android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો
calendar_today January 11, 2026

Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન મોદી આજે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતાં. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમણે જાહેર સભાને સંબોધિત કરી હતી. હવે તેઓ રાજકોટ ખાતે યોજાનારી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે રાજકોટ ખાતેથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો પ્રારંભ કરાવ્યો છે. વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ મોરબી હાઈવે પર સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.તેઓ આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોને સંબોધિત કરશે. કચ્છ અને સૌરાષ્ટ્રની આ સમિટમાં મહત્વપૂર્ણ કરારો થાય તેવી શક્યતાઓ છે.  વડાપ્રધાન આ સમિટમાં વિવિધ એક્ઝિબિશનને નિહાળ્યા હતાં. મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ આ સમિટમાં હાજરી આપી રહ્યાં છે.આ સમિટમા પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યાં છે. આ ઉપરાંત અનેક રોકાણકારો પણ હાજર રહ્યાં છે. આ સમિટથી ઔધોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે. પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક્ઝિબિશન, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ મળશે. ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવનું આયોજન રાજકોટ ખાતે યોજાયેલી આ સમિટમાં ટ્રેડ શો અને પ્રદર્શન, એમએસએઈ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને રાઉન્ડ ટેબલ ચર્ચાઓ પણ કરાશે. નારી શક્તિ ઉદ્યોગ સંવાદ અને નીતિ સંવાદોના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. અહીં બ્લુ ઈકોનોમી, ડેટા સેન્ટર અને ગ્રીન ડેવલોપમેન્ટ પર પણ ચર્ચાઓ કરાશે. આ પણ વાંચોઃ Gandhinagar: 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક વિશ્વ આંજણાધામ નિર્માણ પામશે

Read Full Story arrow_forward
Gir Somnath SwabhimanParv : શૌર્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા-સત્કારવા ગાભા ગામની વયોવૃદ્ધ મિત્ર મંડળી પણ પહોંચી
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : શૌર્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા-સત્કારવા ગાભા ગામની વયોવૃદ્ધ મિત્ર મંડળી પણ પહોંચી

ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા - સત્કારવા માટે તાલાળા ગાભા ગામની એક વયોવૃદ્ધ મિત્ર મંડળી પણ પહોંચી હતી. વડીલો પણ સભા સ્થળે પહોંચ્યા હતા સ્વાભિમાન પર્વ અંતર્ગત આ શૌર્ય સભામાં સહભાગી થતાં પુંજાભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન સામાન્ય માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મૂકી છે, આજે વૃદ્ધોને દર મહિને પેન્શન મળવાની સાથે ખેડૂતોને સીધી સહાય મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ નાના માણસો માટે ખૂબ સેવાના કાર્યો કર્યા છે. આ ગાભા ગામની વયોવૃદ્ધ મિત્ર મંડળીમાં ૮૫ વર્ષના હમીરભાઇ ગોહિલ, ૮૦ વર્ષના બચુભાઈ પંપાણીયા, ૭૫ વર્ષના કેસુરભાઈ પંપાણીયા, બારડભાઈનો સહિતના વડીલોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો : Gandhinagar News : અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય 'આયુવેદિક મહોત્સવ’નું આયોજન કરાયું

Read Full Story arrow_forward
Ahmedabad News: ગેરકાયદે પેથોલોજી લેબનો રાફડો, GAPM કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો
calendar_today January 11, 2026

Ahmedabad News: ગેરકાયદે પેથોલોજી લેબનો રાફડો, GAPM કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો

અમદાવાદ શહેરમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓના નામે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં હાલમાં ચાલી રહેલી GAPM 2026 ની કોન્ફરન્સમાં ચેરમેન દ્વારા એક વિસ્ફોટક નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં હજારો ગેરકાયદે પેથોલોજી લેબોરેટરીઓ ધમધમી રહી છે.એકની સામે 10 ગેરકાયદે પ્રેક્ટિસ કોન્ફરન્સ દરમિયાન ચેરમેને દાવો કર્યો હતો કે, એક પ્રમાણિત પેથોલોજીસ્ટની સામે 10 જેટલા ગેરકાયદેસર વ્યક્તિઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ, માત્ર અમદાવાદમાં 3,000 અને સમગ્ર ગુજરાતમાં અંદાજે 12,000 જેટલી ગેરકાયદે પેથોલોજી લેબ કાર્યરત છે. આ લેબોરેટરીઓ પાસે જરૂરી ડિગ્રી કે માન્યતા ન હોવા છતાં તેઓ દર્દીઓના રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ચેરમેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ0 કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં રાજ્યનું આરોગ્ય વિભાગ આ બાબતે નિષ્ક્રિય જણાય છે. અત્યાર સુધી આવી લેબ્સ કે બોગસ પેથોલોજીસ્ટ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ 'ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ' નો તાત્કાલિક અને કડક અમલ કરવાની માંગ કરવામાં આવી છે જેથી સામાન્ય જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે. AI અને અદ્યતન ટેકનોલોજી પર ભાર આ કોન્ફરન્સમાં માત્ર સમસ્યાઓ જ નહીં પરંતુ ભવિષ્યના સમાધાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશ-વિદેશના નિષ્ણાતોએ પેથોલોજી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા સચોટ નિદાન કેવી રીતે થઈ શકે તે અંગે માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી ગેરકાયદે લેબ્સ પર લગામ નહીં લાગે ત્યાં સુધી ટેકનોલોજીનો સાચો લાભ દર્દીઓ સુધી પહોંચશે નહીં. આ પણ વાંચો - Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું થશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward