Ajit Pawar Plane Crash : જાણો અજીત પાવર જે પ્લેનમાં સવાર હતા તે કઈ કંપનીનું હતું...
મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારનું ચાર્ટર્ડ વિમાન બારામતી રનવે પર લેન્ડિંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. તેઓ મુંબઈથી બારામતી ખાતે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ હોનારત સર્જાઈ હતી.મહારાષ્ટ્રમાં શોકનો માહોલ દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન ઓપરેટર VSR નું લિયરજેટ 45 (Learjet 45) હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતો. વિમાનમાં અજિત પવારની સાથે તેમના પી.એસ.ઓ., એક એટેન્ડન્ટ અને બે ક્રૂ મેમ્બર્સ (પાયલટ-ઈન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર) સવાર હતા. લેન્ડિંગ એપ્રોચ દરમિયાન થયેલા આ અકસ્માતે સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે. અજિત પવાર મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા હતા અને છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. હાલ આ અકસ્માત પાછળના ટેકનિકલ કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : સોશિયલ મીડિયા પોસ્ટના અડધા કલાકમાં જ હોનારત, વિમાન દુર્ઘટનાની અંદરની વિગતો
Read Full Story arrow_forward