Gandhinagar: આરોગ્યની ટીમોનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થયું : 7,305થી વધુ ઘરોનો સંપર્ક
ગાંધીનગર શહેરમાં વગર ચોમાસાએ પાણીજન્ય રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્યની ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘરે-ઘરે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આજે 7,305થી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તથા 30,192ની વસતીને આવરી લેવામાં આવી હતી. સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. સ્થળ પર જ ઓપીડી શરૂ કરી દેવાઈ છે. સેક્ટર-24 તથા સેક્ટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનોને સર્વેમાં ઉતારવામાં આવી છે. આજે પણ આ ટીમોએ ઘરેઘરે જઈને લોકોનો સંપર્ક કરીને તેમની ફરિયાદો સાંભળી હતી. આજે બીજા 30 હજારથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પરિવારોને આજે 3,845 ક્લોરીનની ટેબલેટ તથા 2,846 ઓઆરએસના પેકેટ અને 3,000 પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ક્લોરિનેશનની પાણીમાં માત્રા પણ રોજેરોજ ચકાસવામાં આવી રહી છે. આજરોજ 607 ક્લોરિન ટેસ્ટ કરવામાં 3 નેગેટિવ અને 604 પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward