android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલનો વીજચોરો પર સપાટો, એક જ સપ્તાહમાં રૂ.2.51 કરોડનો દંડ ફટકારાયો
calendar_today January 7, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલનો વીજચોરો પર સપાટો, એક જ સપ્તાહમાં રૂ.2.51 કરોડનો દંડ ફટકારાયો

તારીખ ૨૯.૧૨.૨૦૨૫ થી ૦૩.૦૧.૨૦૨૬ દરમિયાન સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામોમાં વીજ તંત્રની ટીમોએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન ઘર વપરાશના ૩૨૧૨, વાણિજ્યના ૫૬ અને ખેતીવાડીના ૨૩ મળી કુલ ૩૨૯૧ વીજ જોડાણોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કુલ 565 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી જેમાં ઘર વપરાશના ૫૫૦, વાણિજ્યના ૧૦ અને ખેતીવાડીના ૦૫ કનેક્શનનો સમાવેશ થાય છે. આ પૈકી ૨૯૯ જેટલા કિસ્સાઓ તો એવા હતા કે, જેમાં વીજ જોડાણ વગર જ સીધી રીતે વીજળીની ચોરી કરવામાં આવતી હતી. આ તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ.૨૫૧.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા તમામ વીજ ગ્રાહકો અને નાગરિકો માટે વીજ સલામતી અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર પતંગ ચગાવતી વખતે જો પતંગ કે દોરી વીજળીના થાંભલા અથવા જીવંત તારમાં ફસાઈ જાય, તો તેને કાઢવા માટે ક્યારેય થાંભલા પર ચઢવું નહીં કે વીજળીના તાર કે કેબલને અડકવાનો પ્રયત્ન કરવો નહીં. વીજળીના તાર પર ફસાયેલા પતંગને કાઢવા માટે લોખંડના લંગર કે લાકડીઓ નાખવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી વીજળીના તાર એકબીજા સાથે અથડાતા મોટા ધડાકા થઈ શકે છે, તાર તૂટી શકે છે અથવા શોર્ટ સર્કિટને કારણે ઘરના વીજ ઉપકરણો બળી જવાની અને જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ પણ વાંચો : Rajkotમાં નશાના દૂષણને ડામવા SOGની કવાયત, જુઓ Video

Read Full Story arrow_forward
મદુરાઈમાં સંથનકૂડૂ અને ઉર્સ ઉત્સવની ઉજવણી
calendar_today January 7, 2026

મદુરાઈમાં સંથનકૂડૂ અને ઉર્સ ઉત્સવની ઉજવણી

આ ઐતિહાસિક દરગાહ વિવિધ સમુદાયોના ભક્તો માટે ઊંડી ધાર્મિક મહત્તા ધરાવે છે.

Read Full Story arrow_forward
Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનથી MNSની રાજકીય પકડ ઘટી! અનેક કાર્યકર્તા શિંદે જૂથમાં જોડાયા
calendar_today January 7, 2026

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનથી MNSની રાજકીય પકડ ઘટી! અનેક કાર્યકર્તા શિંદે જૂથમાં જોડાયા

મુંબઇની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એક તરફ મહાયુતિ અને શિંદે જૂથ, એનસીપી તો બીજી તરફ હવે શિવસેના ઉદ્ધવ જૂથ અને મનસે રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન થયુ છે. જે બાદ રાજ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ રાજ ઠાકરેનું ઉદ્ધવ ઠાકરે સાથેનું જોડાણ વધુ મજબૂત થતું દેખાય છે પણ મનસેએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. MNSનો રાજકીય પ્રભાવ નબળો પડ્યો? નેતા સંતોષ ધુરી બાદ, અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં મોટી સંખ્યામાં MNS અધિકારીઓ અને કાર્યકરો હવે શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે. આનાથી આ વિસ્તારમાં MNSનો રાજકીય પ્રભાવ નબળો પડવાની આશંકા છે.અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં આ મોટી રાજકીય ઉથલપાથલથી સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. સેંકડો MNS અધિકારીઓ અને કાર્યકરો ઔપચારિક રીતે શિવસેના શિંદે જૂથમાં જોડાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના શિવસેના ધારાસભ્ય મુરજી પટેલ આ પ્રસંગે હાજર હતા, અને તેમણે જ તમામ નેતાઓ અને કાર્યકરોના સમાવેશની શરૂઆત કરી હતી. MNSની તાકાત પર અસર MNS લાંબા સમયથી સ્થાનિક સ્તરે તેની સંગઠનાત્મક તાકાત દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તાજેતરના વિકાસથી પક્ષને ફટકો પડ્યો છે. અંધેરી પૂર્વમાં MNSના ઘણા સક્રિય વ્યક્તિઓ હવે શિંદે જૂથ સાથે જોડાણ કરતા જોવા મળી રહ્યા છે, જે આગામી ચૂંટણીઓમાં પાર્ટીની રણનીતિને અસર કરી શકે છે. કાર્યકરો જોડાયા શિંદે જૂથમાં નોંધનીય છે કે માત્ર 4-5 દિવસ પહેલા MNS ના અંધેરી પૂર્વ વિધાનસભા વિભાગના પ્રમુખ, રોહન સાવંત, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના કહેવાથી શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. ત્યારથી અટકળો ચાલી રહી છે કે વધુ નેતાઓ તેમનું અનુકરણ કરી શકે છે અને હવે આ વાત સાચી પડી રહી હોય તેવું લાગે છે. શિંદે જૂથની વધી તાકાત આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે શિંદે જૂથ અંધેરી પૂર્વમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. દરમિયાન આ MNS માટે આત્મનિરીક્ષણનો સમય માનવામાં આવે છે કે તેના નેતાઓ અને કાર્યકરો સતત અન્ય પક્ષોમાં કેમ ભાગી રહ્યા છે. આવનારા દિવસોમાં અંધેરીના રાજકારણમાં વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Read Full Story arrow_forward