android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:મંજુસર પાસે રૂા.4.68 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
calendar_today January 9, 2026

Vadodara:મંજુસર પાસે રૂા.4.68 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પસાર થતા એક્સપ્રેસ હાઇવે પરથી ટ્રકમાં ચોર ખાનુ બનાવી ને છુપાવેલી 7068 નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂા. 4,68,9000નો મુદ્દામાલ સાથે એકને જિલ્લા એલ સી બીની ટીમે ઝડપીને જેલ ભેગો કર્યો છે.મળતી માહિતી મુજબ, જિલ્લા એલસીબીની ટીમ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક ટ્રકમાં વિદેશી દારૂની હેરફેર થવાની છે. તેના પગલે ટીમે ટ્રક નંબર જી જે 25 યુ 8694ને ઊભી રાખી હતી. તેમાં તપાસ કરતા કુલરના જુના બોક્સની આડમાં વિદેશી દારૂની 285 પેટી 7068 નંગ બોટલ 36,66000ની ઝડપી પાડી હતી. તેમજ ટ્રક અને મોબાઈલ તેમજ રોકડ મળી કુલ 46,89000 સાથે એકની ધરપકડ કરી ને મંજુસર પોલીસને હવાલે કર્યો છે એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી ટ્રકમાં કુલ 285 પેટીમાં 7068 ચોરખાનું બનાવી દારૂ ભરાયો હતો. જે જોઈને એલ સી બીની ટીમ પણ બૂટલેગરોના કિમિયા જોઈને અચંબિત થઇ ગઈ હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર દેવારામ જાટ (રહે. મોટી ચુનીઓકાટલા જી બાડમેર રાજસ્થાન)ને ઝડપીને જેલ ભેગો કર્યો છે. આ દારૂનો જથ્થો મોકલનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotauadypur:હાફેશ્વર સહિતના શિવાલયોમાં 72 કલાક ઓમકાર નાદ
calendar_today January 9, 2026

Chhotauadypur:હાફેશ્વર સહિતના શિવાલયોમાં 72 કલાક ઓમકાર નાદ

વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય અને ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાઇ રહી છે. આ પર્વ અંતર્ગત સોમનાથ ખાતે 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદ અને મંત્રોચ્ચારનું આયોજન કરાયું છે.આ પાવન અવસર પર છોટાઉદેપુર જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ટ ગ્રામીણ પર્યટન સ્થળ સ્પર્ધા 2024નો એવોર્ડ મેળવનાર હાફેશ્વર ખાતેના મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, જબરેશ્વર (પંચેશ્વર) મહાદેવ મંદિર સહીત તમામ મહાદેવ મંદિરોમાં પણ સવારે 9 કલાકથી સતત 72 કલાક સુધી ઓમકાર નાદ તથા વિવિધ વૈદિક મંત્રોચ્ચાર કરાઇ રહ્યાં છે. ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે જ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક સંયોગના અવસરે સોમનાથના શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના ગૌરવમય ઇતિહાસને સમગ્ર દેશ યાદ રાખે અને ભાવિ પેઢી સુધી પહોંચે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરાયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:જિલ્લાના ધો.1-2નાં શિક્ષકો માટેની ડાયટ તાલીમ યોજાઈ
calendar_today January 9, 2026

Padra:જિલ્લાના ધો.1-2નાં શિક્ષકો માટેની ડાયટ તાલીમ યોજાઈ

સ્ટેટ પ્રોજેક્ટ ઓફ્સિ, સમગ્ર શિક્ષા, ગાંધીનગરની સૂચના અન્વયે તથા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ને ધ્યાને લઈ નિપુણ ભારત મિશનને સાર્થક કરવાના હેતુથી બાલવાટિકા તેમજ ધો. 1 અને 2ના બાળકો માટે ઉપલબ્ધ કરાવેલી અધ્યયન-અધ્યાપન સામગ્રીના અસરકારક ઉપયોગ અંગે શિક્ષકોની જિલ્લાકક્ષાની ડાયટ તાલીમ યોજાઇ હતી.શૈક્ષણિક વર્ષ 2024-25થી તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના બાળકો માટે વિવિધ પ્રકારની અધ્યાપન સામગ્રી ઉપલબ્ધ કરાઇ છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં ધો.1 અને 2ના બાળકોને અભ્યાસક્રમમાં નવિનતા, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા વર્ગખંડની પ્રક્રિયાને વધુ રુચિકર બનાવવા માટે આ સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય તે આશયથી તા. 7 અને 8 જાન્યુ.-26એ ડાયટ, વડોદરા ખાતે બે દિવસીય બિનનિવાસી માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી. તાલીમમાં જિલ્લાના અંદાજે 70 જેટલા તાલીમાર્થીએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ તૈયાર થયેલા આર.પી. (Resource Persons) દ્વારા તાલીમ અપાઇ હતી. સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેના સીધા માર્ગદર્શનમા કરાયું હતું. જેના પ્રથમ દિવસે ડીઇઓ મહેશ પાંડેએ તાલીમાર્થીને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શાળાઓને આપેલી શૈક્ષણિક સાહિત્ય-સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. માસ્ટર ટ્રેનર્સ તાલીમ પૂર્ણ થયા બાદ હવે જિલ્લાના દરેક તાલુકામાં ધો.1 અને 2ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે તાલુકા કક્ષાએ વિવિધ તાલીમ કેન્દ્રો ઉપર તાલીમ યોજાશે. તેવી માહિતી અપાઇ છે. જિલ્લા કક્ષાએ યોજાયેલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું સફ્ળ સંચાલન ઝ્રઇઝ્ર કો.ઓ. બીનીતાબેન તરબદા તથા મુકેશ શર્મા દ્વારા કરાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward