android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ
calendar_today January 20, 2026

કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ

રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. ૧,૧૭૫.૦૯ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. ૧,૪૩૩ કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. ૪,૦૫૦ કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે. રાજીબેન વણકરની આ યાત્રા એ જ સાબિત કરે છે કે, સંકલ્પ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકે છે. તેની સાથે પ્લાસ્ટિકમુક્ત, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણ તરફ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી શકે છે.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો માર, સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ
calendar_today January 20, 2026

Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો માર, સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, જેમાં વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી દિવસોમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાશે અને લોકોને વહેલી સવારે તેમજ રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થશે.પવનની ગતિ વધતા ધ્રુજારી વધશે તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, આગામી સમયમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ તાપમાનના મોટા તફાવતને કારણે બેવડી ઋતુની અસર યથાવત રહેશે. ખાસ કરીને પવનની ગતિમાં વધારો થતા ઠંડીના ચમકારામાં વધારો થશે. નિષ્ણાતોના મતે, આ બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે મિક્સ ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ શકે છે. આ પણ વાંચો : Surendranagar જમીન કૌભાંડમાં ED નું મોટું એક્શન, કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓ જેલના સળિયા પાછળ

Read Full Story arrow_forward
Surendranagar : અમરાપર ગામની કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો ના નામે 3.9 કરોડથી વધુ ખંખેરી લેવાના ગુનામાં 5 ઝડપાયા
calendar_today January 20, 2026

Surendranagar : અમરાપર ગામની કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો ના નામે 3.9 કરોડથી વધુ ખંખેરી લેવાના ગુનામાં 5 ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો ના નામે થયેલી છેતરપિંડીનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડ્રોના બહાને લોકો પાસેથી રૂ. 3.9 કરોડથી વધુની રકમ ખંખેરાઈ હોવાના આક્ષેપ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ગણતરીના કલાકોમાં 7માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા આ મામલે ડ્રો ના નામે છેતરપિંડી કરનાર સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. થાનગઢ પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં 7માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.  રામદાસ બાપુ, લગધીર કારેલીયા, સુરેશ ઝરવરીયા, મેરા ડાભી અને નરેશ સોલંકીની ધરપકડ પકડાયેલા આરોપીઓમાં રામદાસ બાપુ, લગધીર કારેલીયા, સુરેશ ઝરવરીયા, મેરા ડાભી અને નરેશ સોલંકીનો સમાવેશ થાય છે. થાનગઢ પોલીસ દ્વારા તમામ પાંચ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  બે આરોપી રમેશ જેજરીયા અને હીરા ગ્રામભાડિયા હાલ પોલીસ પકડથી દૂર જ્યારે કે આ કેસના બે આરોપી રમેશ જેજરીયા અને હીરા ગ્રામભાડિયા હાલ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપીઓને ઝડપવા માટે થાનગઢ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન કૌભાંડની રકમ, અન્ય સંડોવાયેલા લોકો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા થાનગઢ પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને ગૌશાળાના નામે લોકો સાથે થયેલી છેતરપિંડી અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward