android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: હાડ થીજાવતી ઠંડીમાં શહેરીજનોની ધમાલગલીમાં મોજ
calendar_today January 25, 2026

Surendranagar: હાડ થીજાવતી ઠંડીમાં શહેરીજનોની ધમાલગલીમાં મોજ

રોટરી કલબ ઓફ વઢવાણ મેટ્રો, રોટરેકટ કલબ ઓફ વઢવાણ મેટ્રો, ઈન્ટરેકટ કલબ ઓફ વઢવાણ મેટ્રો, લીટલ સ્ટેપ સ્કુલના સંયુકત ઉપક્રમે મેકસન ફાર્મા કંપની અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહકારથી રવિવારે સવારે 6-30 કલાકે શહેરના 80 ફુટ રોડ પર આવેલ ઘુઘરીપાર્કના મેદાનમાં ધમાલગલી-2026નું આયોજન કરાયુ હતુ. જેમાં હાડ થીજાવતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં શહેરીજનો અને ખાસ કરીનો બાળકો જોડાયા હતા. જેમાં મ્યુઝીકના તાલ સાથે ઝુમ્બા ડાન્સ કરીને લોકોએ ઉર્જા મેળવી હતી. જયારે વરિષ્ઠ નાગરિકોએ રસ્સાખેંચ, ભમરડા, લખોટી, કબડ્ડી, ખો-ખો જેવી વિસરાતી જતી રમતો રમી પોતાના બાળપણને યાદ કર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sanand: ઘાયલ રાજહંસ પક્ષીનો એનિમલ લાઈફ કેરની ટીમે જીવ બચાવ્યો
calendar_today January 25, 2026

Sanand: ઘાયલ રાજહંસ પક્ષીનો એનિમલ લાઈફ કેરની ટીમે જીવ બચાવ્યો

સાણંદ તાલુકાના મેલાસણ વિસ્તારમાં રોહીતભાઈ પટેલ પસાર થતા હતા. ત્યારે તેઓની નજીક એક ઘાયલ થયેલા રાજહંસ પક્ષી પર પડી હતી. આથી તેઓએ તુરત જ અમદાવાદ ખાતે એનીમલ લાઈફ કેરને જાણ કરાઈ હતી. એનીમલ લાઈફ કેરના વિજયભાઈ ડાભી સહિતનાઓ દોડી ગયા હતા. અને રાજહંસ પક્ષીને રેસ્કયુ કરી તેને પ્રાથમીક સારવાર આપી વન વિભાગની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજહંસ પક્ષીએ એક પ્રવાસી પક્ષી છે. આ પક્ષી યુરોપ, દક્ષીણ રશીયા, ચીનમાં જોવા મળે છે. રાજહંસ એ એક મુક પક્ષી છે. તેને અંગ્રેજીમાં Mute Swan કહે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: દૂધવા ગામે ઔદ્યોગિક વસાહતના કામનું મુખ્યમંત્રી દ્વારા ભૂમિપૂજન
calendar_today January 25, 2026

Vav-tharad: દૂધવા ગામે ઔદ્યોગિક વસાહતના કામનું મુખ્યમંત્રી દ્વારા ભૂમિપૂજન

થરાદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દુધવા ખાતે GIDC દ્વારા 99.23 એકર સરકારી જમીનમાં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન ગૌરવસભર અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, જીઆઈડીસીના નિર્માણ થયેથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની સાથે વોકલ ફેર લોકલનો વડાપ્રધાનનો ધ્યેય પાર પડશે. એટલું જ નહીં સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશાનું આ આગવું કદમ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવીન દરવાજા ખોલી દીધો છે.તેમણે ઉમેર્યુ હતું કે,આ વિસ્તારનો ખેડૂત મહેનતુ છે. દાડમ હોય કે અન્ય પાક, અહીંનું ઉત્પાદન અત્યાર સુધી પ્રોસેસિંગ માટે રાજકોટ, અમદાવાદ કે અન્ય રાજ્યો સુધી જતું હતું. પરંતુ હવે દુધવા ખાતે GIDC બનવાથી ખેતીના પાકનું વેલ્યુ એડિશન અહીં જ થશે, જેનાથી ખેડૂતોની આવક બમણી થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward