્તિ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઈએ સમાજના ઉત્થાન માટે અન્ય સમાજની સારી બાબતોને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આહીર સમાજની સિસ્ટમ અને બંધારણના વખાણ હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં આહીર સમાજના સમૂહ લગ્નોની વ્યવસ્થા અને તેમના સામાજિક બંધારણના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે,આપણે અન્ય સમાજ પાસેથી ઘણું શીખવાનું છે.ખાસ કરીને આહીર સમાજમાં જે રીતે સમૂહ લગ્નની સિસ્ટમ અને શિસ્તબદ્ધ બંધારણ છે, તેવું જ મજબૂત બંધારણ કોળી સમાજે પણ નક્કી કરવાની જરૂર છે.હીરાભાઈએ સમાજમાં એકતા જાળવી રાખવા હાકલ કરતા ગૌરવ સાથે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોળી સમાજના સમૂહ લગ્નો જાફરાબાદ તાલુકામાં યોજાય છે, જે સમાજની જાગૃતિ અને આર્થિક કરકસરનું પ્રતીક છે.સમૂહ લગ્ન દ્વારા સમાજનો ખોટો ખર્ચ અટકે છે અને પરસ્પર ભાઈચારો વધે છે.

Read Full Story arrow_forward