android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad: રાણપુર બેરિંગ કંપનીમાં રૂ. 1.65 કરોડથી વધુ રકમની ઉચાપત કરાયાની ફરિયાદ
calendar_today January 17, 2026

Botad: રાણપુર બેરિંગ કંપનીમાં રૂ. 1.65 કરોડથી વધુ રકમની ઉચાપત કરાયાની ફરિયાદ

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલી RMP બેરીંગ લિ. કંપનીમાં મસમોટી રકમની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીના પરચેઝ મેનેજર અને તેમની પત્ની દ્વારા કંપની સાથે વિશ્વાસઘાત કરી રૂ. 1.65 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર પરચેઝ મેનેજર જયદીપભાઈ પ્રદીપભાઈ બેલાણી અને તેમની પત્ની દીપાલીબેનએ ઓગસ્ટ 2020થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન કંપનીના હિત વિરુદ્ધ કામ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ અંદાજે 12 જેટલા વેન્ડર્સ પાસેથી રો-મટીરીયલ્સ માર્કેટ રેટ કરતાં ઘણી વધારે કિંમતે ખરીદ્યા હતા. આ વધારાની રકમ કમિશન સ્વરૂપે પોતાના બેંક ખાતામાં અથવા રોકડમાં સ્વીકારી કંપનીને ભારે આર્થિક નુકસાન પહોંચાડયું હતું. કંપની દ્વારા કરવામાં આવેલા આંતરિક ઓડિટ દરમિયાન રો-મટીરીયલ્સના ખર્ચ અને ઉત્પાદન ખર્ચમાં મોટો તફાવત સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ત્યારબાદ કાનૂની કાર્યવાહી માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે રાણપુર પોલીસે BNSSની કલમ 406, 420, 409 અને 114 હેઠળ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: કોઠ ગામે મુખ્ય બજારમાં ગટરના પાણી ફરી વળતા હાલાકી
calendar_today January 17, 2026

Dholka: કોઠ ગામે મુખ્ય બજારમાં ગટરના પાણી ફરી વળતા હાલાકી

ધોળકાના કોઠ ગામના મુખ્ય બજાર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા લોકો અને વેપારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. બજારમાં આવાગમન દરમિયાન દુર્ગંધ અને ગંદકીના કારણે વેપારીઓ પરેશાન બની ગયા છે. ગટર ઓવરફ્લો થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. અને રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે. ખાસ કરીને શાળા જતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ચાલવામાં ભારે તકલીફ્ પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા રોષની લાગણી વ્યાપી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મદારગઢની સીમમાંથી ગેરકાયદે ખનનનો પર્દાફાશ, બે હિટાચી મશીન સહિત રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
calendar_today January 17, 2026

Surendranagar: મદારગઢની સીમમાંથી ગેરકાયદે ખનનનો પર્દાફાશ, બે હિટાચી મશીન સહિત રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના અંતરિયાળ મદારગઢ ગામે ચાલી રહેલા બેફામ અને ગેરકાયદે ખનનની પૂર્વ બાતમીના આધારે મામલતદારની ટીમ દ્વારા તાજેતરમાં કરાયેલ દરોડામાં કાળા પથ્થરના ખોદકામનો પર્દાફાશ થયો હતો. તંત્ર દ્વારા સ્થળ પરથી બે હીટાચી મશીન સહિત સવા કરોડ નો મુદ્દામાલ મળી આવતા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઈનચાર્જ મામલતદાર વીરલ શુક્લા તથા ટીમ દ્વારા કરેલ કાર્યવાહી બાદ થયેલ ખોદકામની માપણી માટે ખનીજ વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા જ મદારગઢ ગામે સાયલા પોલીસના દરોડામાં કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયા બાદ પણ ભૂમાફ્યિાઓ દ્વારા અન્ય સ્થાને કરાઇ રહેલુ ગેરકાયદે ખનનનું કારસ્તાન ઝડપાયું છે. ત્યારે ખનીજચોરી કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પરથી બે હીટાચી મશીન સાથે એક વીજ ટ્રાન્સફોર્મર પણ જપ્ત કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આગામી સમયમાં આ દરોડામાં કેટલાની ખનીજચોરી બહાર આવે છે તે માપણી બાદ બહાર આવશે, હાલ તો ખનીજ ચોરી પર તંત્રની કાર્યવાહીથી ભૂમાફ્યિા આલમમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward