android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, 2300થી વધુ જગ્યાઓ ખાલી
calendar_today January 8, 2026

Kutch News: કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, 2300થી વધુ જગ્યાઓ ખાલી

ગુજરાતનો સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો અત્યારે ગંભીર વહીવટી સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. મહેસૂલ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના વિભાગોમાં કર્મચારીઓની ભારે અછતને કારણે સામાન્ય જનતાના કામો અટવાયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કચ્છ હવે માત્ર નવા કર્મચારીઓની 'તાલીમશાળા' કે અન્ય જિલ્લામાં જવા માટેનું 'વેઈટિંગ લિસ્ટ' બનીને રહી ગયું હોય તેમ જણાય છે.મહેસૂલ વિભાગમાં સ્ટાફનો દુષ્કાળ કચ્છની જટિલ ભૌગોલિક સ્થિતિને કારણે અહીં મહેસૂલી પ્રશ્નો વધુ હોય છે. એકતરફ નાયબ કલેક્ટર અને મામલતદાર જેવી મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સરકારે નવા જાહેર કરેલા વાવ-થરાદ જિલ્લા માટે કચ્છમાંથી વધુ 44 મહેસૂલી કર્મચારીઓની બદલી કરી દીધી છે. આ નિર્ણયથી ખાલી જગ્યાઓનો આંકડો વધતા વહીવટી માળખું ખોરવાઈ ગયું છે. શિક્ષણની કથળતી સ્થિતિ 2300થી વધુ જગ્યાઓ ખાલી શિક્ષણ ક્ષેત્રે તો સ્થિતિ અત્યંત દયનીય છે. આંકડાકીય વિગતો મુજબ જો વાત કરીએ તો કચ્છમાં કુલ 1667 પ્રાથમિક શાળાઓ છે. મંજૂર થયેલા 9295ના મહેકમ સામે માત્ર 7404 શિક્ષકો જ કાર્યરત છે. તાજેતરમાં જિલ્લા ફેરબદલીમાં 660 શિક્ષકો કચ્છ છોડીને ગયા, જેની સામે માત્ર 1 શિક્ષક કચ્છમાં આવ્યો છે.હાલમાં કુલ 2391 શિક્ષકોની ઘટ પડી રહી છે. મુખ્યમંત્રીને પત્ર લખીને કાયમી ભરતી માટે કરી રજૂઆત આ ગંભીર સ્થિતિને જોતા જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને કાયમી ભરતી ન થાય ત્યાં સુધી તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા મંજૂરી માંગી છે, જેથી બાળકોના ભવિષ્ય પર માઠી અસર ન પડે. માત્ર શિક્ષણ કે મહેસૂલ જ નહીં, આરોગ્ય અને જિલ્લા પંચાયતના તમામ વિભાગોમાં સ્ટાફની તીવ્ર અછત છે. સરકાર દ્વારા 4100 શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત છતાં કચ્છને પૂરતો સ્ટાફ મળ્યો નથી. જો સરકાર સત્વરે અસરકારક નિર્ણય નહીં લે, તો સરહદી જિલ્લાનો વિકાસ રૂંધાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ પણ વાંચોઃ Surat News: મંકી માસ્ક પહેરીને 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર શાતિર ચોર ઝડપાયો

Read Full Story arrow_forward
Banaskantha News: ફાયર સેફ્ટી વગરનું કોમ્પ્લેક્સ સીલ કરાયું
calendar_today January 8, 2026

Banaskantha News: ફાયર સેફ્ટી વગરનું કોમ્પ્લેક્સ સીલ કરાયું

રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણ વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયની સૂચનાઓ બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો કે સર્ટિફિકેટ ન લેનારા એક આખા કોમ્પ્લેક્સને પાલિકાની ટીમે સીલ કરી દીધું છે. આ કાર્યવાહીને પગલે શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું ધાનેરા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા એક વ્યાપારિક કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. આ કોમ્પ્લેક્સમાં અગ્નિશામક સુવિધાઓનો અભાવ હતો અને જરૂરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ મેળવવામાં આવ્યું ન હતું. આમ છતાં, અહીં અનેક દુકાનો ધમધમી રહી હતી, જે લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતી. પોલીસના કાફલા સાથે દુકાનો સીલ કરી ધાનેરા નગરપાલિકાની ટીમ આજે પોલીસના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સાથે રાખીને પાલિકાએ આ કોમ્પ્લેક્સની તમામ દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તંત્રની આ કડક કાર્યવાહી જોઈને અન્ય કોમ્પ્લેક્સના સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. 'નિયમોનું પાલન અનિવાર્ય' - નગરપાલિકા ધાનેરા નગરપાલિકા દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જાહેર જનતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જે કોમ્પ્લેક્સ કે હોસ્પિટલ પાસે માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી, તેમણે તાત્કાલિક ધોરણે પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો - Banaskantha News : વડનગર સિવિલમાં હોબાળો, મોતીપુરામાં યુવકના શંકાસ્પદ મોત મામલે પરિજનોનો આક્રંદ

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ, પતંગના ભાવમાં 30%નો તોતિંગ ઉછાળો
calendar_today January 8, 2026

Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ, પતંગના ભાવમાં 30%નો તોતિંગ ઉછાળો

ગુજરાતનો લોકપ્રિય પર્વ ઉત્તરાયણ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે પતંગરસિયાઓને પર્વની ઉજવણી મોંઘી પડશે. હોલસેલ વેપારીઓના મતે, પતંગના ભાવમાં ગત વર્ષ કરતા 30 ટકા જેટલો વધારો થયો છે. આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે: પ્રથમ, સરકારે પેપર પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. બીજું, ચાલુ વર્ષે ચોમાસું પાંચ મહિના જેટલું લંબાયું હોવાથી પતંગનું ઉત્પાદન ઘટ્યું છે. ત્રીજું, લગ્નની સીઝન હોવાથી કારીગરોની અછત વર્તાઈ રહી છે. જે પતંગની કોડી પહેલા 80 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ અત્યારે 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને ઉત્તરાયણ આવતા સુધીમાં તે 200 રૂપિયાને પાર કરી શકે છે.દોરી બજાર સ્થિર પણ પતંગ મોંઘી પતંગના ભાવમાં વધારો હોવા છતાં દોરીનું બજાર પ્રમાણમાં સ્થિર છે, જેમાં માત્ર 5 થી 10 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે બજારમાં પંજાબી, જયપુરી અને બરેલી પતંગોનું નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે, જ્યારે દોરીમાં ચરખાની અને હાથે રંગેલી દોરીની ભારે માંગ છે. અમદાવાદમાં પતંગ અને દોરીનો વ્યવસાય અંદાજે 100 કરોડ રૂપિયાનો છે, જે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ નિકાસ થાય છે. આ ઉદ્યોગ આશરે 4 થી 5 હજાર કારીગરોને સીધી રોજગારી પૂરી પાડે છે. જોકે, આ વર્ષે એલ્યુમિનિયમની ફિરકી અને ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની ફિરકીઓનું વેચાણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પણ વાંચો : CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

Read Full Story arrow_forward