android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા
calendar_today January 10, 2026

Gir Somnath: સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા

સોમનાથમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત આવતીકાલે એક ઐતિહાસિક અને ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ સોમનાથની પવિત્ર ધરા પર આકર્ષણનું કેન્દ્ર બનશે.પીએમ મોદીનો ભવ્ય રોડ શોઆ શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભવ્ય રોડ શો કરશે. સોમનાથની જનતા અને દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ વડાપ્રધાનનું અભિવાદન ઝીલશે. આ રોડ શોને લઈને સમગ્ર સોમનાથમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે.પોલીસ અશ્વદળનું વિશેષ આકર્ષણશૌર્ય યાત્રાની સૌથી મોટી વિશેષતા ગુજરાત પોલીસનું અશ્વદળ હશે. શુભ આંકડા સમાન કુલ 108 અશ્વ આ યાત્રામાં શૌર્યનું પ્રદર્શન કરશે. આ અશ્વદળમાં રાજ્યના 15 અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ અશ્વ અને સવારો ભાગ લેશે.અશ્વસવાર પોલીસકર્મીઓ ખાસ ટ્રેડિશનલ ડ્રેસ માં સજ્જ થઈને જોડાશે, જે ગુજરાતની સંસ્કૃતિ અને શૌર્યની ઝલક રજૂ કરશે.ભવ્ય સાંસ્કૃતિક માહોલઆ શૌર્ય યાત્રા માત્ર એક રોડ શો નહીં, પરંતુ સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને ઉજવવાનો એક પ્રસંગ બની રહેશે. ગુજરાત પોલીસના જવાનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને દેશભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમ રચશે. આ આયોજન દ્વારા 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો

Read Full Story arrow_forward
Vadodara: સોમનાથનો વિવાદાસ્પદ ઇતિહાસ, ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે નહેરુ પરિવાર અને મંદિર આક્રમણ અંગે કર્યા મોટા ખુલાસા
calendar_today January 10, 2026

Vadodara: સોમનાથનો વિવાદાસ્પદ ઇતિહાસ, ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે નહેરુ પરિવાર અને મંદિર આક્રમણ અંગે કર્યા મોટા ખુલાસા

વડોદરાના ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે સોમનાથ મંદિરના સંઘર્ષમય ઇતિહાસ અને તેના જીર્ણોદ્ધાર અંગે કેટલાક અત્યંત વિવાદાસ્પદ અને રસપ્રદ દાવાઓ રજૂ કર્યા છે. તેમણે મંદિર પર થયેલા આક્રમણો પાછળના આંતરિક કારણોથી લઈને આઝાદી પછીના રાજકીય સંઘર્ષ સુધીની વિગતો જણાવી છે.સોમનાથ પર આક્રમણ અને આંતરિક ઘૃણાઇતિહાસકારના જણાવ્યા અનુસાર, ૧૧૨૯માં જ્યારે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે તેની પાછળ પાલીતાણાના બે જૈન વેપારીઓની ભૂમિકા હતી. આ વેપારીઓ હિન્દુ ધર્મના સોમનાથ મંદિર પ્રત્યે ઘૃણા રાખતા હોવાથી તેમણે ગઝનવીને મંદિરની આર્થિક સદ્ધરતા બતાવી આક્રમણ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ઈ.સ. ૧૩૦૦માં મુઝફર શાહે હુમલો કર્યો હતો, જે મૂળ રાજપૂત હતા પરંતુ બાદમાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.નહેરુ પરિવાર અંગે ચોંકાવનારા દાવાચંદ્રશેખર પાટીલે જવાહરલાલ નહેરુના વંશાવલી અંગે ગંભીર દાવા કરતા જણાવ્યું કેજવાહરલાલ નહેરુ મૂળ ગ્યાસુદ્દીન નહેરુના વંશજ હતા. કાશ્મીરમાં નહેર પાસે રહેતા હોવાથી તેમણે 'નહેરુ' અટક સ્વીકારી હતી. તેમના વંશજો હૈદરાબાદમાં રહેતા હોવાના અને ત્યાંના મ્યુઝિયમમાં તેનો ઉલ્લેખ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઇતિહાસકારના મતે, તેઓ મૂળ મુસ્લિમ હોવા છતાં હિન્દુઓને છેતરવા હિન્દુ હોવાની ઓળખ આપતા હતા.જીર્ણોદ્ધાર અને રાજકીય સંઘર્ષ1947માં જ્યારે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો, ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 'સેક્યુલર' વિચારધારાના નામે તેમને રોકવાની કોશિશ કરી હતી. નહેરુના વિરોધ છતાં સરદાર પટેલે મક્કમ રહીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૦૧૨ પછી જ્યારે નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા, ત્યારે તેમણે સરદાર પટેલના સ્વપ્નને વધુ સાકાર કરીને મંદિરનો સર્વાંગી વિકાસ કર્યો.આ પણ વાંચો: સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા

Read Full Story arrow_forward
Jamnagarમાં પતંગની દોરીએ લીધો ભોગ: આંબેડકર બ્રિજ પર બાઈક ચાલકનું ગળું કપાતા થયો લોહીલુહાણ
calendar_today January 10, 2026

Jamnagarમાં પતંગની દોરીએ લીધો ભોગ: આંબેડકર બ્રિજ પર બાઈક ચાલકનું ગળું કપાતા થયો લોહીલુહાણ

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરમાં પતંગની કાતલ ઘાતક દોરીના કારણે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા આંબેડકર ઓવરબ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં એક બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 42 વર્ષીય ડોલન દાસ નામની વ્યક્તિ પોતાની બાઈક લઈને આંબેડકર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી.આંબેડકર બ્રિજ પર પતંગની દોરીથી ચાલક ઘાયલ આ દરમિયાન આકાશમાંથી કપાઈને આવેલી પતંગની દોરી અચાનક તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. બાઈકની ઝડપના કારણે દોરી ગળામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી, જેના પરિણામે ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જોતજોતામાં લોહી વહેવા લાગ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ડોલન દાસને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પતંગની દોરી બાઇકચાલકના ગળામાં ભરાઇહોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉત્તરાયણ સમયે બ્રિજ પર દોરી ફસાવાના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે. પોલીસે પણ નાગરિકોને બ્રિજ પરથી પસાર થતી વખતે ગળામાં પ્રોટેક્શન રાખવા અથવા સાવચેતી રાખવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward