Vaishno Devi: જોજો બુકિંગ કરી ન દેતા, નહી તો પૈસા ગયા સમજો, વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને ચેતવ્યા
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે યાત્રાળુઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે તેઓ નકલી મેસેજ, ફોન કોલ્સ અથવા વોટ્સએપ ફોરવર્ડ દ્વારા લલચાવતી જાહેરાત પર ધ્યાન ન આપે અને કોઇ ચૂકવણી પણ ન કરે. આવા સંદેશાઓ ઘણીવાર માતા વૈષ્ણોદેવી યાત્રા માટે બુકિંગ અથવા સંબંધિત સેવાઓ ઓફર કરવાનો ખોટો દાવો કરે છે. બોર્ડે યાત્રાળુઓને સ્પષ્ટપણે સલાહ આપી હતી કે તેઓ અનધિકૃત વેબસાઇટ્સ અથવા વ્યક્તિઓ તરફથી મળતી છેતરપિંડીભરી જાહેરાતોથી સાવધ રહે.બોર્ડે યાત્રાળુઓને અપીલ શ્રાઈન બોર્ડ અનુસાર બધી સત્તાવાર બુકિંગ ફક્ત તેની વેબસાઇટ દ્વારા જ કરવામાં આવે છે. હેલિકોપ્ટર ટિકિટ, પૂજા, દર્શન સ્લિપ, રૂમ અથવા અન્ય સેવાઓ બુક કરવા માટે ફક્ત આ વેબસાઇટનો ઉપયોગ કરો. બોર્ડે યાત્રાળુઓને કોઈપણ ચુકવણી કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી. જો શંકા હોય તો પુષ્ટિ કરવા માટે શ્રાઈન બોર્ડના હેલ્પડેસ્ક નંબરનો સંપર્ક કરો. યાત્રાળુઓની વધતી જતી સંખ્યા વચ્ચે આ ચેતવણી આપવામાં આવી છે. https://x.com/OfficialSMVDSB/status/2008518602463604898નકલીથી સાવધાન આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે. શિયાળાની યાત્રાની મોસમ શરૂ થઈ ગઈ છે, અને લાખો યાત્રાળુઓ કટરા પહોંચી રહ્યા છે. આનો લાભ લઈને છેતરપિંડી કરનારાઓ સક્રિય થઈ ગયા છે. તેઓ નકલી વેબસાઇટ બનાવીને અથવા સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવા નકલી મેસેજમાં ઘણીવાર એવો દાવો કરે છે કે ખાસ પૂજા અથવા પ્રાથમિકતા દર્શન માટે બુકિંગ ઉપલબ્ધ છે, પરંતુ આવું કંશું હોતુ નથી. આવા લોકોને પેમેન્ટ કર્યા બાદ તેઓ ગાયબ થઇ જાય છે. કોઇ કોન્ટેક્ટ તેમનો થતો નથી. યાત્રાળુઓને સતર્ક રહેવાની સલાહ શ્રાઇન બોર્ડે યાત્રાળુઓને સતર્ક રહેવા અને સલામત મુસાફરી કરવાની સલાહ આપી છે. બોર્ડ જણાવે છે કે સત્તાવાર વેબસાઇટ પર બુકિંગ સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે, જે બધી સેવાઓ માટે સચોટ માહિતી અને દર પ્રદાન કરે છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો અથવા અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર વિશ્વાસ કરવાનું ટાળો. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે. તાજેતરમાં નવા ટ્રેક અને સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આ ચેતવણી યાત્રાળુઓને છેતરપિંડીથી બચાવવા અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે છે.
Read Full Story arrow_forward