android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jammu Kashmir : કિશ્તવાડમાં BROએ 14 કલાકમાં રસ્તો ફરીથી બનાવ્યો, લોકોએ કરી સરાહના
calendar_today January 20, 2026

Jammu Kashmir : કિશ્તવાડમાં BROએ 14 કલાકમાં રસ્તો ફરીથી બનાવ્યો, લોકોએ કરી સરાહના

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના બાદ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) એ 14 કલાકથી ઓછા સમયમાં માર્ગ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે ઝડપથી કામ કર્યું છે. ઘલરસાનારી રોડ પરનો બેલી બ્રિજ ઓવરલોડેડ ડમ્પરને કારણે તૂટી પડ્યો હતો. BROએ માત્ર રસ્તાનું સમારકામ જ કર્યું નહીં, પરંતુ ફસાયેલા મુસાફરોને પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી. મળતી માહિતી મુજબ આ રસ્તો ચિનાબ ખીણને હિમાચલ પ્રદેશ સાથે જોડે છે અને શિયાળા દરમિયાન ઘણા દૂરના વિસ્તારો માટે એકમાત્ર પ્રવેશ માર્ગ છે. પુલ તૂટી પડવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જેના કારણે રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ હતી.માહિતી મળતા જ સૈનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા પુલ તૂટી પડવાના સમાચાર મળતાં 118મી રોડ કન્સ્ટ્રક્શન કંપનીના સૈનિકો અને એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચ્યા. કડકડતી ઠંડી અને ભારે પવન હોવા છતાં BRO ટીમે તાત્કાલિક કામ શરૂ કર્યું. 118મી RCCના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ જીવિતેશ રાજોરાના નેતૃત્વમાં ભારે મશીનરી તૈનાત કરવામાં આવી હતી. રાતોરાત એક કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જેનાથી ટ્રાફિક ફરી શરૂ થયો હતો. સમગ્ર કામગીરીનું નિરીક્ષણ 35મી BRTFના કમાન્ડર એસ.કે. સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ BROને કરી સરાહના આ BRO કાર્યવાહીથી આ વિસ્તાર અલગ થવાથી બચી ગયો. હિમાચલ પ્રદેશ સાથે સંપર્ક જળવાઈ રહ્યો. જાહેર, લશ્કરી અને વહીવટી વાહનોનો પ્રવાહ ચાલુ રહ્યો. ગુલાબગઢ, સંસારી અને આસપાસના વિસ્તારો બંધ થવાથી બચી ગયા, અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રહ્યો. લોકોએ આ કાર્ય માટે સમગ્ર BRO ટીમનો આભાર માન્યો. સ્થાનિકો અને ફસાયેલા પ્રવાસીઓએ BRO કર્મચારીઓની ગતિ અને મહેનતની પ્રશંસા કરી. BROએ પ્રવાસીઓને પાણી અને નાસ્તો પણ પૂરો પાડ્યો. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે BRO કહે છે કે ઓવરલોડેડ વાહનો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. BROએ એમ પણ કહ્યું કે પુલનું કાયમી સમારકામ ટૂંક સમયમાં શરૂ થશે. BROએ ફરી એકવાર દર્શાવ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશના રસ્તાઓ અને કનેક્ટિવિટી જાળવી રાખવી એ તેની પ્રાથમિક જવાબદારી છે.આ પણ વાંચો: Sabarimala temple : સોનું તાંબુ સમજીને બહાર નિકાળાયું, ED તપાસમાં મોટું ખુલાસો

Read Full Story arrow_forward
IIT કાનપુરમાં 22 દિવસમાં આત્મહત્યાની બીજી ઘટના, પીએચડી વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત
calendar_today January 20, 2026

IIT કાનપુરમાં 22 દિવસમાં આત્મહત્યાની બીજી ઘટના, પીએચડી વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરના એક પીએચડી વિદ્યાર્થીએ મંગળવારે બપોરે કોલેજ બિલ્ડિંગના બીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. મૃતક વિદ્યાર્થી, જેની ઓળખ રામસ્વરૂપ ઈશરામ તરીકે થઈ છે, તે અર્થ સાયન્સ વિભાગમાંથી પીએચડી કરી રહ્યો હતો. તે તેની પત્ની અને નાની પુત્રી સાથે IIT કેમ્પસમાં રહેતો હતો. આઘાતજનક રીતે છેલ્લા 22 દિવસમાં IIT કાનપુરના બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેના કારણે કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.ડોક્ટરોએ તપાસ બાદ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો આ ઘટના બપોરના સમયે IITના AA-21, ન્યૂ SBRA બિલ્ડિંગમાં બની હતી. કાનપુર પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ અચાનક બીજા માળેથી કૂદી પડ્યો હતો. કોલેજ મેનેજમેન્ટે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાનો રહેવાસી હતો. રામસ્વરૂપ તેની પત્ની મંજુ અને ત્રણ વર્ષની પુત્રી સાથે કોલેજ કેમ્પસમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી ડિપ્રેશનથી પીડાતો હતો. જો કે આત્મહત્યાનું કારણ નક્કી કરવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.26 મહિનામાં 9 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા IIT કાનપુરમાં કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. આજની ઘટના પહેલા છેલ્લા 26 મહિનામાં 8 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. સંશોધન સહાયક ડૉ. પલ્લવી ચિલ્કાએ 19 ડિસેમ્બર, 2023ના રોજ IIT કાનપુરમાં આત્મહત્યા કરી હતી. એમ.ટેકના વિદ્યાર્થી વિકાસ મીનાએ 10 જાન્યુઆરી, 2024ના રોજ આત્મહત્યા કરી હતી. પીએચડી વિદ્યાર્થી પ્રિયંકા જયસ્વાલે 18 જાન્યુઆરી, 2024ના રોજ આત્મહત્યા કરી હતી. પીએચડી વિદ્યાર્થી પ્રગતિએ 10 ઓક્ટોબર, 2024ના રોજ આત્મહત્યા કરી હતી. પીએચડી સ્કોલર અંકિત યાદવે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. સોફ્ટવેર ડેવલપર દીપક ચૌધરીએ 25 ઓગસ્ટ, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. બી.ટેકના અંતિમ વર્ષના વિદ્યાર્થી ધીરજ સૈનીએ 1 ઓક્ટોબર, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. અંતે, 29 ડિસેમ્બર, 2025ના રોજ જયસિંહ મીણાએ આત્મહત્યા કરી હતી. જો આજની આત્મહત્યાનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો હવે 9 પર પહોંચી ગયો છે. આ પણ વાંચો : Sabarimala temple : સોનું તાંબુ સમજીને બહાર નિકાળાયું, ED તપાસમાં મોટું ખુલાસો

Read Full Story arrow_forward
Agriculture News: PM કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
calendar_today January 20, 2026

Agriculture News: PM કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગરૂપે ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫થી તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ સંબંધિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર રીતે પહોંચાડવાનો છે. ફાર્મર રજીસ્ટ્રી પર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ રાખવા ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના VCE/VLE ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી જરૂરી છે.આ પણ વાંચોઃ Agriculture News: કમોસમી વરસાદની આગાહીને પગલે આંબા પાકના સંરક્ષણ માટે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન

Read Full Story arrow_forward