android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: અસામાજિક તત્ત્વોએ જાહેરમાં કાન પકડી માંગી માફી
calendar_today January 10, 2026

Surat News: અસામાજિક તત્ત્વોએ જાહેરમાં કાન પકડી માંગી માફી

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી જે. ઝેડ. શાહ કોલેજમાં રોફ જમાવવા માટે મારામારી કરનારા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની પાસે માફી મંગાવી હતી.શું હતી સમગ્ર ઘટના? અમરોલીની જે. ઝેડ. શાહ કોલેજના કેમ્પસમાં થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોએ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો. પોતાનું વર્ચસ્વ જમાવવા અને ભયનો માહોલ ઉભો કરવાના ઈરાદે કરવામાં આવેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં આરોપીઓ બેફામ બનીને મારપીટ કરતા નજરે પડ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે શાન ઠેકાણે લાવી વીડિયો વાયરલ થતા જ અમરોલી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી આતંક મચાવનાર ત્રણેય મુખ્ય આરોપીઓ આર્યન રબારી, ઋત્વિક ઉર્ફે રીંકલ રબારી અને આદિત્ય રબારીની ધરપકડ કરી હતી. પોલીસે અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસાડવા માટે આરોપીઓને જે-તે ઘટના સ્થળે લઈ જઈ, તેમનો 'વરઘોડો' કાઢ્યો હતો. પોલીસે આ ત્રણેય પાસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. જે શખ્સો કોલેજમાં રોફ જમાવતા હતા, તેમની હાલત જોઈ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. આ પણ વાંચો - Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ

Read Full Story arrow_forward
CM યોગીએ માઘ મેળામાં લગાવી આસ્થાની ડૂબકી, કરી ગંગા પૂજા, જુઓ તસવીરો
calendar_today January 10, 2026

CM યોગીએ માઘ મેળામાં લગાવી આસ્થાની ડૂબકી, કરી ગંગા પૂજા, જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને માતા ગંગાને પ્રાર્થના કરી. તેમણે શ્રદ્ધાના ત્રણ સ્નાન કર્યા અને બાદમાં સંગમ નાક નજીક સતુઆ બાબા સાથે હોડીની સવારી કરી.

Read Full Story arrow_forward
NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન
calendar_today January 10, 2026

NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન

આ સ્વતંત્ર ભારત હંમેશા એટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. આપણા પૂર્વજોએ તેના માટે બલિદાન આપ્યા. તેઓએ ખૂબ અપમાન સહન કર્યું અને ભારે લાચારીના સમયગાળાનો અનુભવ કર્યો. ઘણા લોકો ફાંસીનો ભોગ બન્યા. આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે..આપણા ગામો બાળી નાંખવામાં આવ્યા...આપણી સભ્યતાનો નાશ થયો. આપણા મંદિરો લૂંટાઈ ગયા, અને આપણે મૂક પ્રેક્ષક બનીને લાચારીથી જોતા રહ્યા. આ ઇતિહાસ આપણને એક પડકાર આપે છે કે આજે ભારતના દરેક યુવાનની અંદર આગ હોવી જોઈએ. 'બદલો' શબ્દ આદર્શ નથી, પરંતુ બદલો પોતે જ એક શક્તિશાળી શક્તિ છે. આપણે આપણા ઇતિહાસ માટે બદલો લેવો પડશે. આપણે આ દેશને ફરી ત્યાં લઇ જવો પડશે જ્યાં આપણે આપણા અધિકારો, આપણા વિચારો અને આપણી માન્યતાઓના આધારે એક મહાન ભારતનું નિર્માણ કરી શકીએ..." આપણે કોઇ મંદિરનો નાશ કર્યો નથી- અજીત ડોભાલ તેઓએ વધુમાં જણાવ્યું કે આપણી પાસે ખૂબ વિકસિત સભ્યતા હતી. આપણે કોઈના મંદિરોનો નાશ કર્યો નથી. આપણે ક્યાંય લૂંટ ચલાવવા ગયા નથી. જ્યારે બાકીનું વિશ્વ ખૂબ પછાત હતું ત્યારે આપણે કોઈ દેશ કે કોઈ વિદેશી લોકો પર હુમલો કર્યો નથી. પરંતુ આપણે આપણી સુરક્ષા અને અમાણા સામે રહેલા જોખમોને સમજવામાં નિષ્ફળ ગયા. જ્યારે આપણે તેમના પ્રત્યે ઉદાસીન રહ્યા ત્યારે ઇતિહાસે અમને એક પાઠ શીખવ્યો. શું આપણે તે પાઠ શીખ્યા? શું આપણે તે પાઠ યાદ રાખીશું? જો આવનારી પેઢીઓ તે પાઠ ભૂલી જશે, તો તે આ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે. https://x.com/ANI/status/2009860383159529705વિલ પાવર વધારો- અજિત ડોભાલ તમે તમારો વિલ પાવર વધારી શકો છે. એ જ વિલપાવર રાષ્ટ્રીય શક્તિ બની જાય છે. આપણે યુદ્ધો કેમ લડીએ છીએ? આપણે મનોરોગી નથી જે દુશ્મનના મૃતદેહો અને કપાયેલા અંગો જોઈને ખૂબ સંતોષ કે આનંદ મેળવે છે. એટલા માટે યુદ્ધો લડવામાં આવતા નથી. યુદ્ધો કોઈ દેશનું મનોબળ તોડવા માટે લડવામાં આવે છે જેથી તે આપણી ઇચ્છાઓ અનુસાર શરણાગતિ સ્વીકારે અને આપણી શરતો સ્વીકારે, આપણને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા દે... રાષ્ટ્રની ઇચ્છા માટે જ યુદ્ધો લડવામાં આવે છે.https://x.com/ANI/status/2009858117895631272આવનારી પેઢી ઇતિહાસ ભૂલી જશે તો દેશ માટે દુઃખદ- અજિત પવાર તેમણે વધુમાં કહ્યું કે આજે પણ બધા યુદ્ધો અને સંઘર્ષો જુઓ જે થઈ રહ્યા છે; કેટલાક દેશો પોતાની ઇચ્છા બીજા પર લાદવા માંગે છે, અને તેના માટે, તેઓ બળનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે એટલા શક્તિશાળી છો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે, તો તમે હંમેશા સ્વતંત્ર રહેશો. પરંતુ જો તમારી પાસે બધું જ છે પણ તે મનોબળ વિનાતો તમારા બધા શસ્ત્રો અને સંસાધનો નકામા હશે, અને તેના માટે તમારે નેતૃત્વની જરૂર છે. આજે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે દેશમાં આવું નેતૃત્વ છે. એક એવું નેતૃત્વ જેણે 10 વર્ષમાં દેશને જ્યાં હતો ત્યાંથી આગળ લઇ ગયા. દેશને ઝડપી પ્રગતિના માર્ગ પર મૂકી દીધો છે. તેમની પ્રતિબદ્ધતા, તેમની મહેનત અને તેમનું સંપૂર્ણ સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે.https://x.com/ANI/status/2009864643939054065

Read Full Story arrow_forward