android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતો આરોપી ઝડપાયો, વૃદ્ધા પાસેથી 1 લાખના દાગીના પડાવ્યા હતા
calendar_today January 10, 2026

Ahmedabad: હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતો આરોપી ઝડપાયો, વૃદ્ધા પાસેથી 1 લાખના દાગીના પડાવ્યા હતા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ઝોન 7 એલસીબીએ આ ગુનામાં સુનિલ નાથ મદારીની ધરપકડ કરી છે.વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી રસ્તો પૂછવાના બહાને વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા હતા. પોલીસે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા તપાસ શરુ અટકાયત બાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે લોકોને આવા તત્વો સામે સાવચેત રહેવાની સલાહ આપી છે. આ પણ વાંચો----   Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા

Read Full Story arrow_forward
Rajasthan Hit and Run: જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત
calendar_today January 10, 2026

Rajasthan Hit and Run: જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત

રાજસ્થાનના જયપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. થોડી જ મિનિટોમાં રસ્તા પર દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા. સ્થિતિ એવી હતી કે જોત જોતામાં જ ચીસા ચીસ થઇ ગઇ. લગભગ 16 લોકો ઇજાગ્રસ્ત થયા. જેમાં એકનું મોત થયું છે. 120 km પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી કાર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતી કાર મોત લઇને આવી. ઘટનામાં કાર લોકો કારમાં સવાર હતા અને આશંકા છે કે ચારેય નશાની હાલતમાં હતા. આ ઘટના માનસરોવરની પત્રકાર કોલોનીમાં બની, જ્યાં કાર રેસિંગ કાળ બની ગઇ. હાઇ સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઇ જતા 10 લારીને ટક્કર મારી દીધી અને 16 લોકોને અડફેટે લઇ લીધા.એટલુ જ નહીં ટક્કર એટલી ભીષણ હતી કે ઓડી 100 ફૂટ દૂર એક ઝાડ સાથે અથડાઇ ગઇ.સ્પીડમાં આવતી કારે 16 લોકોને લીધા અડફેટે, 1નું મોત હિંસક ટક્કરને કારણે ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ. લોકો ખાઈ રહ્યા હતા અને અચાનક થયેલા અકસ્માતથી ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાઈ ગયું, જેના કારણે લોકો સલામતી માટે દોડી ગયા. ભીલવાડાના રમેશ તરીકે ઓળખાતા એક સ્ટ્રીટ વેન્ડરનું અકસ્માતમાં મોત થયું. રમેશને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અકસ્માત સમયે કારમાં ચાર લોકો હતા. આમાંથી પપ્પુ નામના મુસાફર અને એક પોલીસકર્મીને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ડ્રાઈવર દિનેશ હજુ પણ ફરાર છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં સંડોવાયેલી કાર ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. આ ઓડી દમણ અને દીવના શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. ચુરુના રહેવાસી દિનેશે ત્રણ મહિના પહેલા જ કાર ખરીદી હતી.કારમાં સવાર લોકોની પૂછપરછ તેજ કારમાં સવાર તમામ લોકોના ફોન મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન પપ્પુએ પોલીસને જણાવ્યું હતું કે દિનેશે પહેલા તેને જર્નાલિસ્ટ કોલોની નજીક બોલાવ્યો અને પછી કારમાં ખરબાસ સર્કલ તરફ ભાગી ગયો. કાર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. મેં તેને વારંવાર ગાડી ધીમી કરવા કહ્યું, પરંતુ તેણે મારી વિનંતીને અવગણી.અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ જાલોરના પારસ, મૃદુલ, રાકેશ, રાજેન્દ્ર, પ્રતાપ નગરના દીપક, ભીલવાડાના હેમરાજ, છોટે લાલ મીણા, રવિ જૈન, પ્રકાશ, આશિષ અને દિવાન તરીકે થઈ છે, જે બધા અલવરના છે. અકસ્માત બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, લોકો ઘટનાસ્થળે ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓના હસ્તક્ષેપ બાદ તેઓ શાંત થયા હતા.

Read Full Story arrow_forward
PM Modi In Gujarat : ગાંધીનગર મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, PMના પ્રવાસને લઈ શનિ-રવિ કચેરીઓ ધમધમશે
calendar_today January 10, 2026

PM Modi In Gujarat : ગાંધીનગર મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, PMના પ્રવાસને લઈ શનિ-રવિ કચેરીઓ ધમધમશે

PM નરેન્દ્ર મોદીના આગામી ગાંધીનગર પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM ના કાર્યક્રમનું સુચારૂ આયોજન અને પૂર્વતૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે હેતુથી મનપાના તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ બાબતે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસને લગતી કામગીરીને પ્રાથમિકતા આપીને તમામ વિભાગોએ સજ્જ રહેવાનું રહેશે.કર્મચારીઓની રજાઓ રદ આ પરિપત્ર અનુસાર, આજે અને આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારના રજાના દિવસો હોવા છતાં ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. PMના વિવિધ કાર્યક્રમોના સ્થળની સફાઈ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય લોજિસ્ટિક્સની જવાબદારીઓ સંભાળવા માટે તમામ અધિકારીઓ અને સ્ટાફને હાજર રહેવા કડક સૂચના અપાઈ છે. આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે મનપા કમિશનર દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : Mahisagar માં 'લૂંટેરી દુલ્હન'નો શિકાર, લગ્નના માત્ર 10 જ દિવસમાં દુલ્હન રોકડ-દાગીના લઈ રફુચક્કર

Read Full Story arrow_forward