Morbi: માળીયા મિયાણામાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ, કંડલા-જામનગર હાઈવે પર વાહનોની કતારો લાગી
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા અન્યાયના આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો રોષ રાસંગપર ગામના સીમ વિસ્તારમાં પસાર થતી 765 KV વીજ લાઇનના પોલ (ટાવર) ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતે ખેડૂતોએ નીચે મુજબના ગંભીર આક્ષેપો કર્યા છે. વીજપોલ ઊભા કરવા માટે લેવામાં આવેલી જમીન અને તેના કારણે થયેલા પાક નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીના માણસો ખેડૂતો સાથે ગેરવર્તન કરે છે અને કામ અટકાવવા બદલ ધાકધમકી આપે છે. શિયાળુ પાક તૈયાર છે ત્યારે જ કામગીરી હાથ ધરાતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.કંડલા-જામનગર હાઈવે બ્લોક કર્યો ન્યાયની માંગણી સાથે શાંતિપૂર્ણ રજૂઆતો બાદ કોઈ ઉકેલ ન આવતા અંતે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે બ્લોક કર્યો હતો. હાઈવે પર ખેડૂતો બેસી જતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ખેડૂતોના આ આંદોલનને સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ પણ ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકાચક્કાજામના સમાચાર મળતા જ માળીયા મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ખેડૂતોને સમજાવી હાઈવે ખુલ્લો કરાવવા માટે મધ્યસ્થી શરૂ કરી છે. જોકે, ખેડૂતો પોતાની લેખિત માંગણીઓ અને વળતરની બાંહેધરી પર મક્કમ જોવા મળ્યા હતા.આ પણ વાંચો: મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યના સંગમથી કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ
Read Full Story arrow_forward