android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક,  શેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા
calendar_today January 9, 2026

Rajkot News : રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા

રાજકોટની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે, શેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા અને કૂતરાઓએ સ્થાનિકોની ગાડીમાં પહોંચાડ્યું નુકસાન, સ્થાનિકોની ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે અને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. રાજકોટ શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આંતક રાજકોટ શહેરમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે અને કૂતરાઓ વાહનો પર ઢાંકેલા કવરને પણ નુકસાન પહોંચાડતા હોય છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વારંવાર કોર્પોરેશન અને વોર્ડના કોર્પોરેટરને રજૂઆત કરી છે તેમ છત્તા આ સમસ્યા દૂર થતી નથી અને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે રાજકોટ કોર્પોરેશન તમે પણ જગ્યાએ જાવ તો તમને પણ ખબર પડશે કે, એકલ-દોકલને કૂતરાઓ કરડી રહ્યાં છે અને સ્થાનિકોમાં ભય છે. જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Railway News : કાંદિવલી–બોરીવલી વિભાગ પર મેજર બ્લોકના કારણે આ ટ્રેનોને થશે મોટી અસર

Read Full Story arrow_forward
Surat ની કોલેજોમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક, અમરોલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો
calendar_today January 9, 2026

Surat ની કોલેજોમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક, અમરોલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો

સુરતની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં અમરોલી કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોએ ઘૂસીને ઉત્પાત મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગુંડા તત્વોએ કોલેજ પ્રિમાઈસીસની અંદર જ વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિદ્યાના ધામમાં આ રીતે ખુલ્લેઆમ થતી ગુંડાગીરીને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે કે શું તેમના બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત છે?શિક્ષણ સંસ્થા કે ગુંડાઓનો અડ્ડો? આ સમગ્ર હુમલાની ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો કોઈપણ ડર વગર કોલેજ કેમ્પસમાં હિંસા આચરી રહ્યા છે. આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા સુરત પોલીસ સફાળી જાગી છે અને વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ખાતરી આપી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અશાંતિ ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા હુમલા કેસમાં ઠાકોર સમાજ લાલઘૂમ, તપાસ 'નિર્લિપ્ત રાય'ને સોંપવાની ઉગ્ર માંગ

Read Full Story arrow_forward
Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?
calendar_today January 9, 2026

Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

સુરતના વાહનચાલકો અને લાયસન્સ મેળવવા ઈચ્છતા અરજદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) હવે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે Artificial Intelligence (AI) નો સહારો લેવા જઈ રહ્યું છે. સુરત RTO ખાતે AI બેઈઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે આગામી પાંચ દિવસ સુધી ટેસ્ટ ટ્રેક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.10 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે ટેસ્ટ ટ્રેક નવી ટેક્નોલોજીના ઇન્સ્ટોલેશન અને ટ્રેકના અપગ્રેડેશનની કામગીરીને પગલે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સુરત RTOનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સદંતર બંધ રહેશે. જે અરજદારોએ આ તારીખો દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી, તેઓએ મૂંઝાવાની જરૂર નથી. RTO તંત્ર દ્વારા આ અરજદારોને આગળની નવી તારીખો ફાળવી દેવામાં આવશે, જેની જાણકારી તેમને મેસેજ કે ઓનલાઇન પોર્ટલ દ્વારા આપવામાં આવશે. 26 જાન્યુઆરીથી AI સિસ્ટમ થશે કાર્યરત સુરત RTOના જણાવ્યા અનુસાર, AI બેઈઝ્ડ ટ્રેકની કામગીરી આવતા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે. તમામ ટેસ્ટિંગ અને ટ્રાયલ બાદ, પ્રજાસત્તાક પર્વ એટલે કે 26 જાન્યુઆરીથી આ હાઈટેક AI સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવશે. આ સિસ્ટમ આવવાથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ ઘટશે અને ટેસ્ટનું પરિણામ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને સેન્સર્સ દ્વારા સંચાલિત હશે. AI બેઈઝ્ડ ટ્રેકના ફાયદા AI સિસ્ટમ લાગુ થવાથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે. ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની-નાની ભૂલોને AI સેન્સર્સ પકડી પાડશે, જેના કારણે ખરેખર લાયક ચાલકોને જ લાયસન્સ મળશે. આનાથી રોડ સેફ્ટીમાં પણ વધારો થશે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પર લગામ લાગશે. આ પણ વાંચો - Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

Read Full Story arrow_forward