android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat weather : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન
calendar_today January 6, 2026

Gujarat weather : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા નલીયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું રાજ્યની રાજધાની ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર 9.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડીની અસર વધુ જોવા મળી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે, જેમાં ગત દિવસની સરખામણીમાં 3.3 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે. ડીસામાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, કેશોદમાં 10.4 ડિગ્રી અને મહુવામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી દરમિયાન, રાજસ્થાનના માઉન્ટઆબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા કડાકા ભરી ઠંડી પડી છે. હવામાન વિભાગ મુજબ, આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધુ વધવાની શક્યતા છે, જેથી નાગરિકોને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા
calendar_today January 5, 2026

Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા

ડેસર તાલુકાના 71 જેટલા ગામમાંથી 800 KV પાવર ગ્રીડ કોર્પોરેશનની ભુજના ખાવડાથી નાગપુર સુધી હાઈટેન્શન લાઈન પસાર થવાની હોવાથી કેટલાક ગામોના ખેડૂતોને નોટિસ આપીને જણાવાયું છે. જ્યારે કેટલાક ગામોમાં હજુ ખેડૂતોને આ બાબતે જાણ કરાઈ નથી.ડેસરના રાજુપુરાના ખેડૂતો પરેશ હિરુ પટેલ, એમ જે પટેલ, રાજેશ જે પટેલ, ચંદુ માધા પટેલ સહિતને નોટિસ મળતા તેઓ તા. 1 જાન્યુ.ના રોજ વડોદરા જિલ્લા કલેકટરને આ બાબતે જાણ કરી હતી કે, અમારી મંજૂરી સિવાય અમારા ખેતરોમાં પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનો કેમ કરી પસાર કરી શકાય, જમીનના ટુકડા થઈ જશે. આગામી સમયમાં ખેતરમાં કોઈ પણ જાતનું બાંધકામ પણ નહીં કરી શકીએ. ઉક્ત બાબતે ખેડૂતો સાથે કોઈપણ જાતની મીટીંગ કરી નથી કે, જાણકારી પણ આપી નથી. અમારા ખેતરોમાં આટલી મોટી લાઈન પસાર થતી હોય યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવા અથવા અટકાવવા રજૂઆત કરી હતી. રવિવારે સાંજે પાંચ વાગે રાજુપુરા ખાતે ખેડૂતો ભેગા થઈ ચર્ચા કરી હતી કે, ભુજના ખાવડાથી નાગપુર સુધી જતી 800 કે.વીની લાઈનના ખેતરોમાં પોલ આવશે. બાકીના ખેતરોમાં વાયર લાંબા કરાશે. જેના કારણે દરેક ખેડૂતને ઘણું નુકસાન થશે. જે માટે આગામી શનિવારે ડેસર તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો રાજુપુરા દૂધ મંડળી ખાતે ભેગા થઈને ચર્ચા કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર આપશે. તાલુકાના 71 ગામમાંથી પાવરગ્રીડ હાઇટેન્શન લાઇન પસાર થશે ઇંટવાડ, ત્રાસિયા, હિંમતપુરા, ડુંગરીપુરા, નાની વર્ણોલી, રાજપુર, પ્રતાપપુરા, સિહોરા, ગોરસણ, ડેસર, વાલાવાવ, કડાછલા, કલ્યાણ, પટેલના મુવાડા, રાયપુરા, છત્રાપુરા, વેજપુર, વક્તાપુરા, ઘેમલપુરા, લીમડાના મુવાડા, વાઘાના મુવાડા, સાઢાસાલ, દોલતપુરા, રાજુપુરા, ભીલા, ભિલાના મુવાડા, લાલખા, મોભખાના, મુવાડા, લટવા, વાવ, જેસર, ગોપરી, નારપુરી, રામપુરી, પીપલછટ, વડીયા, પાંડુ, મેવાસ, લીંબડી, ઘાટા વાસિયા, સાપિયા, અંદરખીયા, કસલાપુરા, મોકમપુરા, મોટી વર્ણોલી, માણેકલા, વાંકાનેડા, ભાટપુરા, જીતપુરા, જુના સિહોરા, નવા શિહોરા, પીપળીયા, છાલીયેર, ઇન્દ્રપુરી, બળેવીયા, શાંતિપુરા, બાલા પટેલના મુવાડા, કારીયાના મુવાડા, કૈલાશ આશ્રમ સહિત ગામ સહિત સાવલીનો નહારા, અને ગુતરડીનો સમાવેશ કરાયો છે. જમીનની કિંમત ઘટી જાય, ખેતર આકાર વગરનું થઇ જાય ડેસર તાલુકાના 71 ગામોમાંથી પાવર ગ્રીડની હાઇટેન્શન લાઈન પસાર થાય છે. આ લાઈન પસાર થવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. અમારી જમીનની કિંમત ઘટી જાય છે. ખેતર આકાર વગરનું થઈ જાય છે. જમીન બે ટુકડામાં વહેચાઈ જશે. કેટલાક નાના ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. અમે રાજુપુરાના ત્રણ ખેડૂતોએ રૂબરૂ 1 જાન્યુઆરીએ આ બાબતે જિલ્લા કલેકટરને અરજી આપીને ધ્યાન દોર્યું છે. પરંતુ સાથે તાલુકાના 71 ગામના ખેડૂતો આગામી સમયમાં ભેગા થઈ વિરોધ કરીશું. અને યોગ્ય વળતર અને વાર્ષિક ભાડા અંગે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્યને આવેદનપત્ર આપી માંગણી કરીશું. - સુરેશ પટેલ, અગ્રણી ખેડૂત, રાજુપુરા નાના ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇનથી જમીન વિહોણા થવાશે ખેતરોમાં હાઈટેન્શન લાઈન આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન પોલ ઉભા થશે તો, તે જમીન વિહોણા થઈ જશે. કારણ કે, વીજ પોલની બંને બાજુ 17, 17, મીટર જગ્યા રોકે છે. આ બાબતે અમારી જમીન બચાવવા માટે તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો શનિવારે ભેગા થઈ વિરોધ નોંધાવીશું. અને જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપવા જઈશું - દિલીપ પારેખ, ખેડૂત અગ્રણી, લીંબડી (પાંડુમેવાસ) ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઈ-કરજણ રેલવે લાઈન તૈયાર છતાં ટ્રેન શરૂ ન થતાં રોષ
calendar_today January 5, 2026

Vadodara:ડભોઈ-કરજણ રેલવે લાઈન તૈયાર છતાં ટ્રેન શરૂ ન થતાં રોષ

ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાઇ નથી. આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખીને DRUCC (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM)ને લેખિત રજૂઆત કરાઇ છે.DRUCCના સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડભોઈ-કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફ્ળતાપૂર્વક કરાયું છે. છતાં, નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે એસ.ટી. બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી. જેની સીધી અસર તેમના રોજગાર પર પડી રહી છે. આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. જો આ રૂટ પર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરાય તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બ્રોડગેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય તેમ DRUCC સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward