android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himmatnagar: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ
calendar_today January 22, 2026

Himmatnagar: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ

સાબરકાંઠા જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી નિવારણ માટે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાના પાયાના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો.32 પ્રશ્નોની રજૂઆત અને નિવારણકલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારો દ્વારા કુલ 32 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોમાં ગેરકાયદે દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, હદ માપણી અને ખાનગી પ્લોટ માપણીના પડતર પ્રશ્નો.રોડ-રસ્તાના નિર્માણ અને સમારકામ તથા રહેણાંક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા. અન્ય સરકારી યોજનાઓ અને સેવાઓને લગતી રજૂઆતો મુખ્યત્વે  વિષયોનો સમાવેશ થતો હતો.અધિકારીઓને કડક સૂચનાજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ અરજદારોને સાંભળ્યા બાદ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે હાજર રહેલા તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કેલોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળીને તેને પ્રાથમિકતા આપવી.નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવો.  જનતાને બિનજરૂરી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેની તકેદારી રાખવી.આ પણ વાંચો: Botad: ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જ્યોતિગ્રામ સર્કલ પાસે બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે લાલ આંખ

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા
calendar_today January 22, 2026

Surendranagar: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી પોલીસને થાપ આપી નાસતા-ફરતા તત્વો સામે પેરોલ ફર્લો સ્કવોડે લાલ આંખ કરી છે. વઢવાણ પોલીસ મથકની હદમાં ગુનો આચરી લાંબા સમયથી ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે અમરેલીની એક હોટલ પાસેથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે.અમરેલીની હોટલ પાસે થઈ ધરપકડસુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને ચોક્કસ બાતમી મળી હતી કે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ અમરેલી વિસ્તારમાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે અમરેલીના માણેકપરા વિસ્તારમાં આવેલી 'એન્જલ હોટેલ' પાસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને આ સ્થળેથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓની ઓળખપોલીસ કસ્ટડીમાં લેવામાં આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા: રહેવાસી - ફિરદોષ સોસાયટી, નવા પાવર હાઉસ આવાસ કોલોની, સુરેન્દ્રનગર. મોહિત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારઘી: રહેવાસી - ગણપતિ ફાટસર, વઢવાણ, સુરેન્દ્રનગર. આવેલા આરોપીઓના નામ છે.આ પણ વાંચો:જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ

Read Full Story arrow_forward
Kutchમાં કુદરતનો પ્રકોપ: સરહદી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
calendar_today January 22, 2026

Kutchમાં કુદરતનો પ્રકોપ: સરહદી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે. ખાસ કરીને કચ્છના સરહદી અને પશ્ચિમ વિસ્તાર ગણાતા નારાયણ સરોવર, વર્માનગર, દયાપર અને ગુહરના સહિતના પંથકોમાં વરસાદી ઝાપટાં પડતા શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે.નારાયણ સરોવર, વર્માનગરમાં કમોસમી વરસાદ માવઠાના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે રવિ સીઝન ચાલી રહી હોવાથી ખેતરોમાં જીરું, વરિયાળી, ધાણા અને એરંડા જેવા મહત્વના પાક તૈયાર થવાના આરે છે અથવા વાવેતરની સ્થિતિમાં છે. આવા સમયે પડેલો વરસાદ પાકને બગાડી શકે છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ડર પેઠો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો વરસાદનું જોર વધશે તો તૈયાર પાકમાં રોગચાળો આવવાની અથવા પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. દયાપર અને ગુહરના સહિતના વિસ્તારોમાં માવઠું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ રહી શકે છે. કચ્છના લખપત અને અબડાસા પંથકમાં થયેલા આ માવઠાએ જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના સર્વે અને યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે. કમોસમી વરસાદને પગલે એપીએમસી (APMC) માર્કેટમાં ખુલ્લામાં પડેલો ખેતપેદાશોનો જથ્થો પલળે નહીં તે માટે પણ વેપારીઓએ દોડધામ શરૂ કરી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward