android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: રેલવે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કરે લારી ચાલક શ્રમિકને કચડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
calendar_today January 6, 2026

Bhavnagar: રેલવે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કરે લારી ચાલક શ્રમિકને કચડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ભાવનગર શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક ડીઝલ ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી એક શ્રમિકને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ટેન્કરના ચાલકે શ્રમિકને અડફેટે લેતા મોત મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિકની ઓળખ નરેશભાઈ મકવાણા તરીકે થઈ છે. તેઓ શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હતા અને લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નરેશભાઈ જ્યારે રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા ડીઝલ ટેન્કરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે નરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.લોકોના ટોળા અને પોલીસ કાર્યવાહીઅકસ્માત સર્જાતા જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ ગંગાજળીયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પરિવારમાં શોકનું મોજુંશ્રમિક નરેશભાઈના અચાનક મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. મહેનત મજૂરી કરીને ઘર ચલાવતા મોભીના જવાથી કરચલિયા પરા વિસ્તારમાં પણ ગમગીની ફેલાઈ છે. પોલીસે ડીઝલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

Read Full Story arrow_forward
Bengaluru : ડ્રગ્સ વિરૂદ્ધ પોલીસનું મોટું ઓપરેશન, 3.2 કિલો MDMA જપ્ત
calendar_today January 6, 2026

Bengaluru : ડ્રગ્સ વિરૂદ્ધ પોલીસનું મોટું ઓપરેશન, 3.2 કિલો MDMA જપ્ત

બેંગલુરૂમાં પોલીસે એક મોટી એન્ટી-નાર્કોટિક્સ કાર્યવાહી કરી છે. અશોક નગર પોલીસે બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને 3.2 કિલોગ્રામ MDMA ક્રિસ્ટલ જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં સક્રિય ડ્રગ્સ નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.ઓપરેશનને કેવી રીતે અંઝામ આપવામાં આવ્યો? પોલીસને આશંકા હતી કે ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન યુવાનોને નિશાન બનાવીને નશાની સપ્લાય કરવામાં આવી રહી છે. આ ઈનપુટના આધાર પર ઓપરેશનને અંઝામ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને 31 ડિસેમ્બર એક ગુપ્ત જાણકારી મળી હતી, જેમાં જણાવ્યું હતું કે MDMA ક્રિસ્ટલનો મોટો જથ્થો પાર્ટી માટે લાવવામાં આવી રહ્યો છે. આ સૂચનાના આધારે NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે હોસૂર રોડ સ્થિત સ્મશાન ઘાટની પાછળ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવાની શરૂ કરી અને પ્લાન મુજબ પોલીસે વિસ્તારમાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો, અહીંથી સમગ્ર ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો. પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીની જ્યારે પુછપરછ કરવામાં આવી તો તેને ઘણા મોટો ખુલાસા કર્યા. આરોપીએ સ્વીકાર કર્યો કે તેને એક સાથીની મદદથી સસ્તા ભાવમાં MDMA ક્રિસ્ટલ ખરીદ્યું હતું. તેનો ઈરાદો નવા વર્ષ દરમિયાન ઉંચા ભાવે યુવાનોને વેચવાનો હતો. આરોપીએ જણાવ્યું કે પોલીસથી બચવા માટે ડ્રગ્સને સ્મશાન ઘાટમાં છુપાડ્યું હતું. ત્યારબાદ પોલીસે તરત જ સર્ચ ઓપરેશન ચલાવ્યું. બે આરોપીની કરાઈ ધરપકડ તપાસ દરમિયાન 2.48 કિલો MDMA ક્રિસ્ટલ જપ્ત કરવામાં આવ્યું. તેની સાથે જ ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગમાં લેવામાં આવેલું વાહન અને 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આ સામાન ડ્રગ્સની સપ્લાય અને નેટવર્કથી જોડાયેલા મહત્વના પુરાવા છે. 4 જાન્યુઆરી 2026એ પોલીસે બીજા એક આરોપીને પણ ધરપકડ કરી લીધી. ત્યારબાદ તેના ઘરમાં તપાસ કરવામાં આવી અને આ દરમિયાન ત્યાંથી 720 ગ્રામ MDMA ક્રિસ્ટલ જપ્ત કરવામાં આવ્યું. આ પ્રકારે કૂલ 3.2 કિલો MDMA પોલીસે જપ્ત કર્યું. એટલે સ્પષ્ટ છે કે બંને આરોપી મળીને મોટાપાયે ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા હતા. આ પણ વાંચો: UP Sir Draft Voter List: યુપી વોટર લિસ્ટમાંથી કપાયા 2.89 કરોડ નામ, જાહેર થયું ડ્રાફ્ટ લિસ્ટ

Read Full Story arrow_forward
JNU Protest Controversy: પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર Tej Pratap Yadavનું નિવેદન, જાણો શું કહ્યુ?
calendar_today January 6, 2026

JNU Protest Controversy: પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર Tej Pratap Yadavનું નિવેદન, જાણો શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દીધા બાદ સાબરમતી હોસ્ટેલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર સખત વાંધો આ વિરોધ પ્રદર્શન જેએનયુ વિદ્યાર્થી સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપે વિરોધ પ્રદર્શનમાં વપરાયેલી ભાષાને અભદ્ર ગણાવી છે અને તેને અલગતાવાદી ગણાવી છે. દરમિયાન, કોંગ્રેસના નેતા ઉદિત રાજે વિરોધ પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે તે વિરોધનો એક પ્રકાર હતો. જનશક્તિ જનતા દળના વડા તેજ પ્રતાપ યાદવે જેએનયુમાં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર સખત વાંધો ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓ આવી ભાષાનો ઉપયોગ ટાળેઃ તેજ પ્રતાપ તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, ગઈકાલે JNU કેમ્પસમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત સૂત્રોચ્ચાર કરવા અંગે, વિરોધ કરનારાઓ મૂર્ખ છે. પીએમ વિશે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ આવી ભાષાનો ઉપયોગ કરવાનું ટાળે કારણ કે યુવાનો દેશનું ભવિષ્ય છે. સરકાર કાર્યવાહી પર નજર રાખી રહી છે. આ ઘટના અંગે, સોમવારે રાત્રે JNU ખાતે કેટલાક વિદ્યાર્થીઓએ PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કર્યા હતા. હિંસાની નિંદા કરવા માટે વિરોધ સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણોના કાવતરા કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ અદિતિ મિશ્રાએ જણાવ્યું હતું કે દર વર્ષે, વિદ્યાર્થીઓ 5 જાન્યુઆરી, 2020 ના રોજ કેમ્પસમાં થયેલી હિંસાની નિંદા કરવા માટે વિરોધ કરે છે. મિશ્રાએ સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન લગાવવામાં આવેલા બધા સૂત્રો વૈચારિક હતા અને કોઈ પર વ્યક્તિગત હુમલો કરતા નહોતા. તે કોઈ પર નિર્દેશિત નહોતા. આ પણ વાંચોઃ Venezuela Crisis: બ્રિટન, ફ્રાન્સથી લઈને બાંગ્લાદેશ સુધી 24 કલાકમાં ત્રણ વિશ્વસનીય સાથીઓએ અમેરિકાને ભણાવ્યો પાઠ, જાણો શું છે મામલો? 

Read Full Story arrow_forward