android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ
calendar_today January 16, 2026

Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર કરવામાં આવશે. જે માટે મતગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઇ ગઇ છે.  ત્યારે શરૂઆતી વલણોમાં ભાજપ 12 બેઠક પર આગળ હોવાનું સામે આવ્યું છે.  ઉદ્ધવ જૂથ- એનસીપી શરદ પવાર 6 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજેપી 12 બેઠકો પર આગળ છે. પુણે, થાણે અને ભિવંડી, નાગપુરમાં બીજેપી આગળ ચાલી રહી છે. ક્યાં કોણ આગળ અને પાછળ? મુંબઇમાં બીજેપી 27, UBT 18થી આગળથાણેમાં બીજેપી 6,  શિવસેવા 6થી આગળનાગપુરમાં બીજેપી 5 બેઠકથી આગળ52.94 ટકા થયું છે મતદાન વિવિધ સ્થળોએ ત્રેવીસ ગણતરી ખંડો બનાવવામાં આવ્યા છે. ગણતરી પ્રક્રિયા માટે વિગતવાર યોજનાને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગણતરી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવી છે.  અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.. ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક આયોજન અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  ગુરુવારે 227 વોર્ડ માટે મતદાન થયું હતું. મતદાનની ટકાવારી 52.94 ટકા હતી, જે 2017 માં 55.53 ટકા હતી. 

Read Full Story arrow_forward
Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...
calendar_today January 16, 2026

Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેના CCTV ફૂટેજ જોઈને ગમે તેવા મજબૂત કાળજાના માનવી પણ હચમચી ઉઠે. એક બાઇક પર સવાર ત્રણ લોકો જઈ રહ્યા હતા ત્યારે અચાનક બેલેન્સ બગડતા બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્રણેય વ્યક્તિઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રી સહિત ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાએ સુરત શહેરને સ્તબ્ધ કરી દીધું છે અને ટ્રાફિક સુરક્ષા તેમજ બ્રિજ પરની રેલિંગની ઊંચાઈ અંગે ફરી એકવાર ચર્ચા જગાડી છે.સારવાર પહેલા અઢી લાખની માંગ? બીજી તરફ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રેહાનાબાનુંના પરિવારે હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના સંબંધી શરીફ મલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, જ્યારે રેહાનાબેનને મહાવીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ સારવાર શરૂ કરતા પહેલા અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારે તાત્કાલિક દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવા છતાં કલાકો સુધી સારવાર ન આપીને 'ગોલ્ડન અવર્સ'ની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આખરે સારવારના અભાવે કે વિલંબના કારણે રેહાનાનું મોત નીપજતા પરિવારે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ પણ વાંચો : Rajkot News : પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા જ નીકળી હત્યારી

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરના લીલાપુરમાં પૂર્વ સરપંચના "રાજકુમારે" તાપણામાં દારૂની પોટલી ફેંકતા ભભૂકી આગ, એક બાળકી દાઝી જતા મામલો ગરમાયો
calendar_today January 16, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના લીલાપુરમાં પૂર્વ સરપંચના "રાજકુમારે" તાપણામાં દારૂની પોટલી ફેંકતા ભભૂકી આગ, એક બાળકી દાઝી જતા મામલો ગરમાયો

પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો અને આગમાં 4 વર્ષની નિર્દોષ બાળકીનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો જેમાં મારામારીમાં 2 વ્યક્તિઓ લોહીલુહાણ થયા છે અને એક વ્યકિતની હાલત ગંભીર થઈ છે, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.લખતર તાલુકાના દારૂડિયા બન્યા બેફામ લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે મારામારીનો બનાવ આવ્યો સામે જેમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઈ હતી અને પૂર્વ સરપંચના દીકરાના કારણે આ મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, એક જ સમાજના બે લોકો સામસામે આવી જતા આ ધિંગાણું સર્જાયુ હતુ અને ઠંડીમાં તાપણું કરી બેસેલા વ્યક્તિઓની વચ્ચે આવી લીલાપુર ગામના પૂર્વ સરપંચ છેલાભાઈના દીકરાએ દારૂ પીને દારૂની પોટલી આગમાં ફેકતા બબાલ થઈ હતી. પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરિયાદ નોંધી છે, પૂર્વ સરપંચના દીકરો ગામમાં અન્ય લોકોને પણ હેરાન કરે છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે ત્યારે આ કેસમાં ઈજાગ્રસ્તોને હજી હોસ્પિટલમાંથી સારવાર આપવામાં આવી નથી અને પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર 

Read Full Story arrow_forward