android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : મેંદરડાના ધરતીપુત્રો પર કુદરતનો બેવડો માર, રવિપાકમાં રોગચાળાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી
calendar_today January 20, 2026

Junagadh : મેંદરડાના ધરતીપુત્રો પર કુદરતનો બેવડો માર, રવિપાકમાં રોગચાળાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં સારી કમાણી કરીને નુકસાનની ભરપાઈ કરશે, પરંતુ હવે રવિ પાક પર પણ ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. પાક સુકાઈ રહ્યો છે, દવાઓ બેઅસર મેંદરડા પંથકમાં ચણા, ધાણા અને ડુંગળી જેવા મુખ્ય પાકોમાં બે પાણ પાયા બાદ અચાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાક સતત સુકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવતા સતત પલટાને કારણે ઘઉં અને ચણામાં રોગનું પ્રમાણ વધ્યું છે, જેનાથી ખેડૂતોની મહેનત પાણીમાં જતી દેખાઈ રહી છે. સરકાર પાસે તાકીદની માંગણી ભારે આર્થિક નુકસાન વેઠી રહેલા મેંદરડાના ખેડૂતોએ સરકાર સમક્ષ આક્રમક માંગણી કરી છે. તાત્કાલિક ધોરણે નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી રોગનું સચોટ નિદાન કરવામાં આવે. ખેડૂતોને રાહત દરે દવાઓ અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. દેવાના ડુંગર નીચે દબાતો ધરતીપુત્ર એક તરફ પાક બચાવવા માટે લાખોનો ખર્ચ અને બીજી તરફ સતત નિષ્ફળ જતી મહેનતને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. જો સરકાર દ્વારા સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો મેંદરડાના ધરતીપુત્રો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની જશે.

Read Full Story arrow_forward
BJP National President: નીતિન નબીન બન્યા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યક્રમમાં PM Modi, અમિત શાહ સહિત દિગ્ગજો રહ્યા હાજર
calendar_today January 20, 2026

BJP National President: નીતિન નબીન બન્યા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યક્રમમાં PM Modi, અમિત શાહ સહિત દિગ્ગજો રહ્યા હાજર

બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.  . ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા સંભાળતા પહેલા, નીતિન નવીન મંગળવારે સવારે દિલ્હીમાં પૂજા અને વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચ્યા હતા.નીતિન નબીને પીએમ મોદીનું સ્વાગત કર્યું દિલ્હીમાં પાર્ટી કાર્યાલય ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો છે. નીતિન નબીનને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સોંપવા માટે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત બીજેપીના દિગ્ગજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નીતિન  નબીને પીએમનું સ્વાગત કર્યું. પીએમ મોદી પર સમાજના તમામ વર્ગોનો ભરોસો- જેપી નડ્ડાઆ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીન આટલી મહાન પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. તેઓ બીજેપીને ઘણી આગળ લઇ શે. તેમણે ઘણા રાજ્યોમાં શ્રેષ્ઠ કામ કર્યુ છે. તેઓએ વધુમાં કહ્યું કે  મને યાદ છે કે 2024ની લોકસભા ચૂંટણી પછી, વિપક્ષ હરિયાણાની ચૂંટણીમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. તેઓ પરિણામો જાહેર થાય તે પહેલાં જ મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. તેઓ જાણતા ન હતા કે દેશના મતદારો અને હરિયાણાના મતદારોએ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે થયેલી નાની ભૂલોને સુધારવાનો નિર્ણય લીધો છે. હરિયાણાની ચૂંટણીમાં તેઓએ બરાબર એવું જ કર્યું. આદરણીય મોદીજીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં અમે રેકોર્ડ વિજય જોયો... તમારા નેતૃત્વમાં 27 વર્ષ પછી દિલ્હીમાં પણ કમળ ખીલ્યું, અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની.

Read Full Story arrow_forward
BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી
calendar_today January 20, 2026

BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

નીતિન નબીન બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ કહ્યું કે જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું. એનડીએની સરકાર બની. પૂર્વ તમામ અધ્યક્ષો અને તેમના યોગદાન માટે દેશના કાર્યકર્તાઓ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. નીતિનજીએ પોતાને સાબિત કર્યા છે- પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું કે માનનીય નીતિનજીના સંપર્કમાં જે પણ આવે છે તેમની સહજતા અને સરળતાની ચર્ચા જરૂર કરે છે. બીજેપી યુવા મોરચાનું દાયિત્વ હોય કે પછી અલગ અલગ રાજ્યોમાં પ્રભારી તરીકેનું કાર્ય હોય, કે પછી બિહાર સરકારમાં કામ કરવાનો અનુભવ હોય. નીતિનજીએ હંમેશા જ્યારે પણ જે જે કામ સોંપવામાં આવ્યું છે તેમાં તેમણે પોતાને સાબિત કર્યા છે. જવાબદારી આપનારાઓને તેમના કાર્યએ ગર્વથી ભરી દીધુ છે.બીજેપી અધ્યક્ષ મિલેનિયલ છે- પીએમ મોદી આ 21મી સદી છે. જોત જોતામાં 21માં સદીના પહેલા 25 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આવનારા 25 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે વિકસિત ભારતનું નિર્માણ થશે. નીતિન નબીનજી બીજેપીના વારસાને આગળ વધારશે. બીજેપી અધ્યક્ષ મિલેનિયલ છે. તેઓ એ જનરેશન છે જેણે ભારતમાં આર્થિક, સામાજિક અને ટેક્નોલોજીકલ પરિવર્તન થતા જોયા છે. તેઓ રેડિયોથી માહિતી મેળવી અને આજે એઆઇના પણ એક્ટિવ યુઝર છે. તેમની પાસે યુવા ઉર્જા છે અને સંગઠનમાં કાર્યકાળનો લાંબો અનુભવ પણ છે. નીતિન નબીનજી મારા બોસ છે- પીએમ મોદી નીતિન નવીન એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. તેઓ પાર્ટીના 12મા અધ્યક્ષ બન્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટીના નેતાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "નીતિન નવીન જી મારા બોસ છે, હું તેમનો કાર્યકર છું."

Read Full Story arrow_forward