android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો
calendar_today January 7, 2026

Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હવે પોલીસ પણ બુટલેગરોના હુમલાનો શિકાર બની છે. દાહોદમાં દારૂની રેડ પાડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મીને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો દાહોદના રળિયાતી ગામમાં એક બેફામ બનેલા બુટલેગરને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ સંતોષ ડામોર પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેણે ઉશ્કેરાઈને પોલીસ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યાવાહી હાથ ધરી છે.  આ પણ વાંચોઃ Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ

Read Full Story arrow_forward
Maharashtra : પાલઘરમાં શેરમાર્કેટમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ, 14 રોકાણકાર સાથે 2.39 કરોડની છેતરપિંડી
calendar_today January 7, 2026

Maharashtra : પાલઘરમાં શેરમાર્કેટમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ, 14 રોકાણકાર સાથે 2.39 કરોડની છેતરપિંડી

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શેરમાર્કેટમાં રોકાણના નામે ઠગાઈ કરવાનો એક કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ રોકાણકારોને તગડો નફો કમાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પોતાને શેર બજારનો જાણકાર જણાવીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો.લોકોની મહેનતની કમાણી ગઈ રોકાણકારોને ઓછા સમયમાં વધારે રિટર્ન મળવાની લાલચ આપી, આ વિશ્વાસમાં આવીને ઘણા લોકોએ પોતાની મહેનતની કમાણી આ વ્યક્તિને આપી દીધી પણ થોડા સમય બાદ જ્યારે હકીકત સામે આવવા લાગી, જ્યારે રિટર્ન ના મળ્યું તો રોકાણકારોને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો. પોલીસે આરોપીની ઓળખ 36 વર્ષીય રોશન ચંદનલાલ જૈન તરીકે કરી છે. રોશને બોઈસર વિસ્તારમાં સ્થિત પોતાની એક કંપની દ્વારા રોકાણનું જાળ ફેલાવી અને તે પોતાને પ્રોફેશનલ રોકાણ સલાહકાર જણાવતો હતો. રોકાણકારોને કહેવામાં આવ્યું કે તેમના પૈસા શેર માર્કેટમાં લગાવવામાં આવશે. કંપનીનું નામ અને ઓફિસના કારણે લોકોને વિશ્વાસ આવ્યો અને આ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને આરોપીએ મોટી રકમ એકત્ર કરી લીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ છેતરપિંડી વર્ષ 2022થી સતત ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ 14 રોકાણકારોને લગભગ 2.39 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. શરૂઆતમાં આરોપી સતત સંપર્કમાં રહ્યો અને રોકાણકારોને વિશ્વાસમાં રાખતો રહ્યો પણ ધીરે-ધીરે તેને રિટર્ન આપવાનું બંધ કરી દીધું. ત્યારબાદ કોઈ રિટર્ન કે મુડી પરત ના કરવામાં આવતા એક રોકાણકારે પોલીસ ફરિયાદ કરી અને ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી. ફરિયાદના આધારે આરોપીની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી. પોલીસે દસ્તાવેજ અને લેણદેણની જાણકારી લીધી અને તપાસમાં આરોપ સાચો સાબિત થયા બાદ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસનું કહેવું છે કે આરોપીએ કોઈ પણ રોકાણકારને એક પણ રૂપિયો રિટર્ન આપ્યું નથી. આર્થિક ગુના શાખા પણ તપાસમાં લાગી આ કેસની ગંભરીતાને જોતા આર્થિક ગુના શાખા પણ તપાસમાં લાગી છે અને એ પ્રયત્ન કરી રહી છે કે આરોપીએ કયા કયા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. એ પણ તપાસ થશે કે ક્યાંક વધુ રોકાણકારો સાથે પણ ઠગાઈ થઈ નથીને. પોલીસ અન્ય પીડિતોને પણ સામે આવવાની અપીલ કરી રહી છે. હાલમાં આરોપી જેલના સળીયા પાછળ છે અને તપાસ ચાલી રહી છે.   આ પણ વાંચો: World News : વિશ્વમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહૂને કર્યો ફોન, જાણો કારણ

Read Full Story arrow_forward
Bharuch: UK જવા માટે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ
calendar_today January 7, 2026

Bharuch: UK જવા માટે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ

ભરૂચમાં યુકે જવા માટે કબૂતરબાજીનો પર્દાફાશ થયો છે. લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનાર વકીલ સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરાયો છે. વિદેશ જવા માટે નકલી મેરેજ સર્ટીફિકેટ બનાવતા હતાં. ખોટા મેરેજ સર્ટિફિકેટના આધારે યુવાનને યુકે બોલાવ્યો હતો. પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનો ચુકાદો બનાવ્યો 1 મહિલા સહિત યુકે રહેતા 3, કેનેડાના એક સામે ફરિયાદ નોંધાઈ છે. લગ્નના ખોટા દસ્તાવેજો બનાવનારા સામે ગુનો દાખલ ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, UK જવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજી કાંડ ઝડપાયુ છે. આ કૌભાંડમાં વકીલ સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. વિદેશ જવા માટે નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. ખોટા લગ્ન કરાવી યુ.કે. મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને ભરૂચ પોલીસ જાણ કરશે. પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનો ચુકાદો બનાવ્યો આરોપીઓએ ખોટા લગ્ન સર્ટિફિકેટના આધારે યુવાનને UK બોલાવી લીધા બાદ પૈસાની લેતીદેતીમાં વિવાદ થતા છૂટાછેડાનું બોગસ જજમેન્ટ પણ બનાવ્યું હતું. એક મહિલા સહિત હાલ યુ.કે રહેતા ત્રણ અને કેનેડામાં રહેતા એક મળી ચાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.ટોળકી દ્રારા ભરૂચ કે અન્ય જીલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરાઈ છે. આ પણ વાંચોઃ Gujarat News: 10 વર્ષમાં સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 1163 ટકા વધી, જાણો શું છે પૂનમબેન માડમ અને પાટીલની સંપત્તિનો આંકડો

Read Full Story arrow_forward