android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી
calendar_today January 26, 2026

Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.કાર્યક્રમ "વંદે માતરમ" ની 150મી વર્ષગાંઠની થીમ પર આધારિત હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહનું નેતૃત્વ કરશે. સમારોહ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ ચાલશે. કર્તવ્ય પથ પર ભવ્ય કાર્યક્રમની ઉજવણી આ કાર્યક્રમની શરૂઆત PM નરેન્દ્ર મોદી શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્ય મહેમાન રાષ્ટ્રપતિના અંગરક્ષકો દ્વારા એસ્કોર્ટ કરાયેલ પરંપરાગત ગાડીમાં "કર્તવ્ય પથ" પર પહોંચશે. આ વર્ષે એક ખાસ આકર્ષણ ભારતીય સેનાનું પ્રથમ "ફેઝ્ડ બેટલ એરે" પ્રદર્શન હશે. આમાં, ડ્રોન, ટેન્ક અને આર્ટિલરીને એવા યુદ્ધ કવાયત ફોર્મેટમાં બતાવવામાં આવશે જે વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે.PM મોદીએ દેશવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, "મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૌરવનું પ્રતીક, આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. હું ઈચ્છું છું કે વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને." ભારતની 'વિકાસ ગાથા' કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવશે. ભારત 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ દ્વારા તેની પ્રગતિ, 'વંદે માતરમ'ના 150 વર્ષ, તેની વિકાસ યાત્રા, તેની લશ્કરી શક્તિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા દર્શાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 જાન્યુઆરી, 2026 ના રોજ સમારોહની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમનો હેતુ ભારતની પ્રગતિ અને તેના ભાવિ માર્ગને દર્શાવવાનો છે. આ પણ વાંચો: Mann Ki Baat : "મતદાતા બનવું એ જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ, તેની ઉજવણી કરો" PM મોદી

Read Full Story arrow_forward
Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત
calendar_today January 26, 2026

Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

રાજ્યભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ વર્ષે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ ખાતે યોજાઇ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વાવ થરાદ ખાતે પહોંચ્યા છે. વાવ થરાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો વાવ–થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન અને પરેડનો ભવ્ય કાર્યક્રમ પ્રાપ્ત માહિતી મુજબ, વાવ–થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન અને પરેડનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.રાજ્યપાલ અને CM ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું અને CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા. ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ અને CM ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આજના પ્રજાસત્તાક પર્વે સરહદી પંથક તિરંગાના રંગે રંગાયો હતો અને જુદી જુદી કેડરની પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભારે ઉત્સાહ વાવ થરાદ જિલ્લાના લોકોમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકો તથા નાગરિકો ભવ્ય ઉજવણીમાં જોડાયા છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે યોજાનારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં હાજર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે યોજાનારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તમામ કેડરોને ગ્રાઉન્ડ પર સજ્જ કરવામાં આવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે પરેડમાં ભાગ લેનારી તમામ કેડરોને ગ્રાઉન્ડ પર સજ્જ કરવામાં આવી છે. પોલીસ, હોમગાર્ડ, એનસીસી સહિતના દળો દ્વારા પરેડની રિહર્સલ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ રાજ્યભરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો----   Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી

Read Full Story arrow_forward
Republic Day 2026 : આઝાદી બાદ છત્તીસગઢના 41 ગામો પ્રથમ વખત ઉજવશે પ્રજાસત્તાક દિવસ
calendar_today January 26, 2026

Republic Day 2026 : આઝાદી બાદ છત્તીસગઢના 41 ગામો પ્રથમ વખત ઉજવશે પ્રજાસત્તાક દિવસ

