android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: આરોગ્યની ટીમોનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થયું : 7,305થી વધુ ઘરોનો સંપર્ક
calendar_today January 9, 2026

Gandhinagar: આરોગ્યની ટીમોનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થયું : 7,305થી વધુ ઘરોનો સંપર્ક

ગાંધીનગર શહેરમાં વગર ચોમાસાએ પાણીજન્ય રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્યની ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘરે-ઘરે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આજે 7,305થી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તથા 30,192ની વસતીને આવરી લેવામાં આવી હતી. સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. સ્થળ પર જ ઓપીડી શરૂ કરી દેવાઈ છે. સેક્ટર-24 તથા સેક્ટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનોને સર્વેમાં ઉતારવામાં આવી છે. આજે પણ આ ટીમોએ ઘરેઘરે જઈને લોકોનો સંપર્ક કરીને તેમની ફરિયાદો સાંભળી હતી. આજે બીજા 30 હજારથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પરિવારોને આજે 3,845 ક્લોરીનની ટેબલેટ તથા 2,846 ઓઆરએસના પેકેટ અને 3,000 પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ક્લોરિનેશનની પાણીમાં માત્રા પણ રોજેરોજ ચકાસવામાં આવી રહી છે. આજરોજ 607 ક્લોરિન ટેસ્ટ કરવામાં 3 નેગેટિવ અને 604 પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરમાં ટાઈફોઈડના નવા 15 કેસ :12 બાળકો સપડાયા
calendar_today January 9, 2026

Gandhinagar: શહેરમાં ટાઈફોઈડના નવા 15 કેસ :12 બાળકો સપડાયા

દૂષિત પાણીને લઈ ટાઈફોઈડના વધુ 15 નવા કેસો મળી આવ્યા છે. જેમાં 12 બાળકો સકંજામાં સપડાયા છે. આ સાથે કુલ આંક 182 થયો છે.સામે આજે 20 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હજુ પણ ચાલુ છે. દરમિયાન ટાઈફોઈડના નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જે કેસો મળી આવ્યા તે મોટાભાગે સેક્ટર-24 ઈન્દિરાનગર, સે-26, સે-28 જીઆઈડીસી અને આદિવાડાના હોવાની વિગતો છે. હાલ સિવિલમાં 89 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 52 દર્દીઓ ટાઈફોઈડ પોઝિટિવ છે, જ્યારે 37 જેટલા દર્દી શંકાસ્પદ છે. દૂષિત પાણીના કારણે શહેરના ઉક્ત વિસ્તારમાં ટાઈફોઈડનો પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ટાઈફોઈડના કેસો હજુ સતત વધી રહ્યા છે. આરોગ્ય તંત્રના કહેવા મુજબ હજુ આગામી દિવસો સુધી ટાઈફોઈડનું સંક્રમણ જોવા મળશે. ગઈકાલે ટાઈફોઈડના 14 કેસો મળ્યા હતા. આજે શુક્રવારે બીજા વધુ 15 નવા કેસો ઉમેરાયા છે. જેમાં 12 જેટલા બાળકોનો ટાઈફોઈડ થયો છે. તમામમાં તાવ અને પેટમાં દુઃખાવાની ફરિયાદો હતી. જેને લઈ સર્વેલન્સની ટીમો દ્વારા બ્લડ કલ્ચર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ટાઈફોઈડનું નિદાન થયું હતું. હાલમાં આ તમામ નવા દર્દીઓ પણ ગાંધીનગર સિવીલમાં સારવાર માટે દાખલ છે. આદિવાડામાં હજુ પણ દૂષિત પાણી આવતું હોવાની રહીશોની ફરિયાદ છે. તો બીજીબાજુ લોકોને પાણી ઉકાળીને પીવા માટે સર્વેલન્સની ટીમો દ્વારા ઘરેઘરે ફરીને કહેવામાં આવે છે. બહારનો ખોરાક બિલકુલ નહિ ખાવા તેમજ હાથ સ્વચ્છ રાખવા માટે પણ લોકોને કહેવામાં આવે છે. સૌથી વધુ 5 થી 15 વર્ષ સુધીના બાળકો ટાઈફોઈડમાં પટકાયા છે. બે બાળકોના શંકાસ્પદ મૃત્યુ સિવાય સ્થિતિ જળવાયેલી રહી છે. ગાંધીનગરમાં ટાઈફોઈડને અત્યારે રાજકીય મુદ્દો બનાવી દેવાયો છે. લોકોની બિમારી ઉપર પણ રાજકીય રોટલા શેકવાનું કોઈ ભૂલતું નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી 4 કંપનીઓ સામે GPCBનો સપાટો
calendar_today January 9, 2026

Surat News: ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી 4 કંપનીઓ સામે GPCBનો સપાટો

ડાયમંડ સિટી સુરતમાં પાલિકાની ગટર લાઈનમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ યુક્ત પાણી ઠાલવી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે GPCB દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલી કંપનીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલ ઠાલવતા રંગેહાથ ઝડપાયેલા એકમો સામે કાર્યવાહી કરતા GPCBએ કુલ 4 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી છે, જેનો અર્થ છે કે આ એકમોએ તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવી પડશે.ચાર કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવાઇખાસ કરીને પાંડેસરામાં આવેલી ઉમા એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રત્યેકને રૂ.25 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ઝેરી કેમિકલને શુદ્ધ કર્યા વગર સીધું ગટરમાં છોડવાને કારણે ડ્રેનેજ લાઈનોને નુકસાન થવાની સાથે સાથે જમીન અને પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉમા એન્ટરપ્રાઇઝ, માં એન્ટરપ્રાઇઝને 25 લાખનો દંડઆ કેમિકલના કારણે શ્રમિકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઉભું થયું હતું. સ્થાનિક રહીશોની ફરિયાદો અને પાલિકાના ડેટાના આધારે GPCBએ આ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીથી અન્ય પ્રદૂષણ ફેલાવતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ જે એકમો નિયમોનું પાલન નહીં કરે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward