android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાએ જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનો ગંભીર આરોપ
calendar_today February 3, 2026

Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાએ જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનો ગંભીર આરોપ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પ્રોફેસરે પ્રમોશન માટે મોટો ખેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના સભ્ય ડો. નિદ્દત બારોટે આ મામલે ગંભીર સવાલો ઉભા કર્યા છે જેથી શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો આરોપો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણલિક લાયકાતના નામે ખેલ ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ડો. કમલ મહેતાની RTI બાદ જાણવા મળ્યું છે કે તેમણે 2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો છે, જે 2020 માં અમલમાં આવનારી શિક્ષણ નીતિ છે..2020માં આવનારી નીતિ વિશે 2015માં ખબર પડી? જે શિક્ષણ નીતિ અમલવારી 2020 માં થઈ તે શિક્ષણ નીતિ જાણ અને 2015 માં ડો.કમલ મહેતાએ સંશોધન કેવી રીતે કરી નાંખ્યું તેનો મોટો વિવાદ સામે આવ્યો છે.2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ  આરોપો મુજબ ડો. કમલ મહેતાએ પ્રમોશન મેળવવા જૂની તારીખોમાં પેપર છપાવ્યા છે. 2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ તે સવાલ પુછાઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખુલાસો પુછાયો રાજ્ય સરકાર દ્વારા પણ યુનિવર્સિટીને સમગ્ર મામલે વિગતવાર ખુલાસા આપવા સૂચના આપવામાં આવી છે. આ મામલે ડો. નિદત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ પણ કરી છે.આ પણ વાંચો-----   Gujarat Latest News Live :અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં બેદરકારી સામે આવી, વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં ઈરાદાપૂર્વક કેમિકલ ભેળવ્યું, વિદ્યાર્થી બેભાન

Read Full Story arrow_forward
Anand: ગંભીરા મહિસાગર નદીમાં 25 મુસાફરો ભરેલી નાવડી પલટી, સ્થાનિકોની સતર્કતાથી મોટી હોનારત ટળી
calendar_today February 3, 2026

Anand: ગંભીરા મહિસાગર નદીમાં 25 મુસાફરો ભરેલી નાવડી પલટી, સ્થાનિકોની સતર્કતાથી મોટી હોનારત ટળી

આણંદ અને વડોદરાને જોડતી મહિસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ગંભીરાથી ડબકા તરફ જઈ રહેલી એક નાવડી નદીના મધ્યભાગમાં સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી. નાવડીમાં સવાર 25 જેટલા નોકરિયાતો નદીના પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ સ્થાનિક તરવૈયાઓ અને આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી તમામનો આબાદ બચાવ કર્યો હતો.મહિસાગર નદીમાં મુસાફરો ભરેલી નાવડી પલટીમળતી માહિતી મુજબ, ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ આસપાસના ગામના લોકો અને ખાસ કરીને પાદરા તરફની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો માટે નાવડી જ એકમાત્ર સહારો બની છે. આજે વહેલી સવારે રાબેતા મુજબ 25 જેટલા નોકરિયાતો નાવડીમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. નદીના વહેણ વચ્ચે અચાનક નાવડીએ સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં તે નદીમાં ઊંધી વળી ગઈ હતી.સ્થાનિકો બન્યા દેવદૂતનાવડી પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી. કાંઠા પર હાજર સ્થાનિક લોકો અને અન્ય તરવૈયાઓ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત બાદ પાણીમાં ડૂબી રહેલા તમામ 25 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.બ્રિજ તૂટતા જીવના જોખમે મુસાફરીગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ બંધ કરવામાં આવ્યો હોવાથી, હજારો નોકરિયાતોએ વહેલી સવારે અને સાંજે નોકરી પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે. દરરોજ સેંકડો લોકો જીવના જોખમે આ રીતે નદી પાર કરે છે. આજની આ ઘટનાએ તંત્રની બેદરકારી અને વૈકલ્પિક વ્યવસ્થાના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.આ પણ વાંચો:Bardoli: જેસીબી મશીનથી ખોદકામ વખતે ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, મેઈન લાઈન બંધ કરી તંત્રએ મેળવ્યો કાબૂ

Read Full Story arrow_forward
ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ.. PMને અભિનંદન, NDA સંસદીય દળની બેઠકમાં MODI MODI
calendar_today February 3, 2026

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ.. PMને અભિનંદન, NDA સંસદીય દળની બેઠકમાં MODI MODI

પીએમ મોદીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય NDA સંસદીય બેઠક યોજી.. આ બેઠકમાં બજેટના ફાયદાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક રોડમેપ વિકસાવવામાં આવશે. સાંસદો તેમના મતદારોને બજેટની સકારાત્મક અસરો વિશે માહિતી આપી શકશે.

Read Full Story arrow_forward