જ્યાં ક્યારેક તિરંગો ફરકાવવો પણ જોખમી માનવામાં આવતો હતો, ત્યાં હવે રાષ્ટ્રીય પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ બદલાવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ શાંતિ, વિશ્વાસ અને વિકાસની નવી શરૂઆતનું પ્રતિક છે.માઓવાદના પ્રભાવથી મુક્ત થયેલા 41 ગામોમાં આ વર્ષે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવામાં આવશે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં માઓવાદના પ્રભાવથી મુક્ત થયેલા 41 ગામોમાં આ વર્ષે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવામાં આવશે. આઝાદી બાદ આ પહેલો પ્રસંગ હશે. આ પગલું ‘રેડ ટેરર’ના અંત અને શાંતિ તથા વિકાસની નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. આ 41 ગામોમાંથી 13 ગામો બીજાપુર જિલ્લામાં, 18 નારાયણપુર જિલ્લામાં અને 10 સુકમા જિલ્લામાં આવેલાં છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ ન્યૂઝ એજન્સીને આ માહિતી આપી હતી.સુરક્ષાબળોની સતત કાર્યવાહી, વિકાસ યોજનાઓ અને સ્થાનિક લોકોના સહકારથી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આ તમામ ગામો ઘણા સમય સુધી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવતા હતા. સુરક્ષા કારણો અને ભયના માહોલને કારણે અહીં રાષ્ટ્રીય પર્વોનું આયોજન શક્ય બનતું નહોતું. ઘણા ગામોમાં તો પ્રશાસનની પહોંચ પણ સીમિત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષાબળોની સતત કાર્યવાહી, વિકાસ યોજનાઓ અને સ્થાનિક લોકોના સહકારથી પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે. સરકાર અને સુરક્ષાબળોની પહેલથી આ વિસ્તારોમાં રસ્તા, વીજળી, મોબાઇલ નેટવર્ક, શાળાઓ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. જેના કારણે ગ્રામજનોનો વિશ્વાસ વધ્યો અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડાવા લાગ્યા. આ વિશ્વાસનું પરિણામ એ છે કે હવે ગામોમાં ખુલ્લેઆમ તિરંગો ફરકાશે, રાષ્ટ્રગાન ગુંજશે અને બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ 41 ગામોમાં પ્રજાસત્તાક દિવસને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પોતે જ ધ્વજારોહણની તૈયારી કરી રહ્યા છે, ઘરો અને જાહેર સ્થળોને સજાવવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ પ્રથમ વખત સરકારી પ્રતિનિધિઓ અને સુરક્ષાકર્મીઓ પણ ગ્રામજનો સાથે મળી કાર્યક્રમમાં જોડાશે. આ આયોજન માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ તે સંદેશ આપે છે કે લોકશાહીની જડ હવે તે વિસ્તારો સુધી પણ મજબૂત બની રહી છે, જ્યાં ક્યારેક ભય અને હિંસાનો પડછાયો હતો. છત્તીસગઢના આ ગામો હવે માત્ર પ્રજાસત્તાક દિવસ જ નથી ઉજવી રહ્યા, પરંતુ એક નવા, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. દાયકાઓ બાદ રાષ્ટ્રીય ઉત્સવમાં ભાગીદારી આઈજી સુંદરરાજે જણાવ્યું કે 76મો પ્રજાસત્તાક દિવસ બસ્તર સંભાગના આ ગામોમાં પ્રથમ વખત સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવાશે. આ ગામો દાયકાઓ સુધી રાષ્ટ્રીય કાર્યક્રમોથી અલગ પડેલા રહ્યા હતા, પરંતુ હવે તેઓ લોકશાહી અને બંધારણીય ભાવનાથી ફરી જોડાઈ રહ્યા છે. સુરક્ષા કેમ્પ બન્યા બદલાવનું કારણ તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વિસ્તારોમાં સુરક્ષા કેમ્પોની સ્થાપના થવાથી સ્થાનિક લોકોમાં વિશ્વાસ ફરી જાગ્યો છે. શાસન-પ્રશાસન વધુ મજબૂત બન્યું છે અને લોકોમાં દેશ સાથે જોડાવાની ભાવના વિકસી છે. સુરક્ષાની લાગણી વધતા ગ્રામજનો હવે ખુલ્લેઆમ રાષ્ટ્રીય પર્વો ઉજવવા માટે આગળ આવી રહ્યા છે. ગયા વર્ષે પણ 13 ગામોમાં ફરકાવ્યો હતો ધ્વજ આઈજીએ જણાવ્યું કે ગયા વર્ષે 15 ઑગસ્ટે 13 ગામોમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. હવે આ ગામોને જોડીને કુલ 54 ગામો એવા થઈ જશે, જ્યાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. આ બદલાવ બસ્તર વિસ્તારમાં શાંતિ, વિશ્વાસ અને વિકાસના નવા યુગની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે.આ પણ વાંચો: Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી

Read Full Story arrow_forward