android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ક્રિષ્ના સિરામિક કંપનીમાં ગુણો નીચે દટાઈ જવાથી શ્રમિકનું કરુણ મોત, પરિવારે વળતર માટે કર્યા ધરણા
calendar_today January 17, 2026

Bharuch: ક્રિષ્ના સિરામિક કંપનીમાં ગુણો નીચે દટાઈ જવાથી શ્રમિકનું કરુણ મોત, પરિવારે વળતર માટે કર્યા ધરણા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે આવેલી એક કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલક ગામની 'ક્રિષ્ના સિરામિક' કંપનીમાં કામ કરી રહેલા એક શ્રમિક પર સિરામિક પાવડરની ગુણોનો આખો થપ્પો પડતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યોગ્ય વળતરની માંગ સાથે તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.શ્રમિક પર સિરામિક પાવડરની ગુણો પડવાથી મોતમળતી માહિતી મુજબ, જંબુસરના કલક ગામે આવેલી ક્રિષ્ના સિરામિક કંપનીમાં ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ નામના શ્રમિક ફરજ બજાવી રહ્યા હતા. કામ દરમિયાન ગોડાઉનમાં રાખવામાં આવેલી સિરામિક પાવડરની ભારેખમ ગુણો અચાનક તેમના પર પડી હતી. ગુણોના વજન નીચે દટાઈ જવાને કારણે ઘનશ્યામભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જોતજોતામાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.પરિવારનો રોષ અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કારશ્રમિકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગામજનો અને સગા-સંબંધીઓ કંપની ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. આક્રોશિત પરિવારે મૃતકનો મૃતદેહ હોસ્પિટલથી સીધો કંપનીના ગેઈટ પાસે લાવીને ધરણા શરૂ કર્યા હતા. પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી કંપની દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર માટે લાશ સ્વીકારશે નહીં.પોલીસ કાફલો ઘટનાસ્થળેઘટનાની ગંભીરતાને જોતા જંબુસર પોલીસનો કાફલો તાત્કાલિક ક્રિષ્ના સિરામિક કંપની ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડવા અને પરિવારને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં કંપની પરિસરમાં તંગદિલીભર્યો માહોલ છે અને પોલીસ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સતર્ક છે.આ પણ વાંચો: જ્વેલર્સની દિવાલમાં બાકોરું પાડી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી

Read Full Story arrow_forward
Jamnagar AI ન્યૂઝ કાંડ, મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 શખ્સો પોલીસ સકંજામાં
calendar_today January 17, 2026

Jamnagar AI ન્યૂઝ કાંડ, મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 શખ્સો પોલીસ સકંજામાં

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા હાઈટેક AI ન્યૂઝ કાંડમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો દુરુપયોગ કરી જાણીતા બિલ્ડરો, પ્રતિષ્ઠિત નેતાઓ અને સામાજિક અગ્રણીઓના વાંધાજનક વીડિયો તૈયાર કરતા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેમને બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનું આખું નેટવર્ક ચાલતું હતું. પોલીસે આ ગુનાની ગંભીરતાને જોતા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.સોશિયલ મીડિયાનો ખતરનાક ખેલ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી વિશાલ કણસાગરા પોલીસની પકડથી બચવા નેપાળમાં બેસીને આ તમામ વિવાદાસ્પદ પોસ્ટ અને વીડિયો અપલોડ કરતો હતો. આ ટોળકીએ ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના વર્તમાન ધારાસભ્ય જેવા દિગ્ગજ નેતાઓને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નિશાન બનાવી તેમની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે અત્યાર સુધી આ ટોળકીએ કેટલા લોકો પાસેથી ખંડણી વસૂલી છે અને આ ષડયંત્રમાં અન્ય કેટલા લોકો પડદા પાછળ રહીને મદદ કરી રહ્યા હતા. આ કિસ્સો ડિજિટલ યુગમાં ટેકનોલોજીના ઘાતક દુરુપયોગનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે. આ પણ વાંચો : Surat News : ટેક્સટાઈલ માર્કેટમાં કરોડોનું કૌભાંડ, રૂ. 1.98 કરોડની ઠગાઈ કરનાર અજય તોલાની ઝડપાયો

Read Full Story arrow_forward
Banaskantha News: દાંતાની એબેનેઝર સ્કૂલમાં ધર્માંતરણના આક્ષેપો: VHP દ્વારા ઉગ્ર રેલી અને શાળાને તાળાબંધીની ચીમકી
calendar_today January 17, 2026

Banaskantha News: દાંતાની એબેનેઝર સ્કૂલમાં ધર્માંતરણના આક્ષેપો: VHP દ્વારા ઉગ્ર રેલી અને શાળાને તાળાબંધીની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આવેલી એબેનેઝર સ્કૂલ વિવાદના ઘેરામાં આવી છે. આ શાળામાં કથિત રીતે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) હવે મેદાને ઉતર્યું છે. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ કરવામાં આવેલા હોબાળા બાદ, આજે VHP દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પ્રાંત અધિકારીને આવેદનપત્ર VHPના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓએ એકત્રિત થઈને શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. ત્યારબાદ, મુખ્યમંત્રીને સંબોધીને દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી આવી ધાર્મિક પરિવર્તનની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તાળાબંધી અને આંદોલનની ચીમકી વિશ્વ હિન્દુ પરિષદે આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં શાળામાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ બંધ નહીં કરવામાં આવે, તો સંગઠન દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવશે. વધુમાં, જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર દાંતા પંથકમાં ચર્ચા જાગી છે અને પોલીસ પ્રશાસન પણ સતર્ક બન્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward