android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઉત્તરાખંડના કેદારનાથ ધામ બરફથી ઢંકાયુ
calendar_today January 28, 2026

ઉત્તરાખંડના કેદારનાથ ધામ બરફથી ઢંકાયુ

રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, હાલમાં મંદિરમાં આશરે 3થી 4 ફૂટ જેટલો બરફ જમાઈ ગયો છે 

Read Full Story arrow_forward
Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત
calendar_today January 28, 2026

Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત

મહારાષ્ટ્રના નાયબમુખ્યમંત્રી અજીત પવારનું બુધવારના દિવસે સવારે નિધન થયું. અજીત પવાર બારામતી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગસ્ત થયું. વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત અન્ય 6 લોકોનું નિધન થયું. અજીત પવાર લીયરજેટ 45 વિમાનમાં સવાર હતા તે બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બિઝનેસ જેટ શ્રેષ્ઠ સુવિધાયુક્ત છે. જાણો  જાણો Learjet 45ની ખાસિયત.

Read Full Story arrow_forward
Budget Session 2026: એ દિવસો દૂર નથી જ્યારે દેશમાંથી આતંકવાદ દૂર થશે, બોલ્યા દ્રૌપદી મુર્મૂ
calendar_today January 28, 2026

Budget Session 2026: એ દિવસો દૂર નથી જ્યારે દેશમાંથી આતંકવાદ દૂર થશે, બોલ્યા દ્રૌપદી મુર્મૂ

સંસદનું બજેટ સત્ર બુધવારથી એટલે કે આજથી શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોને સંબોધન સાથે આ સત્ર શરૂ કર્યુ છે. રાષ્ટ્રપતિએ અભિભાષણથી શરૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ભારતે દરેક ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી છે. સરકારે VB G RAM G બિલ બનાવ્યું છે.  મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ઓપરેશન સિંદૂરમાં સેનાએ આતંકીઓના અડ્ડા તબાહ કર્યા છે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની પ્રગતિની પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે આઇઝોલ રેલ્વે દ્વારા જોડાયેલું છે. દેશનો સૌથી ઊંચો પુલ જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરથી કેરળ સુધી 150 થી વધુ વંદે ભારત બસોનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. વંદે ભારત સ્લીપરનું લોન્ચિંગ એક મોટી સિદ્ધિ છે. સૌરઉર્જા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ભારત- રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને વધારાની આવક પૂરી પાડવા માટે "શ્રી અન્ના" યોજના શરૂ કરી છે. તેને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આજે, ખાદ્ય ઉત્પાદન ઉપરાંત, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને મધમાખી ઉછેર દ્વારા ખેડૂતોને આર્થિક પ્રગતિ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, પરમાણુ ઉર્જા ઉપરાંત, ભારત સૌર ઉર્જા ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજની તારીખમાં, 2 મિલિયન છત પર સૌર ઉર્જા સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પર્ફોમના મંત્ર પર આગળ વધી રહ્યો છે- રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની સ્પેસવોક દેશ માટે એક મોટી સિદ્ધિ છે. તેમણે સમજાવ્યું કે ભારત ગગનયાન મિશન પર સતત કામ કરી રહ્યું છે અને ડિસેમ્બર 2025 માં "પ્રગતિ" નામનો એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેશ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર આગળ વધી રહ્યો છે, જેણે છેલ્લા 11 વર્ષોમાં ભારતની આર્થિક સ્થિતિને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો રેકોર્ડ જાળવી રાખવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ગરીબોને થયો છે. બે તબક્કામાં યોજાશે બજેટ સત્ર આ સત્રને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં બજેટ સહિત અનેક રાજકીય અને જાહેર મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થવાની ધારણા છે સરકારને ઘેરવા માટે વિપક્ષે પહેલેથી જ પોતાની રણનીતિ બનાવી લીધી છે.બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. આ અઠવાડિયા દરમિયાન, સંસદમાં ઘણા મહત્વપૂર્ણ બિલો અને મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.Ajit Pawar Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો

Read Full Story arrow_forward