android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી
calendar_today January 28, 2026

Gandhinagar News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પવાર જન-જન સાથે જોડાયેલા માણસ હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. રાજ્યપાલે મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Vadodara News : ‘75 વર્ષની ઉંમરે આવું પાણી પીવું?’, ગંદા પાણીથી ત્રાહિમામ વૃદ્ધાએ ઠાલવ્યો આક્રોશ
calendar_today January 28, 2026

Vadodara News : ‘75 વર્ષની ઉંમરે આવું પાણી પીવું?’, ગંદા પાણીથી ત્રાહિમામ વૃદ્ધાએ ઠાલવ્યો આક્રોશ

વડોદરાના વાડી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મામલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વોર્ડ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ વોર્ડ ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો બતાવી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 75 વર્ષના એક વૃદ્ધાએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે વિસ્તારમાં બીમારી ફેલાવવાનો ભય છે, છતાં તંત્ર નિંભર બનીને બેઠું છે.અધિકારી ગેરહાજર રહેતા હંગામો જ્યારે વિરોધ કરવા પહોંચેલા લોકોએ અધિકારીની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારી હાજર ન મળતા મામલો વધુ ગરમાયો હતો. રોષે ભરાયેલા રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીની ચેમ્બર બહાર જ ધરણા શરૂ કરી દીધા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અગ્રણી તીર્થ બ્રહ્મભટ્ટની અટકાયત કરી હતી. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પણ વાંચો : Surat માં ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપાયું, દસ્તાન ગામેથી બિશ્નોઈ ગેંગના 3 સાગરિતોની ધરપકડ

Read Full Story arrow_forward
Ajit Pawar Plane Crash : નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાના સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો, જુઓ Video
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાના સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો, જુઓ Video

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજીત પવારનું પ્લેન ક્રેશ દુઘર્ટનામાં નિધન થયું. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર બારામતી એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. આજે બુધવારના દિવસે વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સ્પેશિયલ જેટ પ્લેનમાં બારામતી નીકળ્યા હતા. સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ પ્લેન લેન્ડિંગ કરવા જતું હતું ત્યાં અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું. બારામતી જઈ રહેલ અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં મોત નિપજયું. આ સમાચાર સામે આવતા મહારાષ્ટ્ર જ નહીં દેશમાં શોકની લહેર છવાઈ. હાલમાં અજીત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચોંકવાનારા દ્રશ્યો સામે આવ્યા છે. પ્લેન ક્રેશ થયાના  સીસીટીવી દ્રશ્યોઅજીત પવારનું પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો બતાવે છે કે પ્લેન લેન્ડિંગ કરવા જતું હતું ત્યારે અચાનક નીચે પટકાયું અને દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાથી ફક્ત મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણ પણ મોટી ઉથલપાથલ મચાવી છે. આગામી સમયમાં દેશમાં થતી ચૂંટણી પર અસર થઈ શકે છે. અજીત પવારના પ્લેન ક્રેશ ઘટનાની તપાસ થશે. આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં 3 દિવસનો શોક જાહેર કર્યો.અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધનમહારાષ્ટ્રના કદાવર નેતા ગણાતા અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. જયાંથી રાજકીય સફરની શરૂઆત કરી હતી તે બારામતી પાસે જ અજીત પવારનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ પ્લેનમાં અજીત પવાર સિહત સવાર તમામ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું. પ્લેનમાં બે પાયલટ સાથે અન્ય મુસાફરો પણ સવાર હતા. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજિત પવારનું અવસાન થયું છે.બારામતી અજીત પવારનો લોકપ્રિય મત વિસ્તારમહારાષ્ટ્ર વિધાનસભાની તેમની પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધી તેમણે બારામતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. NCP નેતા અજીત પવારે કાકા શરદ પવાર સાથે રાજકીય કારર્કિદીના શ્રીગણેશ કર્યા હતા. તેઓ સતત 8 વખત બારામતી બેઠક પરથી વિજેતા બન્યા હતા. અજીત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. સરકાર ભલે અલગ હોય પરંતુ અજીત પવાર 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં અજીત પવારનો સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે જીત મેળવી હતી, જે તેમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ હતી.આ પણ વાંચો : Baramati plane crash : અજિત પવાર અને બારામતી વચ્ચે ત્રણ દાયકા જૂનો સંબંધ, જાણો

Read Full Story arrow_forward