android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: તહેવાર પૂર્વે લીંબડીમાં લોહિયાળ ખેલ, હુમલામાં એક યુવકનું મોત
calendar_today January 13, 2026

Surendranagar: તહેવાર પૂર્વે લીંબડીમાં લોહિયાળ ખેલ, હુમલામાં એક યુવકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ઉત્તરાયણના પર્વની તૈયારીઓ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ નિમિત્તે બજારમાં જ્યારે લોકોની ભીડ જામી હતી, ત્યારે ધોળા દિવસે થયેલી એક હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ઉત્તરાયણની ખરીદી કરતા સમયે બની ઘટના મળતી માહિતી મુજબ, લીંબડી તાલુકાના લીયાદ ગામના વતની હિતેશભાઈ હેમુભાઈ સુરેલા પોતાના મિત્રો વિજયભાઈ અને દીપકભાઈ સાથે ઉત્તરાયણની ખરીદી કરવા માટે લીંબડી શહેર આવ્યા હતા. તહેવારનો માહોલ હોવાથી મિત્રો ઉત્સાહમાં હતા અને પતંગ-દોરી જેવી વસ્તુઓની ખરીદી કરવાના આશયથી બજારમાં પહોંચ્યા હતા. અચાનક થયો હુમલો જ્યારે હિતેશભાઈ અને તેમના મિત્રો ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. કોઈ કાંઈ સમજે તે પહેલાં જ આ શખ્સોએ હિતેશભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ અત્યંત નિર્મમ રીતે હુમલો કરતા આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. જીવલેણ ઈજા અને મોત તીક્ષ્ણ હથિયારોના ઘા વાગવાને કારણે હિતેશભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે હિતેશભાઈનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પૂર્વે મોત નીપજ્યું હતું. આ હુમલામાં અન્ય મિત્રોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસ તપાસ અને ગભરાટનો માહોલ જાહેરમાં થયેલી આ હત્યાના સમાચાર વાયુવેગે લીંબડી શહેરમાં ફેલાઈ જતા વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આ પણ વાંચોઃ લીમડીમાં ગોઝારો અકસ્માત, પતંગ લેવા નીકળેલા બે સગા ભાઈઓને કાળમુખી બસે કચડ્યા

Read Full Story arrow_forward
Rajkot: SBI બેંકમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, જાહેરમાં છૂટાહાથની મારામારી
calendar_today January 13, 2026

Rajkot: SBI બેંકમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, જાહેરમાં છૂટાહાથની મારામારી

રાજકોટમાં આવેલી SBI બેંકની એક શાખામાં આજે ગ્રાહક અને બેંક કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય વાતમાં શરૂ થયેલો વિવાદ એટલો વકર્યો હતો કે બંને પક્ષો જાહેરમાં બાખડ્યા હતા, જેના કારણે બેંકમાં આવેલા અન્ય ગ્રાહકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.ફડાકો મારતા મામલો બિચક્યોપ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ કામકાજ બાબતે ગ્રાહક અને બેંક કર્મચારી વચ્ચે પ્રથમ શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે, આવેશમાં આવીને ગ્રાહકે બેંક કર્મચારીને ફડાકો ઝીંકી દેતા મામલો ગંભીર બન્યો હતો. ફડાકો પડતા જ ઉશ્કેરાયેલા બેંક કર્મચારી પણ ગ્રાહક પર બેફામ તૂટી પડ્યા હતા અને બંને વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.વીડિયો થયો વાયરલઆ સમગ્ર ઘટનાનો વીડિયો બેંકમાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેંક જેવી જાહેર જગ્યાએ બંને પક્ષો મર્યાદા ભૂલીને એકબીજા સાથે ઝઘડી રહ્યા છે. આ દરમિયાન બેંકમાં હાજર અન્ય ગ્રાહકો અને સ્ટાફે વચ્ચે પડીને બંનેને માંડ-માંડ છૂટા પાડ્યા હતા.આ પણ વાંચો: ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા મિત્રો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, એક યુવકનું કરુણ મોત

Read Full Story arrow_forward
Gandhinagar News: 16મી જાન્યુઆરીથી સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે
calendar_today January 13, 2026

Gandhinagar News: 16મી જાન્યુઆરીથી સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે

વડાપ્રધાન મોદીએ ગત 11 જાન્યુઆરીએ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આ રૂટ પરની મેટ્રો સેવા 16મી જાન્યુઆરીના રોજ શરૂ થશે. જે અંગેની વધુ વિગતો મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશ દ્વારા 16મી જાન્યુઆરીથી ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે. મેટ્રો ટ્રેનના રૂટને ઓળખવા માટે હવે અલગ અલગ કલર કોડ અપાયા છે. નવા શેડ્યુલ્ડ મુજબ વસ્ત્રાલથી થલતેજ સુધીના કોરિડોરને બ્લુ કલર, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોરને રેડ કલરથી દર્શાવાયો છે. આ ઉપરાંત મોટેરાથી સચિવાલય સુધીના રૂટને યલો લાઈન અને જીએનએલયુથી ગિફ્ટ સિટીના રૂટને વાયોલેટ કલર કોડ ફાળવાયો છે. મેટ્રો ફેઝ-2ના સચિવાલય–મહાત્મા મંદિર રૂટની લંબાઈ 7.8 કિ.મી છે. આ રૂટમાં સાત સ્ટેશન સામેલ કરાયા છે. જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર, સેક્ટર-10 અને સચિવાલયનો સમાવેશ થાય છે.મેટ્રો ફેઝ-2 અંતર્ગત કુલ 28.2 કિમીનો રૂટ અને 22 સ્ટેશન તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે પાંચ હજાર કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયો છે. આ પણ વાંચોઃ Rajkot: SBI બેંકમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા, જાહેરમાં છૂટાહાથની મારામારી

Read Full Story arrow_forward