Surendranagar: ઝાલાવાડના 50થી વધુ કર્મચારીઓની જિ. પંચાયત કચેરીએ લેખિતમાં રજૂઆત
સમગ્ર રાજયમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ હેઠળ 1500થી વધુ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2007થી શરૂ થયેલ આ યોજનાના સમગ્ર રાજયના કર્મીઓને એકાએક છુટા કરવાનો પરિપત્ર થતા કર્મીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીએ શુક્રવારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.વર્ષ 2007માં હાલના પીએમ નરેન્દ્ર મોદી જયારે રાજયના સીએમ હતા ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડુતો, છાત્રો ડીજીટલ યુગમાં શહેરીજનો સાથે કદમ મીલાવી ચાલે તે માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ અમલમાં મુકયો હતો. જેમાં દરેક ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર સેટ ફાળવાયા હતા અને તાલુકા લેવલે પ્રોજેકટ હેઠળ કર્મીઓની નીમણુંક કરાઈ હતી. હાલ સમગ્ર રાજયમાં 1500 સહિત ઝાલાવાડમાં 50થી વધુ કર્મીઓ આ પ્રોજેકટ હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં પરીપત્ર કરીને આ કર્મીઓને આગામી 1-2થી છુટ્ટા કરવાનું જાહેર થતા કર્મીઓમાં રોષ ફેલાયો છે. આ કર્મીઓમાંથી અમુક કર્મીઓ તો વર્ષ 2007થી ફરજ બજાવી રહ્યા છે. હાલ તેમની વય પણ 40થી ઉપર થઈ ગઈ છે. ત્યારે તેઓને બીજી નોકરી મેળવવાની વય પણ પુરી થઈ ગઈ છે. બીજી તરફ આ નીર્ણયથી આ પરિવારજનો માથે મોટુ આર્થીક સંકટ તોળાઈ રહ્યુ છે. આથી ઈ-ગ્રામ પ્રોજેકટના કર્મીઓએ શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે લેખિત રજૂઆત કરી આ નિર્ણયને પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward