android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે
calendar_today January 7, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબ સાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"માં સમાવિષ્ટ કરવામાં આવશે નહી. તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. વધુમાં, તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યઓ ન હોય તેવી, નામ, સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા સુરેન્દ્રનગર શહેર મામલતદાર આર.કે.પંચાલની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ, ધાનેરા પંથક ચેપગ્રસ્ત જાહેર થવાની સંભાવના

Read Full Story arrow_forward
Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું
calendar_today January 7, 2026

Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું

વડોદરામાં વાઘોડિયા રોડની હર્ષલ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલી કિશોરીનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારે આરોપ લગાવતાં ચકચાર મચી ગઇ છે. ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું પરિવારના આરોપ મુજબ દિવાળી પહેલા કિશોરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી પણ તેણીના પેટમાં દુખાવો રહેતા પરિવારે તપાસ કરાવી, ત્યારે બહાર આવ્યું કે ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું. તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું કિશોરીને સારવાર માટે પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી, અને તબીબ ડૉ. વિજય સિંહે સારવાર ખર્ચ માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું. પરિવારે તબીબ વિજય સિંહ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ પણ વાંચો----   PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાજલી APMC ખાતે મહત્વપૂર્ણ બેઠક

Read Full Story arrow_forward
Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video
calendar_today January 7, 2026

Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા કૂતરાના કારણે કોર્ટમાં આવતા વકીલ અને પક્ષકારોને હાલાકી પડી રહી છે, હજી સુધી કોઈ કરડવાના કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા નથી પરંતુ વકીલોનું કહેવું છે કે, રખડતા કૂતરાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, હાઇકોર્ટના કેમ્પસમાં કૂતરાનો ત્રાસ વધ્યાની રજૂઆત પણ કરવામાં આવી છે.જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

Read Full Story arrow_forward