android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: પંથકમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો ગ્રામ્યમાં કાતિલ શીતલહેરથી લોકો ઠૂંઠવાયા
calendar_today January 8, 2026

Mandal: પંથકમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો ગ્રામ્યમાં કાતિલ શીતલહેરથી લોકો ઠૂંઠવાયા

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં જાન્યુઆરીની શરૂઆતથી જ એકાએક ઠંડીમાં વધારો નોંધાયો છે. તેમાંય છેલ્લાં પાંચ દિવસથી માંડલ પંથકમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હાડ થીજવતી ઠંડી વચ્ચે હવે બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈએ દિવસના સુમારે ગરમ વસ્ત્રનો સહારો લેવો પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં હાલ કૃષિની સીઝનો આસપાસના લગભગ વિસ્તારમાં સીમ વિસ્તારોમાં રાત્રીભર ખેડુતો શિયાળુ પાકોને પાણી પીવડાવે જેથી ગામડાઓમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. માંડલ નગરમાં પણ સાંજે 7 વાગ્યા પછી અને સવારે 9થી 10 પહેલાં રોડ સુમસામ જોવા મળતાં હોય છે. વહેલી સવારે તો વાહનો, કારના કાચો અને રોડ-રસ્તાઓ ઉપર પણ ઝાકળ છવાયેલો જોવા મળે છે અને સવારે 6 વાગ્યા પહેલાં ગ્રામ્ય માર્ગો પર ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: બાઈક સવારને બચાવવા જતાં રોડના ડિવાઈડર ઉપર કાર પલટી ખાઈ ગઈ
calendar_today January 8, 2026

Mandal: બાઈક સવારને બચાવવા જતાં રોડના ડિવાઈડર ઉપર કાર પલટી ખાઈ ગઈ

અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના વિઠલાપુર થી બેચરાજી સુધીના હાઈવે ઉપર ઔદ્યોગિક હબને લઈ 24 કલાક વાહનોની ભારે અવરજવરને પગલે હવે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. તાજેતરમાં વિઠલાપુર-બેચરાજી હાઈવે ઉપર બાઈક સવારને બચાવવા જતી એક ફોર વ્હિલર બંને બાજુના રોડની વચ્ચે આવેલ ડીવાઈડર ઉપર પલટી ખાઈ ગઈ હતી જેથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં અને કારના ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા વિઠલાપુરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, દાલોદ ગામની ચોકડી ઉપર પણ આવી ઘટનાઓ અગાઉ બની છે અને આગામી સમયમાં અકસ્માતો ના નોંધાય તેથી વરમોર થી વિઠલાપુર જતાં હાઈવે ઉપર દાલોદ ચોકડી ખાતે પોલીસ વિભાગ દ્વારા બેરીકેટીંગની વ્યવસ્થા ઉભી થાય તે માટે દાલોદના ઉપસરપંચ કિશન સેંધવ દ્વારા માંડલ પોલીસ મથકે રજુઆત કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી ત્રસ્ત લાઈનમેન ગુમ
calendar_today January 8, 2026

Surendranagar: ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી ત્રસ્ત લાઈનમેન ગુમ

ધ્રાંગધ્રાની સોની તલાવડીમાં રહેતા હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા જેટકો 400 કેવી સબ સ્ટેશન માનસરમાં લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. જેટકોના સુરેન્દ્રનગર સર્કલથી લઈને જનરલ મેનેજર એચઆર વડોદરા સુધીના ઉચ્ચ અધીકારીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા તેઓએ એસીબીમાં અરજી કરી હતી. આ તેનું મનદુઃખ રાખી તેમની સાથે રાગદ્વેષ ભરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. લાઈનમેનના પત્ની નીતાબેન ચાવડા અને ગીતા (ગુજરાત એનર્જી એમ્પલોઈઝ ટેકનીકલ એસોસિયેશન)ના હોદ્દેદારોએ તા. 8મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર એસપી કચેરીએ લેખીત રજૂઆત કરતા જણાવ્યુ કે, હસમુખભાઈએ છેલ્લે ગત તા. 3જી જાન્યુઆરીએ કચેરી ખાતેથી વીડીયો બનાવી કર્મચારીઓના ગ્રુપમાં વાયરલ કર્યો છે. જેમાં જણાવાયા મુજબ એસીબીમાં ઉચ્ચ અધીકારીઓ વિરૂધ્ધ કરાયેલ રજૂઆત બાદ તેઓની સાથે રાગદ્વેશ ભરી નીતી અપનાવાય છે. તેમનું 5 વર્ષથી પ્રમોશન ડયુ હતુ. વર્ષ 2021થી ડયુ પ્રમોશન તાજેતરમાં તેમને અપાયુ છે. જયારે પ્રમોશનમાં મળતા નાણાકીય લાભોથી તેમને વંચીત રખાયા છે. બીજી તરફ એસીબીમાં કરાયેલ રજુઆતને લઈને તેમને ટર્મીનેટ કરવાની મૌખીક સુચના વડી કચેરીએથી અપાતા આ અંગેની કાર્યવાહી થઈ રહી છે. આથી તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. જેના જવાબદાર જેટકોના સર્કલ સુરેન્દ્રનગર, જનરલ મેનેજર એચઆર વડોદરા, કાર્યવાહક જનરલ મેનેજર એચઆર વડોદરા, અન્ય બે યુનીયનના આગેવાનો હોવાનું પણ તેઓએ વીડિયોમાં જણાવ્યુ છે. ત્યારે આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવા એસપીને ઉદ્દેશીને રજુઆત કરાઈ છે. આ અંગે ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમ.યુ.મશીએ જણાવ્યુ કે, ગુમ થનાર લાઈનમેન ધ્રાંગધ્રામાં રહે છે. પરંતુ તેઓનું ફરજનું સ્થળ હળવદના માનસર ગામનું જેટકો સબ સ્ટેશન છે. તેઓ તેમની કચેરી ખાતેથી વીડીયો બનાવી ગુમ થયા છે. આ અંગે હળવદ પોલીસ મથકે પરીવારજનોએ જાણવા જોગ નોંધાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward