android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે
calendar_today January 17, 2026

Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં વિકાસના કામોમાં થયેલી મોટી નાણાકીય ગેરરીતિના મામલે પોલીસે પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્ર ધવલ વઘાસીયાની ધરપકડ કરી છે. વર્ષ 2025 માં રસ્તાના કામો દરમિયાન કરવામાં આવેલી આશરે રૂપિયા 47.43 લાખની ઉચાપત અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) એ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ધવલે સરકારી નાણાં હડપ કરવા માટે ખોટા રેકર્ડ અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેના આધારે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે ધવલ વઘાસીયાને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ કૌભાંડમાં અન્ય કયા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામેલ છે. પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભ્રષ્ટાચારના આ મામલે કડક પગલાં લેવાતા અન્ય ભ્રષ્ટ તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આ પણ વાંચો : Rajkot સિવિલમાં માનવતા મરી પરવારી, મૃતદેહના ખિસ્સામાંથી 19,800 ની ઉઠાંતરી!

Read Full Story arrow_forward
Rajkot સિવિલમાં માનવતા મરી પરવારી, મૃતદેહના ખિસ્સામાંથી 19,800 ની ઉઠાંતરી!
calendar_today January 17, 2026

Rajkot સિવિલમાં માનવતા મરી પરવારી, મૃતદેહના ખિસ્સામાંથી 19,800 ની ઉઠાંતરી!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી અને નૈતિકતાના પતનનો કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ, એક વ્યક્તિના મૃત્યુ બાદ 108 ના કર્મચારીઓએ મૃતક પાસે રહેલા રૂપિયા 19,800 ની રોકડ રકમ સિવિલ હોસ્પિટલના ફરજ પરના સ્ટાફને સુપરત કરી હતી. જોકે, જ્યારે મૃતકના સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા અને આ રકમની માંગણી કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે આ નાણાં ગાયબ હતા. હોસ્પિટલના સત્તાધીશો અને કર્મચારીઓએ આ બાબતે કોઈ પણ જવાબદારી લેવાને બદલે હાથ અધ્ધર કરી લેતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.હોસ્પિટલ બન્યું લૂંટારુઓનો અડ્ડો? આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્રની સુરક્ષા અને કર્મચારીઓની પ્રામાણિકતા સામે મોટા સવાલો ઉભા થયા છે. એક તરફ પરિવાર પોતાનો સ્વજન ગુમાવ્યાના આઘાતમાં હતો, ત્યારે બીજી તરફ હોસ્પિટલ પરિસરમાંથી જ થયેલી આ ચોરીએ તંત્રની પોલ ખોલી દીધી છે. અંતે, ન્યાયની આશા સાથે મૃતકના સગાઓએ ગોંડલ પોલીસ મથકમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે હોસ્પિટલના કયા 'સફેદ ડગલા' પાછળ છુપાયેલા ચોરે આ નીચું કૃત્ય કર્યું છે. આ પણ વાંચો : Gandhinagar News : સેક્ટર 1 પાસે ગમખ્વાર અકસ્માત, કારચાલકે મોપેડ સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસની ટીમ જોતરાઈ તપાસમાં
calendar_today January 17, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના ધાંગ્રધામાં હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસની ટીમ જોતરાઈ તપાસમાં

સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે અને તેમાનો એક કચ્છ અમદાવાદ હાઇવે લાંબા અંતરનો પસાર થાય છે જેથી હાઇવે કાયમી ટ્રાફિકથી ધમધમતા હોય છે અને હાઇવે પર અવાર નવાર બિનવારસી મૃતદેહ મળતા હોય છે. ત્યારે ફરી ધ્રાંગધ્રા નાગાબાવાની વાવ પાસે આવેલ સરકારી ગોડાઉનની પાછળ અને ડીસીડબલ્યુ કંપનીના પાણીના ખાડામાં તરતી હાલતમાં પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ પહોંચી હતી. હત્યા કરીને મૃતદેહ પાણીમાં નાખ્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી અને મૃતદેહને સ્થાનિકોની મદદથી પાણીમાંથી બાહાર કાઢતા પ્રથમ રીતે આ મરણ જનાર યુવક પર માથાના ભાગે બોથડ પદાર્થ થી ઘા મારેલ હોવાના નિશાન દેખાતા હતા અને યુવકના મૃતદેહને જ્યારે પાણીના ખાડામાંથી બહાર કાઢયો ત્યારે નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો અને યુવકની માથાની ખોપરી પણ નીકળી ગયેલી હાલતમાં જોવા મળી હતી જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા DYSP, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોતરાયો હતો. પીએમ રીપોર્ટમાં સામે આવ્યું કે હત્યા થઈ હવે પોલીસે હત્યા થયેલ યુવકની શોધખોળ કરવા અને તેની ઓળખ કરવા આજુબાજુના અંગત બાતમીદારોને કામે લગાવ્યા છે તેમજ ઘટના સ્થળ પર ડોગ સ્કવોર્ડ તેમજ ફોરેન્સિક એક્સપર્ટને બોલાવી તપાસ તેજ કરી હતી પ્રાથમિક તપાસમાં આ યુવકને અન્ય જગ્યાએ હત્યા કરી કોઈ વાહનમાં મૃતદેહને અહીયા નાખી ગયા હોઇ શકે કારણકે પાણીના ખાડાની આજુબાજુમાં વાહનના ટાયરના નિશાન પણ પોલીસની તપાસમાં જોવા મળ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : હત્યાના ગુનામાં પેરોલ પર છૂટેલા આરોપીનું BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા મોત

Read Full Story arrow_forward