android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: 20 પ્રા.શાળામાં રમતોત્સવનો પ્રારંભ
calendar_today January 10, 2026

Nadiad: 20 પ્રા.શાળામાં રમતોત્સવનો પ્રારંભ

નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 20 પ્રાથમિક શાળાઓનો આંતર શાળાકિય રમતોત્સવનું સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં કરવામાં આવ્યું છે. શનિવારે આ રમતોત્સવનું ઉદઘાટન મનપાના કમિશનર જી.એચ.સોલંકી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિવિધ યોજાનારી રમતોમાં કુલ એક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તા. 12 જાન્યુઆરી સુધી યોજાશે. રમતોત્સવમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માન કરવામાં આવે છે.રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે કમિશનર જી.એચ. સોલંકીએ રાજયના યજમાન પદે યોજાનારી કોમનવેલ્થ અને આવનારી ઓલમ્પિક ગેમમાં નડિયાદના બાળકો ભાગ લઇને વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. અને તમામ બાળકો સશકત બને અને ભારતનો પાયો મજબૂત બને તેવા આશીર્વાદ આપ્યા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડયાએ બાળકોને મળતી વિવિધ સુવિધાઓ અને તેમના શિક્ષણના હેતુઓ પ્રત્યે રાખવામાં આવતી કાળજી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. દોરડા ખેંચ , કબડ્ડી, ખોખા,દોડ , કોથળા દોડ વિગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા ખેલાડી અને ટીમને બેંક ઓફ બરોડાના સહયોગથી ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમિતિના હોદ્દેદારો, મહાનુભવો સહિત શાળાના શિક્ષકો , સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 12 જાન્યુઆરી સુધી રમતોત્સવ યોજાનાર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી પંથકમાં ઈંટભઠ્ઠાનો ત્રાસ યથાવત્ત
calendar_today January 10, 2026

Kheda: મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી પંથકમાં ઈંટભઠ્ઠાનો ત્રાસ યથાવત્ત

મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામમાં ગેરકાયદે ઇંટભઠ્ઠાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. નિયમોને નેવે મૂકી ચાલતા આ ઇંટભઠ્ઠાઓને કારણે સમગ્ર વિસ્તાર ધૂમાડા અને ધૂળથી ઢંકાઈ ગયો છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે સ્થાનિક ગ્રામજનોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેટલાય ગામડાઓમાં બેફ્કિરાઈથી ગેરકાયદેસર ઈટોના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. વાંઠવાડી ગામમાં ચાલતા ઈટોના ભઠ્ઠાની તપાસ પ્રદુષણ વિભાગે હાલમાં જ કરી છે. પણ પ્રદુષણ વિભાગને જાણે ગેરકાયદેસર ચાલતા ભઠ્ઠામા કાંઈ ખોટું થતું હોય તેમ લાગ્યું નથી.આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર 20 ફૂટ જેટલી નાની અને નિયમવિરોધી ચીમની હોવા છતાં આજદિન સુધી કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ્ ખાણ-ખનીજ વિભાગ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં બેફામ રીતે ઇંટવાડા બનાવી દેવામાં આવ્યા છે. કોઈ જાતની પરવાનગી લીધા વગર 8થી 10 ફૂટ સુધી ખેતરો ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે ખેતી લાયક જમીનને ભારે નુકસાન થયું છે અને ભૂગર્ભ જળ પર પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે ગેરકાયદે ધંધો ધમધમતો રહ્યો છે. હવે ગ્રામજનોએ તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ઇંટભઠ્ઠાઓ સામે તાત્કાલિક સીલિંગ, દંડ અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: મહેમદાવાદ તાલુકાના ખેડૂતોના હાલ 'બેહાલ'
calendar_today January 10, 2026

Kheda: મહેમદાવાદ તાલુકાના ખેડૂતોના હાલ 'બેહાલ'

મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી તાબાના નાગરપુરા ગામની છે. જેમાં ગરીબ ખેડૂતો બળદની જગ્યાએ જાતે હળ ખેંચીને રોપડી કાઢી રહ્યા હતા. ખેતરમાં બેઠેલો નિરાશ ખેડૂત, ખૂંટે બાંધી શકાય તેવો બળદ પણ નથી અને પાક નિષ્ફ્ળ જતા આંખોમાં ભવિષ્યની ચિંતા સ્પષ્ટ ઝળહળે છે.વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ દિવસેને દિવસે વધુ કફોડી બનતી જઈ રહી છે. ખેતી કરવા માટે જરૂરી મૂળભૂત સાધનો પણ અનેક ખેડૂતો પાસે ઉપલબ્ધ નથી. કેટલાય ખેડૂતો એવા છે કે જેઓ પાસે બળદ ખરીદવાના રૂપિયા સુધી નથી, જેના કારણે ખેતરોમાં હળ પણ ફરી શકતો નથી. ચાલુ વર્ષે પહેલા અતિશય વરસાદ અને ત્યારબાદ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ઊભા પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોના પગ ભેગા થતા નથી. એક તરફ્ પાક નિષ્ફ્ળ ગયો છે તો બીજી તરફ્ દેવું અને ખર્ચનો ભાર સતત વધતો જાય છે. આ સંજોગોમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. મજબૂરીમાં ખેડૂતો પોતાનો પાક ઓછી કિંમતે વેપારીઓને વેચી દે છે. વેપારીઓ આ પાકનો સંગ્રહ કરી બિન સીઝનમાં ઉંચા ભાવમાં વેચાણ કરી માલામાલ બની રહ્યા છે, જ્યારે અન્નદાતા કહેવાતા ખેડૂતો કંગાળ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે. સરકાર તરફ્થી સહાય અને વળતરની આશા આજે પણ ખેડૂતો રાખી બેઠા છે, પરંતુ મદદ સમયસર ન મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં ફ્સાયા છે. ખેતરમાં પસીનો વહાવી અન્ન ઉગાડનાર ખેડૂત આજે પોતે જ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.વિકાસના મોટા દાવાઓ વચ્ચે ખેડૂતોની આ વાસ્તવિકતા સરકાર અને તંત્ર માટે ગંભીર ચેતવણી સમાન છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward