android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુર પોલીસ અને નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવ્યા
calendar_today January 13, 2026

Patan: રાધનપુર પોલીસ અને નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવ્યા

રાધનપુર મેઇન બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફ્કિની સમસ્યા ઉદભવી રહી છે. આમ દુકાન આગળ જ વાહન ચાલકો આડેધડ રીતે પાર્કિંગ કરતા અન્ય રાહદારીઓ તેમજ વાહનચાલકોને બજારમાં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. આમ રાધનપુર બજારમાં આડેધડ રીતે ઉભા કરી દીધેલા લારી ગલ્લાઓ ને કારણે ટ્રાફ્કિ સમસ્યા ઉદભવતી હોવાનું રાધનપુર નગરપાલિકા તેમજ રાધનપુર પોલીસને ધ્યાને આવતા છેલ્લા બે દિવસથી પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ કર્તાઓ સામે લાલ આંખ કરી છે. અને છેલ્લા બે દિવસથી રાધનપુર ડી વાય.એસ.પી તેમજ રાધનપુર પીઆઇ આર કે પટેલ સહીત રાધનપુર નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર પાર્કિંગ કરેલા વાહન ચાલકો તેમજ દબાણ કર્તાઓ ને હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે રાધનપુર મેઇન બજારથી ગાયત્રી મંદિર રોડ તેમજ હેપ્પી મોલ રોડ અને હાઇવે ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ સુધીના રોડ પર અડચણરૂપ 30 કરતા વધારે લારી અને ગલ્લાઓ હટાવી માર્ગો ખુલ્લા કર્યા હતા. જ્યારે મેઇન બજારમાં આડે ધડ રીતે વાહન પાર્કિંગ કર્તાઓ સામે દંડ ફ્ટકારવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. જ્યારે રાધનપુરમાં બનાવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા બંધ હોય તેઓને તાત્કાલિક ધોરણે પાર્કિંગની સુવિધા ચાલુ કરવા માટેની પણ કડક સૂચના આપી દેવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: કલેકટરે વિવિધ વિભાગોના તબીબો સાથે બેઠક યોજી
calendar_today January 13, 2026

Patan: કલેકટરે વિવિધ વિભાગોના તબીબો સાથે બેઠક યોજી

પાટણ જીલ્લા કલેકટર તુષાર ભટ્ટે આરોગ્યના તમામ કાર્યક્રમોને વધું સઘન બનાવવા અને સરકારી યોજનાઓ સામાન્ય જનતા સુધી સમયસર પહોંચે તેમજ માતા અને બાળ મરણ દર ઘટાડવા વેક્સિનથી અટકાવી શકાય તેવા રોગો, સંચારી રોગો તથા ટીબી જેવા કેસોની ખાનગી આરોગ્ય સંસ્થાઓમાંથી સમયસર નોટીફ્કિેશન તે માટેની પ્રક્રિયા તદ્પરાંત લોહીની તાત્કાલિક જરૂરીયાત સમયે ખાનગી બ્લડ બેંકોમાંથી લોહી ઉપલબ્ધ બને તે અંગે તથા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણી અને દર મહિને 9 અને 24 તારીખે યોજાતી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત વધુમાં વધુ ગર્ભવતી માતાઓને જોડાવવા અંગે ચર્ચા કરી હતી.કલેક્ટર દ્વારા તબીબોના સહયોગથી જીલ્લામાં માતા બાળ સ્વાસ્થ્ય સેવાઓ,ટીબી નોટિફ્કિેશન અને બ્લડ બેંક સુવિધાઓ વધું મજબૂત અને અસરકારક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તથા જાહેર અને ખાનગી ભાગીદારીથી આરોગ્ય સેવાઓને નવી ઉંચાઈએ લઈ જવાની અપીલ કરી હતી. યોજાયેલ બેઠકમાં IMA, IAP તથા FOGSI ના પ્રમુખો અને મંત્રીઓ સહિત શહેરના અગ્રણી ખાનગી તબીબો, બ્લડ બેંકના હોદ્દેદારો, સરકારી મેડિકલ કોલેજના સ્ત્ર્રીરોગ અને બાળરોગ વિભાગના વડાઓ, તાલુકા હેલ્થ ઓફ્સિર, જીલ્લા આર.સી.એચ અધિકારી તેમજ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અને જનરલ હોસ્પિટલ પાટણ અને સિદ્ધપુરના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ambaji: મકરસંક્રાંતિ પૂર્વે માન સરોવર તટે મહાઆરતી
calendar_today January 13, 2026

Ambaji: મકરસંક્રાંતિ પૂર્વે માન સરોવર તટે મહાઆરતી

શક્તિધામ અંબાજી ખાતે છેલ્લા બે ચાર વર્ષોથી મકરસંક્રાંતિ પર્વમાં માન સરોવર ખાતેથી સાધુ સંતોની ભવ્ય શાહી સવારી નીકળે છે જે કોટેશ્વર ધામ ખાતે પહોંચી અહીંના પવિત્ર સરસ્વતી નદીના ગૌમુખ કુંડમાં સ્નાનાદી વિધિ કરી વિશેષ પૂજન અર્ચન થાય છે આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સ્નાનાદી વિધિ માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડયા છે જેમણે માનસરોવર વિસ્તારમાં ધૂણી ધખાવી છે જેથી આ વિસ્તારમાં અલૌકિક ભક્તિમય માહોલ ખડો થયો છે અંબાજી ખાતે પધારેલ સાધુ-સંતો દ્વારા પવિત્ર માન સરોવર ખાતે પવિત્ર ગંગા નદી ની મહા આરતી ની જેમ માનસરોવર કુંડ ના પવિત્ર જળનું પૂજન અર્ચન કરી મહા આરતી યોજાશે જેના દર્શનાર્થે અસંખ્ય શ્રાદ્ધાળુઓ ઉમટી રહ્યા છે 15 .1 .2025 ના રોજ અંબાજી માનસરોવર ખાતેથી નીકળી અસંખ્ય સાધુ સંતો કોટેશ્વરના પવિત્ર સરસ્વતી નદીના નિર્મળ જળમાં સ્નાન કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward