android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: બેદરકારી મનપાની : સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર ખોદાયેલ ખાડો અકસ્માત નોતરશે
calendar_today January 9, 2026

Surendranagar: બેદરકારી મનપાની : સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર ખોદાયેલ ખાડો અકસ્માત નોતરશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ શહેરના વિવિધ રસ્તાઓનું નવિનીકરણ કામ હાથ ધરાય છે. પરંતુ 20થી વધુ સોસાયટીઓ જયાં આવેલી છે તે નવા જંકશન તરફનો રસ્તો હજુ પણ બિસમાર છે. આ રસ્તેથી સોસાયટીના રહીશો ઉપરાંત નવા જંકશન જતા અને આવતા હજારો મુસાફરો દૈનીક નીકળે છે. આ ઉપરાંત નવા જંકશન પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરે પણ દરરોજ મોટી સંખ્યામાં જતા હરિભકતો આ રસ્તેથી પસાર થાય છે. બિસ્માર રસ્તાના નવિનીકરણની વાત તો એકબાજુએ રહી પરંતુ છેલ્લા 10 દિવસથી અલકાચોક પાસે રસ્તા પર મસમોટો ખાડો કરાયો છે. ખાડાની ફરતે કોઈ સાઈન બોર્ડ પણ મુકાયા નથી. આથી મોડી રાત્રે આ સ્થળે દુર્ઘટના થવાથી ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગણી આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રાનું આમોદ ખાતે સ્વાગત
calendar_today January 9, 2026

Bharuch:નિવૃત્ત આર્મી જવાનોની દાંડી યાત્રાનું આમોદ ખાતે સ્વાગત

અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી નિવૃત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોચતા આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા - 1ના વિદ્યાર્થીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું.ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમજવા અને જાણવાના હેતુ સાથે બીજી જાન્યુઆરી અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા આજ રોજ આમોદ ખાતે આવી પહોંચી હતી.જે દાંડીયાત્રાનું શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું. દાંડી યાત્રામાં ભારતીય આર્મીના અલગ અગ રાજ્યોના 16 નિવૃત્ત જવાનો જોડાયા છે. .આમોદ ગાંધી આશ્રમ ખાતે શાળાના બાળકો સાથે તેમણે વાર્તાલાપ કરી ગાંધીજીના જીવન મૂલ્યો વિશે હળવા અંદાજમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આમોદના અગ્રણીઓએ પણ નિવૃત આર્મી જવાનોનું સન્માન કર્યુ હતું. યાત્રા અહીથી દાંડી જવા રવાના થઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પતિ-પત્ની વચ્ચે કંકાસના વધતા કેસો
calendar_today January 9, 2026

Surendranagar: પતિ-પત્ની વચ્ચે કંકાસના વધતા કેસો

ઝાલાવાડમાં હાલના સમયમાં પતિ-પત્ની વચ્ચે વિખવાદના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં વર્ષ 2025માં 164 કેસ આવ્યા હતા. આ આવેલ કેસોમાંથી 52 દંપતીઓના સમાધાન કરાવાયા છે.હાલના આધુનીક સમયમાં પતિ-પત્ની વચ્ચેના સબંધોમાં ગમે ત્યારે ખટાશ આવી જાય છે. કોઈકવાર મામલો પોલીસ મથકે તો કોર્ટના દ્વારે પણ પહોંચે છે. ત્યારે પોલીસ કે કોર્ટ સુધી મામલો પહોંચે તે પહેલા જ બન્ને વચ્ચે સમાધાન થાય તે હેતુથી જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની સ્થાપના વર્ષ 2014થી કરાઈ છે. હાલ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકમાં આ કચેરી બેસે છે. વર્ષ 2014થી શરૂ થયેલ આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 350થી વધુ પતિ-પત્ની વચ્ચેના વીખવાદના કેસમાં સમાધાન કરાવાયુ હોવાનું જાણવા મળે છે. જેમાં 52 કેસો તો ગત વર્ષ 2025ના જ છે. આ અંગે માહીતી આપતા કાઉન્સીલર સંગીતાબેન વાઘેલા અને ઈલાબેન પરમારે જણાવ્યુ કે, વર્ષ 2025માં સેન્ટરને કુલ 164 કેસો મળ્યા છે. જેમાં 52 કેસોમાં દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવાયુ છે. જયારે 62 કેસો મફત કાનુની સલાહ માટે જિલ્લા કાનુની સત્તા મંડળ તરફ રવાના કરાયા હતા. જયારે 13 કેસોમાં પોલીસ કાર્યવાહી કરવા આગળ મોકલાયા હતા. આવા કેસો અમારી પાસે આવતા અરજદાર મહિલા પતિ તથા સાસરીયાઓને બોલાવી, ગ્રુપ મીટીંગ કરી તેઓને કાયદાની સમજ આપીને બન્ને વચ્ચે સમાધાન કરાવાય છે. આ સમાધાન બાદ લેવાયેલ ફોલોઅપમાં પણ બન્નેનું જીવન સુખમય રીતે પસાર થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward